નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓ પોતાની નાની-નાની વાતથી કંટાળીને જીવલેણ ઘટનાઓ પોતાની સાથે કરી રહ્યા છે, જેને કારણે તેમના પરિવારજનોને ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડે છે. આવી જ એક ઘટના હાલમાં માસુમ દીકરાએ કરી નાખી હતી. આ ઘટના ઝુંઝુનું જિલ્લાના ચિરાવામાં ચૌધરી કોલોનીમાં બની હતી.
ચીડાસણમાં પરિવાર રાજી ખુશીથી રહેતો હતો. પરિવારમાં રહેતા દીકરાનું નામ કૃષ્ણકુમાર હતું. કૃષ્ણ કુમારની ઉંમર 16 વર્ષની હતી. તેમના પિતાનું નામ સુરેન્દ્રભાઈ છે. અને દાદાનું નામ લક્ષ્મણભાઈ છે. પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં 3 બાળકો છે, જેમાં કૃષ્ણ કુમારને તેનાથી નાની 2 બહેનો છે.
તેઓ ચીડાસણમાં રહેતા પરંતુ દીકરો બારમા ધોરણમાં આવ્યો હોવાને કારણે કૃષ્ણ કુમારને પરિવારના લોકોએ ઘરથી થોડી દૂર બહાર ભણવા માટે મોકલ્યો હતો. કૃષ્ણકુમાર ચીરાવા ભણવા માટે આવ્યો હતો. એક વર્ષ પહેલાં કૃષ્ણ કુમાર ચીરાવવામાં આવેલી ચૌધરી કોલોની માં બનેલી ખાનની હોસ્ટેલમાં રહેતો હતો.
હોસ્ટેલમાં તેની સાથે છ થી સાત વિદ્યાર્થીઓ રહે છે. કૃષ્ણકુમાર દરેક વિદ્યાર્થીઓ સાથે હળી મળીને રહેતો હતો હોસ્ટેલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેને ખૂબ જ સારું એવું માન આપતા, કૃષ્ણ કુમાર ચીરાવાની ખાનગી શાળામાં ધોરણ 12 માં સાયન્સનો વિદ્યાર્થી હતો અને તેમના પરિવારના લોકો દીકરો ખૂબ જ સારું એવો અભ્યાસ કરીને આગળ વધે તેમ ઈચ્છા રાખતા હતા.
જેના કારણે તેને ભણવા માટે ચીરાવા મોકલ્યો હતો. પરંતુ કૃષ્ણકુમાર કોઈ વાતને લઈને ખૂબ જ ચિંતામાં રહેતો હતો, જેના કારણે તેમણે પોતાની ચિંતાની વાત કોઈને પણ જણાવ્યા વગર એક દિવસ દર્દનાક ઘટના કરી નાખી હતી. હોસ્ટેલમાં કૃષ્ણકુમાર દરેક વિદ્યાર્થીઓ સાથે સાંજના સમયે અભ્યાસ કરી રહ્યો હતો.
કૃષ્ણકુમારની સાથે રહેલા બીજા વિદ્યાર્થીઓ વિપિન, મોહિત, પ્રિન્સ અને તેમના શિક્ષક પંકજભાઈ દરેક લોકોએ અભ્યાસ પૂરો કરીને સાંજે સુતા હતા. સવાર થતા મોહિત નામનો વિદ્યાર્થી પોતાને નાહવા માટે પાણી ગરમ કરવા ગયો ત્યારે તેમણે હોસ્ટેલના કેમ્પસમાં જોયું તો તે જોતા જ બૂમાબૂમ કરવા લાગ્યો હતો.
અને આઘાતમાં આવી ગયો તેણે એવી ઘટના જોઈ નાખી હતી કે તે કશું પણ બોલી શક્યો નહીં, જેના કારણે હોસ્ટેલના શિક્ષક પંકજ ભાઈ તરત જ દોડીને કેમ્પસમાં પહોંચ્યા હતા. દરેક વિદ્યાર્થીઓએ જોયું તો કૃષ્ણકુમાર કેમ્પસમાં રહેલા ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. કૃષ્ણ કુમારે આપઘાત કરી લીધો હતો.
જેના કારણે દરેક વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના માલિક આઘાતમાં આવી ગયા હતા. તરત જ હોસ્ટેલના માલિકે કૃષ્ણકુમારના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી અને કૃષ્ણકુમારનું ગામ ચિરાવાથી 25 km દૂર હતું, જેના કારણે કૃષ્ણકુમારના પિતા અને તેમના દાદા હોસ્ટેલ પહોંચ્યા હતા અને તેમની સાથે ગામના બીજા સગા સંબંધીઓ પણ આવ્યા હતા.
દાદાને કૃષ્ણકુમાર સાથે આ ઘટના બની હોવાને કોઈ જાણ ન હતી. તેઓએ કૃષ્ણકુમારની આ હાલતમાં જોયા ત્યારે તેમને કૃષ્ણકુમારના મૃત્યુની જાણ થઈ હતી. તરત જ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ હોસ્ટેલમાં પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી કૃષ્ણ કુમારના મૃતદેહ ને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
અને કૃષ્ણકુમારની તપાસ કરતાં સમયે તેમના હાથ પર અંતિમ નોટ લખેલી જોવા મળી હતી. કૃષ્ણકુમારે અંતિમ નોટ માં લખ્યું હતું કે, ‘સોરી પાપા, લવ યુ મોમ, હું પાગલ થઈ ગયો છું અને મારી જિંદગીથી કંટાળી ગયો છું’ આપઘાતનું કારણ પોલીસ શોધી રહી હતી દરેક વિદ્યાર્થીઓ આ ઘટના જોઈને આઘાતમાં આવી ગયા હતા.
કૃષ્ણકુમાર એ આ પગલું શા માટે ભર્યું તે માતા પિતા જાણી શકતા ન હતા અને કૃષ્ણકુમારની આ હાલત જોઈને તેમના દાદા અને તેમના પિતા ઘણી પડ્યા હતા, આજકાલ વિદ્યાર્થીઓ સાથે નાની નાની વાતને લઈને ખોટું લાગી જતા આવી ઘટનાઓ કરી રહ્યા છે અને તમને પરિવારજનો ને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]