Breaking News

હોસ્પિટલમાં દાખલ કરેલા દીકરાને લઇને પરિવાર ઘરે આવ્યો અને જોઈ લીધું એવું કે પરિવાર થઈ ગયો બેભાન, તંત્ર થયું દોડતું..!

શહેરોમાં અવારનવાર ઘણા બધા ગંભીર બનાવો લોકો સાથે બની રહ્યા છે. આજકાલ ગુનાખોરી અને લૂંટફાટ ખૂબ જ વધી રહ્યું છે. લોકો પોતાનો ઈમાનદારીથી ધંધો કરવાને બદલે બીજા લોકો સાથે છેતરપિંડી કરીને તેમની કમાયેલી મૂડીને લૂંટી રહ્યા છે. આવો જ એક પરિવાર સાથે ગંભીર બનાવ સામે આવ્યો હતો.

આ ઘટના હરિયાણામાં હિસાર શહેરમાં બની હતી. શહેરમાં ઘણા વર્ષોથી એક પરિવાર રહેતું હતું. પરિવાર નારનોંદના સુલચાની ગામનો રહેવાસી હતો. પરિવારના યુવકનું નામ ઇન્દ્રજીત સિંહ હતું. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને તેમના એક સંતાન સાથે તેઓ રહેતા હતા.

પોતાના વતનથી તેઓ રોજીરોટી માટે હરિયાણાના ક્રિષ્ના નગરમાં રહેવા આવ્યા હતા. તેમને સંતાનમાં 3 મહિનાનો દીકરો હતો. તેમનું નામ હરી હતું. હરિની એક દિવસ અચાનક તબિયત બગડી ગઈ હતી. જેના કારણે ઇન્દ્રજીતસિંહ અને તેમની પત્ની ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. હરિને ડોક્ટર પાસે લઈ ગયા તે સમયે,

હરિની તબિયત ખૂબ જ બગડી હોવાને કારણે ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું જેના કારણે હરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પતિ-પત્ની તેમના ૩ મહિનાના દીકરાને લઈને હોસ્પિટલમાં રોકાયા હતા. તે સમયે તેમણે પોતાના ઘરની જવાબદારી પોતાના મકાન માલિકને આપી હતી.

પરંતુ અચાનક મકાન માલિકના પણ પૌત્રની તબિયત સારી ન રહેતા તેને સિરસા ગયા હતા. જેના કારણે મકાનમાં કોઈ જ ન હતું અચાનક એક દિવસ હરિના પિતા ઇન્દ્રજીતસિંહ કોઈ કામ હોવાને કારણે પોતાના ઘરે પહોંચ્યા હતા અને તેઓએ પોતાની ગાડી ઘરની બહાર પાર્ક કરી હતી. ઘરની બહારથી તેઓ મુખ્ય દરવાજા મારફતે ઘરમાં ગયા હતા.

ત્યારે ઇન્દ્રજીતને ઘરના દરવાજાની સામે જોતા જ તેના પગ ધ્રુજવા લાગ્યા હતા અને તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેણે એવું જોયું હતું કે, જેનાથી તેઓ લથડીયા ખાઈ ગયા હતા તેમણે જોયું તો તેમના ઘરના દરવાજાનું બહારનું તાળું તૂટેલું હતું અને ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો જેના કારણે તેમણે ઘરની અંદર જઈને જોયું તો,

ગ્રાઉન્ડ અને બીજા ત્રીજા માળના રૂમના તાળા પણ તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં લુટેરાઓ આવ્યાની આશંકા થઈ હતી અને ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમણે રૂમમાં જઈને જોયું તો લોખંડના કબાટનું તાળું તૂટેલું હતું અને તેમના લોખંડના કબાટમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ પૈસા હતા.

જેના કારણે લુટેરાઓએ લોખંડના કબાટનું તાળું તોડીને તેમની તિજોરીમાંથી 5 ગ્રામની સોનાની નથ, ટીકા, 4 ગ્રામની સોનાની વીંટી અને 10 તોલા ચાંદીની બંગડી તેમજ સોનાનું મંગળસૂત્ર અને 10,000 રોકડ પૈસા પણ લૂંટી લીધા હતા અને તેની સાથે સાથે મકાનના કિંમતી કાગળો પણ લૂટ્યા હતા. ત્યારબાદ બીજા કબાટના તાળા તોડીને તેમાંથી 12,700 ની ચોરી કરી હતી.

જેના કારણે ઇન્દ્રજીતે તરત જ ઘરની બહાર આવીને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસે ઈન્દ્રજીતસિંહની ફરિયાદ નોંધીને તેમના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી અને આ ઘરે લૂંટ કરવા આવેલા લુટેરાઓને શોધવાની કાર્યવાહી ચાલુ કરી હતી. પરિવાર સાથે આવી ઘટના બની જતા તેઓ પર આભ તૂટી પડ્યું હોય તેવું દુઃખ આવી પડ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *