જ્યારે પણ કોઈ વ્યક્તિને બીમારીનો અનુભવ થવા લાગે ત્યારે તે સારવાર કરવા માટે હોસ્પિટલ જતો હોય છે, દવાખાના અને હોસ્પિટલમાં ડોક્ટર દરેક દર્દીની ખૂબ જ સારી રીતે સારવાર કરે છે. અત્યારે સારવાર કરાવવા ગયેલા બે દર્દીઓ હોસ્પિટલ પાસે પહોંચતાની સાથે જ તેમની સાથે ખૂબ જ અનોખી ઘટના બની ગઈ હતી..
આ ઘટનાને લઈ તેમના પણ મોતિયા મરી ગયા હતા, આ બનાવો નાનજીપુરા વિસ્તારનો છે. અહીં રહેતા કમલેશભાઈ અને લલીતભાઈ નામના બે વ્યક્તિઓ સારવાર કરાવવા માટે ત્યાં નજીકમાં આવેલી ગોવર્ધન હોસ્પિટલમાં ગયા હતા. એ વખતે ત્યાં હોસ્પિટલના પાર્કિંગ પાસે અચાનક જ તમને ખૂબ જ ખરાબ દુર્ગંધ આવવા લાગી હતી..
આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે, તેની તેઓએ ભાળ મેળવી તો ખબર પડી કે ત્યાં પાર્ક કરાયેલા છકડા પાસેથી આ ખરાબ વાસ આવે છે. અને તેનાથી ત્યાંથી પસાર થતા ઘણા બધા લોકો હેરાનગતિ અનુભવી રહ્યા છે. આ બંને વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે અંદર જવાને બદલે ત્યાં બહાર ઊભા રહીને જ આ સમસ્યાનું સમાધાન મેળવવા માટે મથામણ કરવા લાગ્યા હતા..
એવામાં તેઓ હોસ્પિટલની પાર્કિંગ પાસે ઊભા રહેલા છકડા પાસે પહોંચ્યા અને ત્યાં જઈને નજર તાકીને જોયું તો એવું દ્રશ્ય દેખાયું હતું કે, જોતાની સાથે સૌ કોઈ લોકોના મોતિયા મરી ગયા હતા. આ ઝઘડાના પાછળની ટ્રોલીની અંદર બે અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ લાશને જોતા જ આ બંને વ્યક્તિ ચોંકી ઊઠ્યા..
અને તાત્કાલિક ધોરણે દોડતા દોડતા હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ પાસે પહોંચી ગયા અને જણાવ્યું કે, હોસ્પિટલના પાર્કિંગની અંદર એક છકડો મળી આવ્યો છે. અને આ છકડાની ટ્રોલીની અંદર બે અજાણી વ્યક્તિની લાશ પડેલી છે, જે ખૂબ જ દુર્ગંધ મારી રહી છે અને ત્યાંથી પસાર થતા લોકોને પણ અગવડતા પડી રહી છે..
હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફ તરત જ આ છકડા પાસે આવી પહોંચવાની હકીકતમાં ત્યાં બે લાશ જોતા જ તેઓના પણ મોતિયા મરી ગયા, તેઓએ તાત્કાલિક ધોરણે ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને આપી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ બંને લાશને હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
આ સાથે સાથે આ છકડનો માલિક કોણ છે, અને લાશને છકડાની અંદર કોણ મૂકીને અહીંથી ચાલી ગયું છે. તેની ભાળ મેળવવા માટે હોસ્પિટલના પાર્કિંગ પાસેના સીસીટીવી કેમેરા ની ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં જણાવ્યું કે, હોસ્પિટલ ની અંદર સારવાર લેવા માટે આવેલો એક વ્યક્તિ છકડો અહીં પાર્કિંગ કરીને હોસ્પિટલની અંદર ચાલ્યો ગયો હતો..
ત્યારબાદ સારવાર લઈ તે ચાલતો ચાલતો હોસ્પિટલના ગેટમાંથી બહાર નીકળી ગયો છે અને તેનો છકડો હોસ્પિટલના પાર્કિંગમાં જ પડેલો રહી ગયો છે. હોસ્પિટલના રેકોર્ડ પરથી જ્યારે ભાળ મેળવવામાં આવે ત્યારે ખબર પડી કે, આ વ્યક્તિનું નામ રમેશ છે અને તે શરદી અને ખાંસીની સારવાર કરવા માટે હોસ્પિટલ આવ્યો હતો..
તે નજીકમાં આવેલી પ્રેમજી કૃપા સોસાયટીનો રહેવાસી છે. આ બધી માહિતી લઈ છકડાને માલિકને પકડવા માટે તાજવીજ હાથ ધરી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા દર્દીઓના પણ ધબકારા વધી ગયા હતા. આ ઝઘડાની અંદરથી એક સાથે બે વ્યક્તિની ખૂબ જ ખરાબ જોતા સૌ કોઈ લોકોમા ફફળાટ સર્જાઈ ગયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]