Breaking News

હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવકે “મારે હવે નથી જીવવું કહીને લટકીને કરી લીધો આપઘાત” પત્ની અને 10 વર્ષનો બાળક થયા રખડતા..!

આજકાલ આપઘાતના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કેટલાક લોકો પોતાના રોજિંદા જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે. અંબિકાપુર ના 41 વર્ષીય રાજેન્દ્ર રાજવાડેએ પોતાના જીવનથી કંટાળી ને જીવવા નથી માંગતો તેવું કહીને આપઘાત કરી લીધો છે.

અંબિકાપુરના દરિમા વિસ્તારમાં કુનકુરી ગામમાં ઈશ્વર રાજવાડે અને તેનો પરિવાર રહેતો હતો. ઈશ્વર રાજવાડે નો 41 વર્ષીય પુત્ર અને રાજેન્દ્ર રાજવાડે અંબિકાપુરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. તેણે થોડા સમય પહેલા શહેરના નમનાકલા સ્થિત વસુંધરા સન સિટીમાં એક નવું ઘર લીધું હતું.

રાજેન્દ્ર રાજવાડે પોતાની પત્ની અને ૧૦ વર્ષીય પુત્ર સાથે તેના નવા ઘરમાં રહેતો હતો. તે પોતાના રોજિંદા જીવનથી કંટાળી ગયો હતો. જેથી તેને જીવવાની ઈચ્છા થતી ન હતી. ગઈકાલે રાજેન્દ્રને પોતાના પરિવાર સાથે પારિવારિક કાર્યક્રમમાં જવાનું હતું. જેથી તે બપોરે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યો હતો.

રાજેન્દ્ર પોતાના પરિવાર સાથે કાર્યક્રમમાંથી લગભગ 6 વાગયે પાછો ફર્યો હતા. આ ઉપરાંત રાત્રે 10 વાગે તેણે પોતાના પરિવાર સાથે બેસીને લેપટોપમાં છેલ્લી વાર પોતાના પરિવારજનોના ફોટા પણ જોયા હતા. ત્યારબાદ તેની પત્ની અને પુત્રના સૂઈ ગયા બાદ રાજેન્દ્રએ બહારની રૂમમાં પોતાના પત્નીના દુપટ્ટા વડે લટકાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

તેને આપઘાત કરતા પહેલા અંતિમ નોટ પણ લખી હતી. જ્યારે મોડી રાત્રે રાજેન્દ્ર રાજવાડેની પત્ની પાણી પીવા માટે બહાર આવી ત્યારે તેણે રાજેન્દ્રને દુપટ્ટા સાથે લટકાયેલો જોયો હતો. આ જોઈને તેણે તરત જ દરિમા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે જાણ કરી હતી.

પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોચીને તમામ ઘટના અંગે તપાસ શરુ કરી હતી. તેમજ મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસને શોધખોળ દરમિયાન મળેલી અંતિમ નોટ વાંચતા સામે આવ્યું છે કે રાજેન્દ્ર પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી છે. તેણે તેની મોતનો જવાબદાર પોતાને જ ગણાવ્યો છે.

તેમજ પોતાની પત્ની અને પુત્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો છે. રાજેન્દ્ર રાજવાડેની મોતના કારણે તેની પત્ની અને તેના પુત્ર સહિત અન્ય પરિવારજનો પણ શોકમગ્ન થઈ ગયા છે. દરિમા પોલીસ દ્વારા રાજેન્દ્ર રાજવાડે ના આપઘાતનું કારણ જણાવવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ તેના પરિવારજનોની પૂછપરજ શરૂ કરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *