લોકો આજકાલ બીજાના ત્રાસને કારણે ગંભીર પગલાઓ ભરી રહ્યા છે અને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે પરંતુ હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના શિવપુરીમાં કામ કરતા હોમગાર્ડ જવાન સાથે બની હતી.
યુવક પોતાના પરિવાર સાથે ડેમરોન ગામમાં રહેતા હતા. યુવકનું નામ કમલેશ શાલીગ્રામ શર્મા હતું. કમલેશ શર્માની ઉંમર 55 વર્ષની હતી. તેમને સંતાનમાં વિકાસ શર્મા નામનો દીકરો હતો. કમલેશભાઈ ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા હતા. કમલેશભાઈને ઘણા વર્ષોથી ફેફસાની બીમારી હતી. તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા હતા.
કમલેશભાઈ દીનારા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જવાન તરીકે પોતાની ફરજ બજાવતા હતા. કમલેશ શર્માને બે ભાઈઓ હતા. જેમાં એક ભાઈનું નામ રામબાબુ શર્મા અને બીજા ભાઈનું નામ ઉમાચરણ શર્મા હતું. કમલેશ શર્મા બંને ભાઈઓ કરતા ઉંમરમાં નાના હતા અને કમલેશ શર્મા નાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું.
જેના કારણે કમલેશ શર્માના પિતાએ તેમની દરેક જમીન મોટા બે ભાઈઓના નામે કરી આપી હતી. કમલેશ્વરમાં નાના હોવાને કારણે તેમને જમીન આપી ન હતી પરંતુ રામબાબુ અને ઉમાચરણ તેમના નાના ભાઈના નામે જમીન કરી રહ્યા ન હતા. બંને ભાઈઓ કમલેશ શર્માને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હતા.
કમલેશ્વરમાં ફેફસાની બીમારીથી પીડિત હોવાની સાથે સાથે તેઓ જમીનના વિવાદને કારણે ડિપ્રેશનમાં રહેતા હતા. જેના કારણે તેઓ જ્યારે નોકરીએથી આવતા ત્યારે તેમના પરિવારના લોકોને તેઓ ખૂબ જ કંટાળી ગયા છે તેમ વારંવાર કહેતા હતા. કમલેશ શર્માનો દીકરો વિકાસ શર્મા પોતાની પિતાની દરેક ચિંતાને સમજી રહ્યો હતો.
પરંતુ કે કશું પણ કરી શકતા ન હતા. એક દિવસ સાંજના સમયે કમલેશ ભાઈ નાઈટ ડ્યુટી કરીને પોતાના ઘરે ડેમરોન આવ્યા હતા. તેમણે પોતાના પરિવાર સાથે બેસીને સાંજનું ભોજન પણ જમ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકો સૂઈ રહ્યા હતા. તે સમયે કમલેશભાઈ પોતાના ઘરેથી બહાર નીકળી ગયા હતા.
અને તેઓ ગામના પાદરે જતા રહ્યા હતા. ગામના પાદરેથી પસાર થતા લોકોએ થોડીવાર પછી એવું જોયું કે, ગામના લોકો એક સાથે ગામના પાદરે ભેગા થઈ ગયા હતા. મોડી રાતના એક થી બે વાગ્યાની વચ્ચે ગામના લોકોને પાદરે રહેલા ઝાડ પર કમલેશભાઈનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.
જેના કારણે કમલેશભાઈના પરિવારને આ વાતની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકો પોતાનું ભાન ભૂલીને દોડવા લાગ્યા હતા. અને દરેક લોકોએ જોયું તો કમલેશભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હતું. જેના કારણે તાત્કાલિક પોલીસને આ વાતની જાણ પરિવારજનોએ કરી હતી.
પોલીસને માહિતી મળતા જ તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કમલેશભાઈના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. તે જ કમલેશભાઈની બોડી પર તપાસ કરતા તેમના હાથ અને પગ ઉપર ઘણી જગ્યાએ પેનથી લખેલું લખાણ મળી આવ્યું હતું. જેના કારણે પોલીસે આ લખાણ વાંચતાં જણાવ્યું હતું.
કે લખાણમાં ‘રામબાબુ, ઉમાચરણ અને તેમની ભાભી રામદેવીના’ નામ લખ્યા હતા અને સાથે લખ્યું હતું કે, ‘તેઓ ઘણા દિવસોથી મને ત્રાસ આપતા હતા, જેના કારણે હું થાકી ગયો હતો અને હું મારી બીમારીથી કંટાળી ગયો હતો’. કમલેશ ભાઈના પુત્ર વિકાસ શર્માની પોલીસે પૂછપરછ કરતા વિકાસ શર્માએ જણાવ્યું હતું.
કે.. તેમના કાકા તેમજ દાદા ઘણા સમયથી મારા પિતા સાથે ઝઘડો કરતા હતા અને ઝઘડાને કારણે મારા પિતા બીમાર પડવા લાગ્યા હતા. અને તેમની દાદીના ત્રાસને કારણે મારા પિતાએ આપઘાત કરી લીધો છે. પોલીસ અંતિમ નોટના આધારે આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]