Breaking News

પાણીથી બચવા હોડીમાં બેઠા પરતું નદીમાં હોડી પલટી જતા 11 લોકોના મોત, લખેલું નસીબ કોણ ભૂસી શકે! વાંચો ..!

વરસાદ લોકોને હવે મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. રાજકોટ,જુનાગઢ અને જામનગરમાં અતિશય ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓમાં પાણીનો જથ્થો એટલો બધો વધી રહ્યો છે કે જેથી નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ છે.

ખેડૂતોની જમીનના શેઢા મળવા ય મુશ્કેલ છે. જમીનોનું ધોવાણ એટલી હદે થઈ ગયું છે કે તેનું લેવલ કરવામાં અડધી જિંદગીની કમાણી નીકળી જાય. 5 લોકોના મોત પણ નીપજ્યા છે. વરસાદની હોનારતને કારણે ઘણી ઘટનાઓ બની છે. ક્યાંક વીજળી પડી છે તો ક્યાંક લોકો તણાઈ ગયા છે. હોડીમાં સવાર 11 લોકોના હોડી પાણીમાં પલટી મારી જતા મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે. વર્ધા નદીમાં એક હોડી પલટી જતા 11 લોકો ડૂબવાની આશંકા છે. ર્ધા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યું છે. ચારેય બાજુ પાણી જ પાણી છે. કોઈ સુરક્ષિત જગ્યાએ જવા માટે હોડીઓનો સહારો લેવો પડે છે.

અમુક લોકો હોડી ચલાવીને એક કિનારેથી બીજા કિનારે જતા હતા. હોડી એક જ હતી અને તેમાં સવાર લોકોની સંખ્યા વધારે હતી તેથી હોડી પલટી મારી ગઈ હતી. હોડી પલટી મારતા તેમાં સવાર લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ હોડીમાં 30 કરતા વધુ લોકો સવાર હતા. હોડી નદીની મધ્યમાં પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો. આ દરમિયાન સ્થાનિક ગામના લોકો મદદ માટે પહોંચી ગયા હતા અને કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

લોકોને ડૂબતા જોઈને ત્યાંની આજુબાજુના લોકો કે જેમાંથી કોઈને તરતા આવડતું હોઈ તેવા લોકોએ ડૂબેલા લોકોને બચાવવાની પુરતી કોશીષ કરી હતી. આ બચાવ કામગીરીમાં કેટલાક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.આ દૂર્ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરૂદ તાલુકામાં ઘટી છે.

તો બીજી તરફ હોડી ડૂબવાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે એક પરિવારના કેટલાક સભ્યો ધાર્મિક કાર્ય માટે સવારે 10 વાગ્યે ગડેગાવ આવ્યા હતા. જ્યારે તેઓ ધાર્મિક વિધિ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી.

સ્થાનિક લોકોએ 3 મૃત-દેહોને બહાર કાઢ્યા છે. અને હજુ પણ 8 લોકોની શોધ ખોળ ચાલુ છે. આ વર્ષના ચોમાસામાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજસ્થાનમાં વીજળી પડતા 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો, તેમજ ગુજરાતમાં પણ થોડાક દિવસ પેહલા વીજળી પડવાની અનેક ઘટનાઓ બની હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *