નોકરી અને રોજગારીએ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરિયાત ભરી બાબત છે. પરિવાર તેમજ કુટુંબનું ભરણ પોષણ કરવા માટે કમાણી કરવી ખૂબ જ જરૂરી છે. અત્યારે એક 19 વર્ષની વનિતા નામની જુવાન જોધ દીકરીએ રોજગારી ન મળતા એવું પગલું ભરી લીધું છે, જેની ઘટના સામે આવ્યા બાદ પરિવારજનોની સાથે સાથે મોટા મોટા શેઠિયાઓના પણ ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા છે..
આ ઘટના સુરતની છે. અહીં પાંડેસરા વિસ્તારમાં 19 વર્ષની વનિતા નાયક નામની દીકરી આશાપુરી સોસાયટીમાં રહેતી હતી. તેને પહેલેથી જ છોકરાની જેમ રહેવાની આદત હતી. તે વરાછા વિસ્તારમાં આવેલા એક ડાયમંડના ક્લાસીસમાં હીરાનું ઘણું બધું કામકાજ પણ શીખી હતી..
સુરતમાં મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાઈને રોજગારી મેળવે છે. એટલા માટે 19 વર્ષની આ જુવાનજોધ દીકરી હીરાનું કામકાજ શીખી લીધું હતું. તે છોકરાની જેમ જ કપડાં પહેરતી હતી અને છોકરાની જેમ જ રહેવાની આદત ધરાવતી હતી. તેણે હીરાના ક્લાસીસની અંદર એક કોર્સ પણ પૂરો કર્યો હતો..
અને ત્યારબાદ તે નોકરી કરવા માટે એક કારખાનામાં પણ જવાની હતી, તેના પરિવારમાં તેના દાદા દાદી તેમજ તેની મોટી બહેન અને નાનો ભાઈ હતા. તેના પિતાનું થોડા વર્ષો પહેલા જ અવસાન થઈ ગયું હતું. એક દિવસ બપોરના સમયે વનિતાએ પોતાના રૂમની અંદર જઈને રૂમ બંધ કરી દીધો હતો..
અને ત્યારબાદ તેને લટકીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. તેના પરિવારજનોનું કહેવું છે કે, તે એક હીરાના કારખાનાની અંદર નોકરી કરવા માટે જવાની હતી. પરંતુ કારખાનાના માલિકે તેને નોકરી ઉપર રાખવાની ના પાડી દીધી હતી..
એટલા માટે વનીતાને ખૂબ જ માઠુ લાગી આવ્યું અને તેણે આ પગલું ભરી લીધું હતું. પ્રાથમિક તપાસમાં આ માહિતી મળી છે. પરંતુ મોત પાછળનું હજુ પણ કોઈ કારણ હશે તો તે હજી સુધી સામે આવ્યું નથી. આ બાબતને લઈને તપાસ ચાલી રહી છે. રોજબરોજ ઘણા બધા એવા બનાવો સામે આવે છે, જેમાં નજીવી બાબતોને લઈને કોઈ વ્યક્તિ જીવન ટૂંકાવીને મોતને વહાલું કરી દે છે..
તેઓ એક પણ વાર તેમના પરિવારના સભ્યો વિશે વિચાર કરતા નથી કે તેમના ગયા બાદ તેમનો પરિવાર કેવી રીતે જીવન જીવશે. દિન પ્રતિ દિન આવી ઘટનાઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો નોંધાવા લાગ્યો છે. જે દરેક લોકો માટે ખૂબ જ પડકાર જનક પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે.
પરિવારજનોના કહેવા પ્રમાણે તેમની દીકરી નોકરી ન મળવાને કારણે ખૂબ જ નાખુશ હતી. પરંતુ આ બાબતને લઈને અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે, આ ઘટનાની હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જયારે જ્યારે આવા બનાવો સામે આવે છે ત્યારે સામાન્ય માણસ વિચારવા મજબુર બની જતો હોઈ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]