આજકાલના સમયમાં લોકો આપઘાત , અપહરણ અને આત્મહત્યા જેવા કિસ્સાઓનું પ્રમાણ વધી ગયું છે. લોકોને પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી બેસે છે. અને લોકોને પોતાના ધંધો તથા પરિવારથી કંટાળી જતાં હોય છે ત્યારે તેઓ આત્મહત્યા કરવાનું વિચારે છે. તેથી અવારનવાર આવા કિસ્સાઓ રોજ બરોજ આપણી સામે આવતા જ રેહતા હોય છે.
હાલમાં એક એવી જ ઘટના બનવા પામી છે જેમાં સુરતમાં પનાસ ગામમાં આવેલા મનપા નજીકની છે. આ ઘટનામાં એક યુવાન પોતાની જિંદગીથી કંટાળીને પોતાની જીવનનો અંત લાવે છે. મનપા આવાસ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીમાં રહેતો હતો. આ યુવાનનું નામ રાહુલ પ્રભાકર ભાઈ સાલુંકે હતું. તેની ઉંમર ૨૭ વર્ષની હતી.રાહુલના લગ્ન થઈ ગયા હતા.
રાહુલ તેની પત્ની સાથે તેમના પરિવારના જુદો રહેતો હતો. ત્યારે રાહુલની પત્ની માથાભારે હોવાનું જાણવા આવ્યું છે. તેને કારણે રાહુલને પોતાના પરિવારથી વિખૂટા થઈને બીજા સાથે રહેવું પડ્યું હતું. રાહુલ ની પત્ની રાહુલના માતા-પિતાને સાચવતી ન હતી અને રાહુલ સાથે રોજ તેની સાથે ઝઘડો કર્યા કરતી હતી. તેને કારણે રાહુલે પોતાની જિંદગીમાં પોતાના પરિવારથી દૂર રહેવાનું વિચાર્યું હતું.
તેની પત્નીના પિયર પક્ષવાળા લોકો પ્રજ્ઞા સોસાયટીમાં રહેતા. તેની બાજુના મકાન ભાડે રાહુલને મકાન નાખ્યું હતું. રાહુલ અને તેના પત્ની આ મકાનમાં ભાડે રહીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.રાહુલ હીરા બનાવવાના ક્લાસ ચલાવતો હતો. તે સારું એવું કમાતો પણ હતો પરંતુ રાહુલે તેની પત્ની અને સાસુ કોઈ કારણોસર કોઈને કોઈ રીતે ત્રાસ આપતી હતી.
રાહુલ જયારે પોતાના ધંધેથી આવ્યો હોય ત્યાર બાદ તે ત્રાસને લીધે ખૂબ જ કંટાળી જતો હતો. અને આ વાતને કોઈ ને કહી શકે તેમ નહોતો. ક્યારેક ક્યારેક રાહુલ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. ત્યારે તેની પત્ની રાહુલને ઘરેથી કાઢી મુકી હતી. રાહુલના પરિવારને તેની પત્નીને મળવા પણ જતી નહોતી. પણ ખૂબ જ ત્રાસ આપતી હતી.
તેને કારણે બંને જણાને મૃત્યુ પામ્યા તેના આગલા દિવસે કોઈ વાતને લઈને ખુબ જ ઝઘડો થયો હતો. રાહુલે દિવસે સવારના સમયે તેની પત્ની ઘરે નહોતી. ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગાળા ફાંસો ખાઇ લીધો હતો. અને પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. ત્યારબાદ તેની પત્ની ઘરે આવતાની સાથે જોયું તો રાહુલે આ હાલતમાં જોઇને તે લથડી પડી હતી.
ત્યારે રાહુલના પરિવારના લોકોને રાહુલના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. ત્યારે જ રાહુલનો પરિવારવાળા એ તેની પત્ની અને તેના પિયરપક્ષ વાળા લોકોએ રાહુલને મારી નાખ્યો હોવાની શંકા કરી હતી. રાહુલના પરિવારે વાળાએ પત્નીની અને તેના સાસરિયા સામે પોલીસની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ પર ધરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]