Breaking News

હે ગાય માતા..! મહુવા-સુરત ટ્રેનના ટ્રેક ઉપર 24 ગાયો કચડાઈ જતા થયા મોત, ગૌ ભક્તોમાં શોકનો માહોલ છવાયો, ઓમ શાંતિ..!

રોજબરોજ હજારોથી લાખોની સંખ્યાની અંદર લોકો ટ્રેનની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય છે, છેલ્લા કેટલાક સમયથી ટ્રેનના ઘણા બધા અકસ્માત આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણા માટે પણ એકાએક બેઠા થઈ જતા હોય છે, અજાણતા જ રેલવેના ટ્રેક ઉપર કોઈ વ્યક્તિ કે જાનવર આવી જવાને કારણે અકસ્માત સર્જાઈ જતો હોય છે..

અને જે તે વ્યક્તિનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ પણ થઈ જતું હોય છે, અત્યારે સવાર સવારના સમયે એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળ્યા બાદ દરેક લોકોના મગજમાં સુન કારણ છવાઈ ગયો છે. હકીકતમાં આ ઘટના ગુજરાતના સુરત મહુવા પેસેન્જર ટ્રેન સાથે બની છે, આ ટ્રેન અમરેલીના સાવરકુંડલા નજીકથી પસાર થઈ રહી હતી..

ત્યારે રેલ્વે ટ્રેક ઉપર સાવરકુંડલાના બાઢડા પાસે એક સાથે અચાનક જ 24 જેટલી ગાયો રેલવેના ટ્રેક ઉપર આવી પહોંચી હતી, જ્યારે ટ્રેનના ડ્રાઇવિંગ આટલી બધી ગાયોને એક શાંતિ ટ્રેક ઉપર જોતાની સાથે જ તેની ઈમરજન્સી બ્રેક લગાવીને આ ગાયોનો જીવ બચાવવાની કોશિશ કરી હતી..

પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને ટ્રેક ઉપર ઉતરી પડેલી આ 24 ગાયોના ખૂબ જ દર્દનાક રીતે મોત થયા હતા, જ્યાં જુઓ ત્યાં લોહીની પિચકારીઓ વહી જવા પામી હતી, આ બનાવ રાત્રિના સમયે બન્યો હોવાથી ઘટના વિશે જાણકારી પણ ખૂબ જ મોડી પહોંચી હતી આ બનાવની જાણકારી જ્યારે વન વિભાગની ટીમ સુધી પહોંચી ત્યારે..

તેઓએ તાત્કાલિક ધોરણે ગાયોના મૃતદેહને રેલવે ટ્રેક ઉપર દેખાડીને ટ્રેકને ખુલ્લો મુકવા માટે જરૂરી કામગીરી હાથે ધરી હતી, સુરત મહુવા ટ્રેન રાત્રીના સમયમાં હોવાથી સુરત તરફ આવી રહી હતી. એ વખતે આ અકસ્માત સર્જાયો છે, જેમાં કુલ 24 જેટલી ગાયોના મૃત્યુનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે..

આ ઘટનાને લઈને જીવ દયા પ્રેમીઓમાં ખૂબ જ ઉંડો શોક છવાઈ ગયો છે, સવારના સમય આખો રેલવે ટ્રેક ગાયોના લોહીથી એકદમ રાતોચોળ બની ગયો હતો, આ અગાઉ પણ ઘણી બધી વાર રેલવે ટ્રેક ઉપર અજાણતા કોઈ વ્યક્તિ કે પશુ પક્ષી આવી જવાને કારણે તેમના દર્દનાક રીતે મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે..

જેમાં જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનનો વારંવાર આવી ઘટનાઓનો ભોગ બનતી હોય છે, પરંતુ અત્યારે એક સાથે કુલ 24 જેટલી ગાયો એક જ ટ્રેન નીચે કચડાઈ જવાને કારણે મૃત્યુ પામી છે, ગાય માતા સાથે થયેલી આ ઘટનાને લઈને દરેક લોકોમાં શોખનો માહોલ છવાઈ ગયો છે, તેમજ દુઃખની લાગણી પણ અનુભવાઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *