Breaking News

હે ભગવાન તું આટલો બધો નિર્દયી કેમ? જીદ કરીને દાદા સાથે ખેતરે ગયેલા પૌત્રને એવી રીતે મોત મળ્યું કે જે જાણીને તમારા કાળજા ધ્રુજી જશે…! વાંચો..

કેટલીક વાર આપડી નજર સામે જ એવી ઘટનાઓ બનવા પામે છે જે જેને જોયા બાદ આપડા કાળજા પણ ધમધમી જાય કે બિચારા સાથે ખુબ જ ખોટું થયું અને ભગવાન તેને સાચો ન્યાય અપાવે તો સારું. જયારે જ્યારે પણ નજર સામે ખુબ જ કરુણ દ્રશ્યો પસાર થાય છે ત્યારે ત્યારે દિલમાં ખુબ જ દયા પેદા થઈ જતી હોઈ છે.

અત્યારે એક એવો જ બનાવ સામે આવ્યો છે કે જેમાં પરિવાર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો છે કે હે ભગવાન તું આટલો બધો નિર્દયી કેમ..? શા માટે તમે અમારી સાથે જ આવું કર્યું..? પરતું કહેવાઈ છે ને ભગવાનની મરજી વગર એક પાંદડું પણ હલતું નથી. તેમ આ પરિવાર પણ કશું કરી શકે તેમ નથી.

આ ઘટના મંત્રનગરની ફાટક પાસે આવેલી રાજશ્રી સોસાયટીના રહીશની છે. આ સોસાયટીમાં ત્રિભોવનભાઈ સેલિયા તેમના પરિવાર સાથે રેહતા હતા, અત્યારે તેવો સમગ્ર પરિવાર સાથે ગામડે સમય પસાર કરવા માટે આવ્યા હતા. તેઓ રોજની જેમ પોતાને ખેતરે આંટોફેરો મારવા માટે નીકળી ગયા.

તેઓ જ્યારે ખેતરે જતા હતા ત્યારે તેમનો 8 વર્ષનો પૌત્ર જીયાંશ પણ તેમની સાથે આવવાની જીદ કરવા લાગ્યો હતો કે દાદા તમે મને સાથે વાડીએ લઈ જાવ. દાદાએ આવવામાં મોડું થાય એમ હોવાથી તેઓએ નાં પાડી હતી પરતું જીયાંશે જીદ પકડી હતી અને અંતે તેઓ જીયાંશને લઈને વાડીએ જવા ઘરેથી નીકળતા હતા..

ત્યારે જીયાન્શે તેના માતા-પિતાને કહ્યું હતું કે, મમ્મી-પપ્પા, હું દાદાની સાથે વાડીએ જાઉં છું અને જલ્દી જ પાછો આવી જાઈશ, માં-બાપે પણ તેના દીકરાને રાજીપે જવા દીધો પરતું તેઓને શું ખબર કે તેઓ તેમના દીકરાનો ચહેરો છેલ્લી વાર જોઈ રહ્યા છે. હકીકતમાં એવી ઘટના બની હતી કે માં-બાપ તો ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા છે.

જ્યારે ત્રિભોવન ભાઈ જીયાંશને લઈને ખેતરે જતા હતા ત્યારે રોડ પર મોતની ગતિએ આવતા એક ટ્રકે ત્રિભોવનભાઈ અને જીયાંશને અડફેટે લઈ લીધા હતા. આ અડફેટમાં રસ્તા વાળી બાજુએ જીયાંશ ચાલતો હોવાથી તે ટ્રકની ચપેટમાં આવી ગયો અને આ કાળમુખા ડમ્પરની ગતિથી તેની શરીર કચડાઈ ગયું હતું.

આ ગમખ્વાર અકસ્માતની અંદર 8 વર્ષનો જીયાંશ ખુબ જ કરુણ મોતને ભેટ્યો હતો. જ્યારે ત્રિભોવનભાઈને સામાન્ય ઈજાઓ પહોચી છે અને તેઓ બચી ગયા છે. તેઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બોલવા લાગ્યા હતા કે હે ભગવાન તું મને લઈ જા પણ મારા લાડકા ફૂલ જેવા પૌત્રને રેહવા દે..

પરતું હવે તો જીયાંશ ભગવાનના ખોલિયામાં ચાલ્યો ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી જીયાંશના માં-બાપને મળી ત્યારે તેઓતો આ સમાચાર સાંભળતા જ ત્યાંને ત્યાં ઢળી પડ્યા હતા. તેમનાથી અ ઘટનાનું દુખ સહન થઈ શક્યું નહી, હકીકતમાં કોઈ પણ માં-બાપ માટે હજુ પોતાના નાનકડા દીકરાના મોતના સમાચાર સાંભળવા ખુબ જ મુશ્કેલ કામ છે.

પરિવારના અન્ય સભ્યો કહેવા લાગ્યા કે હે ભગવાન તું આટલો બધો નિર્દય શા માટે..? આખરે અમારા દીકરાએ દુનિયાને બરાબર જોઈ પણ ન હતી અને એ પહેલા જ તેને તમારી પાસે બોલાવી લીધો છે. હકીકતમાં આ પ્રકારની ઘટના જ્યારે પણ બને છે ત્યારે ખુબ જ મોતનો માતમ છવાઈ જતો હોઈ છે..

કારણ કે નાના મરણનું દુખ સૌ કોઈ લોકોને લાગે છે પછી તે સગો સબંધી હોઈ કે મોટો દુશ્મન. આ ઘટનાએ ગામના સૌ કોઈ લોકોને શોકમાં ડુબાડી દીધા છે. આ અકસ્માતની ઘટનાને લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ સાથે જ સમાજના સૌ કોઈ લોકો જીયાંશના માં-બાપને આ દુખ સહન કરવાની હિમ્મત આઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *