જીવનમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિની સાથે આવતું અને જતું રહેતું હોય છે, લગ્ન થયા બાદ મહિલાઓ ઉપર તેમના પિયરની સાથે સાથે સાસરિયાની જવાબદારી પણ આવી બેસે છે, આ જવાબદારી ખૂબ જ મોટી જવાબદારી કહેવાય છે. જેમાં ઘણી બધી વાર તેમને માઠો અનુભવ પણ સહન કરવો પડતો હોય છે..
દરેક પરિસ્થિતિ ની અંદર તેઓ ખુશખુશાલ રહી શકે તેવું સાસરીયુ ભાગ્યે જ કોઈને મળે છે, કારણ કે આજના સમયની અંદર દરેક વ્યક્તિને પોતાની વાત તેમજ મનમાની ખૂબ જ વધારે વહાલી હોય છે, જો અન્ય કોઈ વ્યક્તિ તેમને સલાહ શીખામણ આપે તો કોઈ વ્યક્તિને ગમતી નથી એવી જ રીતે અત્યારે એક પરિણીત મહિલા તેના સાસરિયાવાળા લોકોથી એટલી બધી કંટાળી ચુકી હતી કે..
તેણે પોતાનો જીવ આપઘાત કરીને ટૂંકાવી દીધો હતો, જતા જતા તેણે એક ચિઠ્ઠીની અંદર એવું વાક્ય લખ્યું હતું કે, જે વાક્યને સાંભળતાની સાથે જ આ મહિલાના સગા સંબંધીઓ પોક મૂકીને રડવા લાગ્યા હતા. આ સાથે સાથે આ મહિલાએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તેની અંતિમ ચિખો સાંભળીને સૌ કોઈ લોકોના રુવાટા બેઠા થઈ ગયા હતા..
આ હચમચાવી દેતી ઘટના હિંગળાજ એપાર્ટમેન્ટ માંથી સામે આવી છે, આ એપાર્ટમેન્ટ રંગનાથ ચોકડી પાસે આવ્યો છે, જેના ત્રીજા માળે નીતિનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, નીતિનભાઈના પરિવારમાં તેમની પત્ની મોનિકાબેન તેમના બે દીકરા સ્મિત અને સનીનો સમાવેશ થતો હતો..
નીતિનભાઈ એક કારખાનાના મેનેજર હતા, નીતિનભાઈના વડીલ માતા પિતા વતનથી નીતિનભાઈના ઘરે જ રોકાવા માટે આવી પહોંચ્યા હતા, તેમના વડીલ મા બાપ હવે પથારી હોવાને કારણે મોનિકાબેનને તેમના સાસુ સસરાની સેવાચાકરી કરવાનો સમય આવી ચૂક્યો હતો. મોનિકાબેન તેમના સાસુ સસરાની નાની નાની બાબતોનું પણ ખૂબ જ વધારે ધ્યાન રાખતા હતા..
પરંતુ તેના સાસુ અને સસરા પથારીમાં સુતા સુતા મોનિકાને એવા શબ્દો અને વેણવચનો કહેતા કે, મોનિકાથી સહન થતા નહીં અને તેને તેના સાસુ સસરાના આ શબ્દો ખૂબ જ કડવા લાગવા લાગ્યા હતા, મોનિકા ઘરની તમામ જવાબદારીઓ સંભાળતી આ સાથે તેના સાસુ સસરાને પણ સારી રીતે દેખરેખ રાખતી હતી..
છતાં પણ તેની સાસુ પથારીમાં સૂતી સૂતી નાની-નાની બાબતોમાં તેને રોકટોક કરવા લાગતી હતી, આ ઉપરાંત તું પિયરમાંથી કશું લાવી નથી તારો બાપ બિલકુલ ગરીબ છે, તેમજ તારી માતાને પણ શું બોલવું અને શું ન બોલવું તેની ખબર પડતી નથી. વગેરે જેવા શબ્દો મોનિકાને તેની સાસુ કહેતી હતી..
મોનિકા પોતાની રૂકટોકને તો તે સહન કરી લેતી હતી, પરંતુ જ્યારે તેના માતા પિતા વિશે તેની સાસુ કહેવા લાગી ત્યારે તેનાથી સહન થયું નહીં અને તે તેની સાસુ સાથે લડાઈ ઝઘડો કરવા બેસી ચુકી હતી, આ લડાઈ ઝઘડો ધીમે ધીમે રોજબરોજનો બની ગયો હતો, રોજ સવાર પડતાની સાથે મોનિકાબેનને તેની સાસુ સાથે લડાઈ ઝઘડો થઈ જતો હતો..
રોજ રોજની આ માથાકૂટથી કંટાળી જઈને મોનિકાબેન ખૂબ જ ત્રાંસી ગયા અને એક દિવસ તેઓ એવું પગલું ભરી લીધું હતું કે, દરેક લોકો જોતાને જોતા જ રહી ગયા હતા. રાત્રિના સમયે સૌ કોઈ લોકોએ સાથે ભોજન લીધા બાદ મોનિકાબેન જેમના પતિ સાથે સૂઈ ગયા હતા, જ્યારે તેમના બંને બાળકોને તેમના સાસુ-સસરા પણ ઘોર ઊંઘમાં સુતા હતા..
ત્યારે સવારના પાંચ વાગ્યા આસપાસ મોનિકાબેન એપાર્ટમેન્ટની અગાસી પર ચાલ્યા ગયા અને ત્યાંથી તેઓએ છલાંગ લગાવીને પડતું મૂકી દીધું હતું, તેમની અંતિમ ચિખો વહેલી સવારમાં સમગ્ર એપાર્ટમેન્ટની અંદર ગુંજી ઊઠી હતી આ ચીખોને સાંભળીને નીતિનભાઈ પણ જાગી ગયા અને જોયું તો તેમની પત્ની એ પાંચમા માળેથી કૂદકો લગાવીને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધો હતો..
નીતિનભાઈ તો તેમની પત્નીને નીચે પડેલી હાલતમાં જોઈને ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા, એપાર્ટમેન્ટની અંદર રહેતા અન્ય લોકો તાબડતો નીચે પહોંચી ગયા અને મોનિકાબેનને હોસ્પિટલ માટે લઈ જવા માટે આમથી આમ દોડાદોડી કરવા લાગ્યા હતા, પરંતુ ઘટના સ્થળે તેમનું માથું ફાટી ગયું અને વધારે પ્રમાણમાં લોહી નીકળી જવાને કારણે હવે તેમને હોસ્પિટલે લઈ જવા પણ વ્યર્થ થતા કારણ કે..
તેમનો જીવ ઘટના સ્થળે જ ચાલ્યો ગયો હતો એપાર્ટમેન્ટના કેમ્પસ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં લુઇ જ લોહી દેખાવા લાગ્યું હતું, લોહીના ખાબોચિયા જોઈને ભલભલા લોકોને આંખે અંધારા આવી ગયા હતા, સવાર સવારમાં આ ઘટના બની જેને કારણે મોતનો માતમ છવાઈ ગયો હતો..
નીતિનભાઈના ઘરડા મા-બાપને પણ જ્યારે ખબર પડી કે, મોનિકાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, ત્યારે તેઓ પણ હલબલી ઊઠ્યા હતા, મોનિકાના વતન રેતા માતા-પિતાને આ વાતની જાણકારી મળતાની સાથે તેઓ વતનથી શહેરમાં આવવા માટે નીકળી ગયા હતા, મોનિકાએ પડતું મૂક્યું ત્યારે તેના હાથમાં એક અંતિમ ચિઠ્ઠી હતી..
આ ચિઠ્ઠી પણ લોહીથી પલળી ગઈ હતી. આ ચિઠ્ઠીની અંદર મોનિકાએ લખ્યું હતું કે, હે ભગવાન તમે મારા સંતાનોને સાચવી લેજો. હું આપઘાત કરીને જીવન ટૂંકાવવા જઈ રહ્યો છું, કારણકે હું હવે રોજબરોજના ત્રાસને સહન કરી શકીશ નહીં. મેં ક્યારેય પણ કોઈ વ્યક્તિ સાથે ખરાબ વર્તન કર્યું નથી..
છતાં પણ મારા સાસુ-સસરા મને હેરાન પરેશાન કરી રહ્યા છે, આ વાત વિશે મેં મારા પતિને પણ જણાવ્યું હતું. પરંતુ મારા પતિ પણ હવે મારો કોઈ પણ પક્ષ લેતા નથી, આ દુનિયામાં હવે મારું કોઈ રહ્યું નથી તો મારે દુનિયાની અંદર જીવીને કોઈ કામ નથી એમ કહીને તેઓએ જીવન ટૂંકાવી દીધું હતું..
તેઓએ તેમના સંતાનોની જવાબદારી ભગવાન ભરોસે છોડી દીધી હતી, જ્યારે આ બંને સંતાનોને ખબર પડશે કે તેમની માતા હવે આ દુનિયામાં રહી નથી ત્યારે તેમના ઉપર પણ આફતોના આભ ફાટી નીકળશે, પરંતુ અત્યારે તે ઉંમરના હોવાને કારણે વારંવાર તેમના મમ્મી ક્યાં છે અને ક્યારે આવશે તેમ કહીને બૂમાબૂમ કરી રહ્યા છે..
પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક હતી કારણ કે, આપઘાતના કિસ્સાએ સૌ કોઈ લોકોને હલબલાવી દીધા હતા, આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી કારણ કે, મોનિકાએ લખેલી અંતિમ નોટને આધારે પોલીસે નીતિનભાઈના માતા પિતાની પૂછપરછ શરૂ કરી હતી અને તેઓ શા માટે મોનિકાને ત્રાસ પહોંચાડતા હતા તેની માહિતી મેળવવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]