Breaking News

હવે ખેડૂતોને સહાય પેટે 2 હજારને બદલે મળશે 4 હજાર રૂપિયા, જાણી લો પૂરી રીત…

ભારત સરકારે ખેડૂતોને તેના ખાતામાં રૂપિયા નાખવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાણા ટ્રાન્સફર કર્યા હતા.

અત્યાર સુધીમાં ભારત સરકાર દેશના 11.50 કરોડના કરતાં પણ વધુ ખેડૂતોને તેમના બેંક ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ ટ્રાન્સફર કરી ચુક્યા છે પરંતુ આ વર્ષના નાણા હજુ સુધી ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને આ વર્ષના દસમા હપ્તા ના  નાણા ટૂંક સમયમાં જ તેમના ખાતામાં આપી દેવામાં આવશે.

ખેડૂતો ભારત સરકારની આ યોજનાનો લાભ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિના માં ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા આપી દેવામાં આવશે.

આ ઉપરાંત જે પણ ખેડૂતોને આગામી ૯ મા હપ્તાના પૈસા મળ્યા નથી એટલે કે જે ખેડૂતોને હજુ સુધીમાં 9માં હપ્તા નો લાભ મેળવી શક્યા નથી તે લોકોને ડિસેમ્બર મહિનામાં એક સાથે બે હપ્તા ના પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તા ના એટલે કે 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

પરંતુ સરકારની આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે. જે ખેડૂતનું સરકારી ચોપડે રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

શું પૈસા મળશે કે નહિ? : જો તમે PM કિસાન યોજના માટે નોંધણી કરાવી છે, તો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારું નામ આ યોજનાના લાભાર્થીઓ(Beneficiaries)ની યાદીમાં છે કે નહીં.

યાદીમાં તમારું નામ છે કે નહી તે ચકાસો આવી રીતે ચકાસો : સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જવું પડશે. તેના હોમપેજ પર, તમે ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ જોવા મળશે.

ફાર્મર્સ કોર્નર વિભાગની અંદર, તમારે લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *