Breaking News

હવામાન વિભાગે આપી કમોસમી માવઠાની મોટી આગાહી, આ તારીખે માવઠા કહેર મચાવવા પહોચી જતા ખેડૂતો ભારે ચિંતામાં..! વાંચો..

ખેતીનો મોટાભાગનો આધાર વાતાવરણ ઉપર રહેલો હોય છે. જો વાતાવરણની અંદર શહેર અમથો પણ બદલાવ આવે તો સૌ પ્રથમ ખેડૂતો ચિંતામાં ફરી પડતા હોય છે. કારણ કે ખેતરની અંદર ઉભેલા પાકને કમોસમી અનિયમિત વાતાવરણ માફક આવતું નથી. અત્યારે શિયાળા અને ઉનાળાની વચ્ચેની આ ઋતુમાં એક ગંભીર સમાચાર સામે આવી ગઈ છે..

હવામાન વિભાગ દ્વારા અત્યારે આગાહી આપતા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં માવઠા વરસવા જઈ રહ્યા છે. શિયાળાનો ઠંડીનો સમય હવે પૂર્ણ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને વાતાવરણની અંદર એકાએક પલટો આવીને બળબળતા તાપનો અનુભવ પણ લોકો કરવા લાગ્યા છે..

તાપમાનનો પારો દિન પ્રતિદિન ઉપર ચડી રહ્યો છે. પરંતુ આવા વાતાવરણમાં અચાનક જ વાતાવરણની અનિયમિતતાની સ્થિતિ સર્જાય છે અને માવઠું આવવા જઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં 4 તારીખથી 6 તારીખ સુધી માવઠા વરસવાની આગાહી રહેલી છે..

તો બીજી બાજુ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી સમયમાં હળવાથી મધ્યમ માવઠાઓ વરસશે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. આ માવઠા અંદાજે ત્રણ દિવસ સુધી અસર દેખાડે તેવી શક્યતા રહેલી છે. અત્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ઓછામાં ઓછું તાપમાન 20 ડિગ્રી નોંધાયુ છે..

ઉનાળાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ અને પવન ફૂંકાવાની ઝડપ જોતાં વરસાદ આવનારા સમયમાં કેરી જેવા બાગાયતી પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે તેવી પણ શક્યતા રહેલી છે. ભારતના દક્ષિણ તેમજ પૂર્વના કેટલાક રાજ્યોમાં પણ અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાઈ ગયો હતો..

અને ત્યારબાદ ત્યાં અતિશય ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. આ અસરની સાથે સાથે બિહારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું હતું. જેના કારણે ખૂબ જ મોટું જોખમ ઊભું થયું છે, દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક પ્રમાણમાં પાકે છે. આંબા ઉપર મોટી માત્રામાં મોર પણ આવી ગયો છે. અને જો આ સમયે વરસાદી માવઠા વરસશે તો કેરીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થશે..

તેવી શક્યતાઓ રહેલી છે, કેરીનો પાક લેનારા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેવી સ્થિતિ જણાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘઉંનો પાક ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવામાં આવ્યો છે. તો બીજી બાજુ ભરૂચ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ કપાસના ઉભેલા પાકને પણ સારી એવી નુકસાની થશે તેવી સ્થિતિ જાણી રહી છે..

ચોમાસાની સીઝન પૂરી થયા બાદ માવઠાઓ આવી પહોંચતા હોય છે. જેનાથી ઘણી બધી નુકસાની પણ જતી હોય પરંતુ આ વર્ષે માવઠાનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં વરસવા જઈ રહેલા માવઠાઓ કેવા સાબિત થાય તેના ઉપર સૌ કોઈ લોકોની નજર છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *