હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી દેતા ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. આ આગાઉ પણ હવામાન વિભાગે તેમજ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને અશોક પટેલેએ આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઠંડા પવનોની સાથે સાથે માવઠાઓ વરસશે..
એ મુજબ માવઠાઓ ભારે કહેર મચાવ્યો હતો. અત્યારે પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. આ આગાહી મુજબ જણાવ્યું છે કે, આવતીકાલથી જ હવામાનમાં અચાનક પલટો આવશે અને ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ બનતું જશે. ઠંડીનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે. દરેક જીલ્લાના લઘુતમ તાપમાનમાં મહત્વપૂર્ણ ઘટાડો થતા લોકોએ ઠંડીથી રાહતનો શ્વાસ લીધો છે.
26 તારીખ અને 27 તારીખના રોજ આકાશમાં કાળા ભમ્મર વાદળો ખેંચાઈને આવશે. તેમજ 28 તારીખના રોજ ગુજરાતમાં ભારે માવઠાઓ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં કઈક નવા જૂનીના સંકેતો દેખાયા છે.
એ મુજબ હાલ 4 દિવસ તો કોઈ વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. અને 5માં દિવસથી એટલે કે અંદાજે 28 અને 29 તારીખના રોજ ભારેથી અતિભારે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આ માવઠાની અસર ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં વધારે પડશે તેવી આશંકાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
મહેસાણા, ડીસા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર તેમજ મહેસાણામાં માવઠાની વધારે પડતી અસર જોવા મળશે. શિયાળો ચાલુ થયો એ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ માવઠાની આગાહી આવતા હવે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે.
માવઠાઓ જશે ત્યારબાદ વાતાવરણમાં ફરીવાર ઠંડીને માહોલ પ્રસરી જશે અને લોકોને ભારે ઠંડીનો પણ સામનો કરવો પડશે. કમોસમી વરસાદની આ આગાહીને લીધે ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. આ માવઠાઓ જતા રહે ત્યાર બાદ નવા વર્ષની શરૂઆતમાં જ ભારે ઠંડી પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર નલીયામાં લઘુતમ તાપમાન 15 ડીગ્રી નોંધાયું છે એટલે કે માત્ર 3 જ દિવસમાં તાપમાનમાં 10 ડીગ્રીનો ફેરફાર થયો છે. કંડલામાં લઘુતમ તાપમાન 17 તો ભુજમાં 16 નોંધાયું છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની હળવી અસરોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]