Breaking News

અંબાલાલ પટેલની મોટી આગાહી : હજુ પણ આટલા દિવસ સુધી ભારે વરસાદ વરસશે, વાંચો ક્યા કેટલો પડશે વરસાદ..!

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ ચોમાસુ જતાં જતાં પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ બનાવી રહ્યું છે. એક બાજુ ચોમાસાની વિદાય નો સમય થઈ ચુક્યો છે અને એકબાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ જામતો જાય છે, તો એક બાજુ મેઘરાજાના આ પ્રકારના વલણના કારણે ખેલેયાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગે આગાહી આપતા કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું  8 તારીખે પૂર્ણ થશે ત્યારબાદ વાતાવરણમાં અચાનક પલટો જણાતા તારીખ આગળ વધીને 22 ઓક્ટોબર જણાવી હતી. પરતું આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે જેમ જેમ ચોમાસાની વિદાય વેળા નજીક આવતી જાય તેમ તેમ ભેજનું પ્રમાણ વધતા વરસાદી માહોલ જામતો જાય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રોજ વરસાદી ઝાપટા પડે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ આણંદ અને સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, દિવ, પોરબંદર તેમજ ગીર સોમનાથમાં હજુ પણ વરસાદ આવશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

દક્ષીણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને દમણમાં હળવા થી મધ્યમ વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. નવરાત્રિના પવિત્ર તહેવારમાં પણ મેઘરાજાએ દસ્તક આપી દીધી છે. રાજકોટના ગોંડલમાં ચાર ઈચ વરસાદ તો ભરૂચના અંકલેશ્વરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ તેમજ કોટડા સાંગણી તાલુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

સાવરકુંડલા વિસાવદર રાધનપુર અને કપરાડા તાલુકામાં એક-એક ઈચ જેટલો વરસાદ નવરાત્રિની સીઝન નોંધાયો છે. આ વરસાદ નોંધાતા જ ખેલૈયાઓને ગરબા ના રંગમાં ભંગ પડ્યો છે. ઉત્તર ભારત સહિતના મોટાભાગના રાજ્યોમાં હવે ચોમાસુ વિદાય લેવાની વેળાએ છે.

ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ વરસાદ અતિભારે કે ભારે નહીં હોય પરંતુ જુદા જુદા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં રૂપે પડશે. આ બે દિવસથી છૂટા છવાયા ઝાપટા પડયા બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે.

અત્યારે ગુજરાતમાં મિક્સ વાતાવરણ જોવા મળ્યું છે. એટલે કે સવારે થોડી ઘણી ઠંડીનો ચમકારો દેખાય છે. તો બપોરે ૪૦ ડિગ્રી નો પારો ચડી જાય છે. તો બપોર પછીના સમયે છુટ્ટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસે છે. આમ અત્યારે ત્રણે-ત્રણ સિઝન એક સાથે જોવા મળે છે.

આવા સમયે નાના બાળકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કેમ કે ત્રણે ત્રણ ઋતુ એક સાથે આવવાથી ખોરાક અને પાણી ફેર થતા શરીરમાં વાયરલનું ઇન્ફેકશન વધી જાય છે. તેથી હવા જન્ય કે પાણી જન્ય રોગો થવાની સંભાવના વધારે રહે છે.

આ વર્ષે ચોમાસું ખુબ જ અનિયમિત રીતે વરસ્યું છે. દક્ષીણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસીને ખુબ જ નુકસાન સર્જાયું હતુ. તો બીજી બાજુ મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ એકંદરે મધ્યમ રહ્યો હતો. તો ઉત્તર ગુજરાતના સાબર કાંઠા અને બનાસ કાંઠામાં તો વરસાદ ખુબ જ ઓછો વરસ્યો હતો.

12 તારીખના રોજ દક્ષીણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.

13 તારીખના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. તો વળી 14 અને 15 તારીખે વાતાવરણ સુક્કું રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *