આજકાલ લોકો રસ્તા પર ઉભા રહેવામાં પણ સુરક્ષિત રહ્યા નથી. રસ્તા ઉપર શાંતિથી ઉભા હોય ત્યારે અચાનક તેમની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકોને પોતાના ઘરની બહાર નીકળતા જ તેમની સાથે જીવલેણ ઘટનાઓ બની રહી છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે.
આ ઘટના બાડમેર જિલ્લાના ગુડામલાની અન્નપૂર્ણા આશ્રમ પાસે બની હતી. બુથ જેતલમલ ધોરીમન્નાના રહેવાસી યુવક પોતાના ધંધેથી ઘરે જવા માટે નીકળ્યા હતા અને આ યુવક ધર્મભારતી બાગાભારતીનો દીકરો પ્રકાશ ભારતી સાંજના સમયે પોતાના ઘરે જવા માટે ધંધેથી નીકળ્યો હતો. પ્રકાશ ભારતીની ઉમ્ર 40 વર્ષની હતી. પ્રકાશ ભારતી ચાની હોટલ ચલાવતા હતા.
તેઓ દરરોજ સવારના સમયે હોટલે પહોંચતા અને સાંજ થતાં તેઓ ઘરે જવા માટે નીકળતા હતા. તેઓ હોટલના માલિક હતા. એક દિવસ સાંજના સમયે હોટેલેથી ઘરે જવા માટે તેઓ હોટલની બહાર નીકળ્યા અને ત્યાં રોડ ઉપર રીક્ષાની રાહ જોઈને ઉભા હતા, તે સમયે એક બાઈક ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં સામેની તરફથી આવી રહ્યો હતો,
પ્રકાશ ભારતી રોડની સાઈડ પર ઉભા હતા અને તેઓ રીક્ષાની બીજી તરફ રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે તેમને સામેની તરફથી આવી રહેલા બાઇક ચાલક પર ધ્યાન ન હતું અને બાઈક ચાલક ખૂબ જ ખરાબ રીતે પોતાનું બાઈકનું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તે બજાર તરફથી આવી રહ્યો હતો અને બાઇક ચાલકે અચાનક જ પ્રકાશ ભારતીને ટક્કર મારી દીધી હતી.
ટક્કર મારતા જ પ્રકાશ ભારતી રોડ પર પડી ગયા હતા. જેના કારણે તેમને માથામાં રોડ વાગી જવાથી ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જાતા તરત જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રકાશ ભારતીને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી વાહન લઈને ગુડામલાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં તેમની પ્રાથમિક સારવાર ચાલુ કરાવવામાં આવી હતી પરંતુ ખૂબ જ સ્થિતિ ગંભીર બની ગઈ હતી. જેના કારણે તેમના પરિવારના લોકોને હોસ્પિટલના લોકોએ જાણ કરી હતી અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરિવાર ચિંતામાં આવીને હોસ્પિટલ પહોંચ્યું હતું.
પરંતુ પરિવાર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રકાશ ભારતીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ગુડામલાણી પોલીસ તપાસ કરી રહી હતી અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાને ચેક કરી રહી હતી. પરિવારના લોકોએ આ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ બાઇક ચાલકની તપાસ કરી રહી હતી.
એક યુવક પોતાના ધંધેથી ઘરે જવા માટે નીકળતા જ નિર્દોષ રીતે તેમની સાથે આવી ઘટના બની જતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પરિવારને મળે તે પહેલા જ તેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. જેના કારણે પરિવારના લોકો પોતાના અંગત વ્યક્તિઓને ગુમાવી રહ્યા છે…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]