Breaking News

હડકાયા કુતરાની લાળ 5 વર્ષની ખુશીને અડી જતા 6 મહિના બાદ હડકવા ઉપડ્યો, અંતે થયું એવું કે તડપીને થયું મોત..!

જાહેર રસ્તા ઉપર રખડતા કૂતરાઓ ઘણી બધી વાર રાહદારીઓ માટે ખૂબ જ મોટી આફત બનીને ત્રાટકી પડતા હોય છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકો તંત્રની ઢીલાશ પડતી કામગીરીને જવાબદાર ગણાવી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા બધા સમયથી કુતરાઓ સામાન્ય માણસને હેરાનગતિ પહોંચાડતા હોય તેવા ઘણા બધા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે..

માત્ર થોડા દિવસ પહેલા જ ખજોદ વિસ્તારમાં ત્રણ કુતરાઓએ એક માસુમ બાકીને ચૂંથી નાખી હતી અને ત્યારબાદ આ બાળકીનું મૃત્યુ થયું હતું અને અત્યારે આજથી છ મહિના પહેલા એક હડકાયા કૂતરાની લાળને કારણે સાડા પાંચ વર્ષની માસુમ ખુશી નામની દીકરીનું મૃત્યુ થયું છે. આ બનાવો રાંદેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલી સંત જ્ઞાનેશ્વર સોસાયટીની છે..

અહીં જૈનિશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. તેઓની સાડા પાંચ વર્ષની દીકરી ખુશી સાથે આજથી છ મહિના પહેલા તેઓ ચાલીને જતા હતા. એ વખતે અચાનક જ એક કૂતરું દોડીને તેની પાસે આવી ગયું હતું. નાનકડી આ દીકરી કુતરાને જોઈને ગભરાઈ ગઈ હતી અને તે નીચે પડી જતા તેને ઈજા પહોંચી હતી..

કુતરાએ તેને બચકું તો ભર્યું હતું નહીં, પરંતુ આ હાડકાયા કૂતરાની લાળ દીકરીને જે ભાગે ઈજા પહોંચી હતી ત્યાં સંપર્કમાં આવવાને કારણે છ મહિના પછી આ દીકરીને હડકવા ઉપાડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી આ બાળકીમાં હડકવાના લક્ષણો દેખાઈ આવતા તરત જ તેના માતા-પિતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા..

અને ત્યારબાદ તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ આ બાળકીનો જીવ બચાવી શકાયો નથી અને ખુશીનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે તેના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી હતી નહીં, તેમજ પરિવારજનો પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..

કારણ કે માત્ર સાડા પાંચ વર્ષની આ દીકરીનું એવી રીતે મૃત્યુ થયું છે કે, જેને જાણતાની સાથે જ સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ જાય છે. આ ગંભીર ઘટનાની બાબત સામે આવતાની સાથે સૌ કોઈ લોકો તંત્ર સામે સવાલ ઉઠાવવા લાગ્યા છે કે, ખસીકરણની ઘણી બધી પ્રક્રિયાઓ બાદ પણ કુતરાઓને ફરીથી ખુલ્લામાં છોડી દેવામાં આવે છે..

અને હડકાયેલા કુતરા શહેરમાં ખુલ્લેઆમ રખડતા હોવાથી ગમે તે વ્યક્તિના જીવનું જોખમ ઊભું કરી દે છે. શહેરી વિસ્તારમાં રખડતા કૂતરાઓની સાથે સાથે પશુઓ પણ સામાન્ય વ્યક્તિનો જીવ લઈ બેસે છે. જેને લઈને તંત્ર કોઈ સારી કામગીરી કરે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *