આપણી આસપાસ ઘણા બધા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ઘરની બહાર નીકળતા ડગલેને પગલે લોકો સાથે અચાનક જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આજકાલ લોકો પોતાનું વાહન ધીમુ ન ચલાવીને મોજશોખ માટે ઝડપી વાહન ચલાવી રહ્યા છે. જેના કારણે હાલમાં એવી એક ઘટના બની ગઈ હતી. જે જાણીને દરેક લોકોના હૃદય ધ્રુજી ગયા હતા.
આ ઘટના બુંદીના હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામ પાસે બની હતી. બુંદીથી હિંડોલી તરફના નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો ખૂબ જ સર્જાઈ રહ્યા છે પરંતુ હાલમાં એવો દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલકે ચાર બાઇકને ટક્કર મારી દીધી હતી. ચાર બાઈક ચાલકો બુંદીથી હિંડોલી તરફ જઈ રહ્યા હતા.
તેઓ આગળ પાછળ પોતાની બાઈક લઈને જતા હતા અને તે સમયે સામેની તરફથી હિંડોલી બાજુથી સ્વીફ્ટ કાર લઈને એક કાર ચાલક ખૂબ જ ઝડપી સુધીમાં આવી રહ્યો હતો. આ કાર ચાલકે પોતાની કાર પર કાબુ ગુમાવ્યો અને કાર સીધી ડિવાઇન્ડર સાથે અથડાઈ ગઈ હતી. કાર બેકાબુ બનીને ડિવાઇડર સાથે અથડાઈને બીજી તરફ ઉછળીને આવી ગઈ હતી.
અને ત્યાં જઈ રહેલા ચારેય બાઇક સવારને અડફેટે લીધા હતા. આ સમયે બાઇક ચલાવી રહેલા વિજયગઢમાં રહેતા રાકેશ મીના તેમની ઉંમર 29 વર્ષની હતી અને વિજય ગઢમાં જ રહેતા બીજા યુવક મહાવીર તેમની ઉંમર 50 વર્ષની હતી. બીજા બાઈક ચાલકો પણ કારની ટક્કર લાગતા ફગોવાઇને રોડ સાથે ભટકાયા હતા.
તેઓની બાઇક પણ રોડ પર સ્લીપ મારી ગઈ અને અકસ્માત સર્જાતા તરત જ લોકોએ પોતાના વાહનો હાઇવે પર અટકાવી દીધા હતા અને દરેક અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને બચાવવા માટે દોડી ગયા તરત જ એમ્બ્યુલન્સને પણ ફોન કરી દેવામાં આવ્યો અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે કોટા હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા જ્યારે મહાવીર અને રાકેશભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું જેના કારણે તે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તે બંનેના પરિવારના લોકોને પોલીસે તેમની સાથે અકસ્માત સર્જાયો હોવાની જાણ કરી હતી.
અકસ્માત બન્યા બાદ કાર ચાલક પોતાની કાર આ જગ્યા પર છોડીને ભાગી ગયો અને તેમને સ્થાનિક લોકોએ પકડવાની ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ તે લોકોના હાથમાંથી છૂટીને ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો ત્યારબાદ પોલીસે ટ્રાફિકને હળવી કરી હતી.
અને હાઇવે પર અકસ્માત સર્જાયેલી બાઈક અને કારને રસ્તાની એક બાજુ પર ખસેડી લેવામાં આવ્યા હતા. રાકેશ અને મહાવીરની સાથે રહેલા તેમના બે બાળકોના પણ મૃત્યુ થઈ ગયા હતા. એક જ સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા સૌ કોઈમાં હાહાકાર મચી ગયો અને આવા અકસ્માતો સર્જાતા એક વ્યક્તિની ભૂલને કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]