Breaking News

મમ્મી, ‘હું ગુલાલ લઈને હોળી રમવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા 3 દીકરાની લાશ મળતા માં-બાપ ચક્કર ખાઈ ઢળી પડ્યા, કાળજું ફાડતો બનાવ..!

હોળી ધૂળેટીના આ ઉત્સવમાં સૌ કોઈ લોકો રંગે ચંગે કલર અને પાણી તેમજ ગુલાલથી રમે છે. નાના બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકો માટે આ ઘડી ખૂબ જ ખુશીઓ ભરી સાબિત થતી હોય છે. પરતું અમુક માઠી ઘટનાઓ ન બને તેનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મોજ મસ્તીમાં ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી..

હોળી ધુળેટીના તહેવારમાં કેટલાક લોકો સોસાયટી તેમજ ફાર્મ હાઉસ ઉપર હોળી રમે છે, તો કેટલાક લોકો કોઈ ફરવાની જગ્યાએ પરિવારજનોની સાથે મોજ મસ્તી કરે છે. બિહારના સમતીપુરામાં રેહતા ત્રણ દીકરા હોળી રમવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી તેઓ ઘરે પરત ન ફરતા માતા-પિતાના હોશ ઉડી ગયા હતા..

આ ઘટના પ્રતિસમજ પાસેના રેલવે બ્રિજ પાસેથી પસાર થતી ખાડીની છે. 18 વર્ષનો રોહિત, 14 વર્ષનો ઊર્મિત અને 22 વર્ષનો મૌલિક નામના ત્રણ દીકરા તેની માતાને ઘરેથી કહીને નીકળ્યા હતા કે, મમ્મી હું ગુલાલ લઈને હોળી રમવા માટે જાવ છું. પરંતુ આ ત્રણ દીકરા હોળી રમવાને બદલે રમતા રમતા રેલવે બ્રિજ પાસેથી પસાર થતી ખાડી પાસે પહોંચી ગયા..

અને ત્યાં ખાડીમાં રહેલા પાણીની અંદર નાહવા કૂદી ગયા હતા. આ ત્રણમાંથી એક પણ વ્યક્તિને તરતા આવડતું હોતું નહીં છતાં પણ તેઓ આ ખાડીની અંદર નાહવા માટે કૂદી ગયા અને અંતે એક પછી એક ઊંડા પાણીમાં ફસાઈ જવાને કારણે ડૂબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બૂમોનો લગાવવા લાગ્યા, પરંતુ ત્યાં આસપાસ કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાને કારણે તેમનો જીવ બચી શક્યો નહીં..

અને ત્રણેય વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતા. આ ત્રણ વ્યક્તિ જ્યારે ખાડી પાસે નાહવા માટે ગયા ત્યારે તેમણે તેમના મિત્ર વિવેકને કહ્યું હતું કે, હોળી રમ્યા બાદ તેઓ શરીર પર લાગેલો કલર કાઢવા માટે ખાડીની અંદર નહાવા માટે કૂદી રહ્યા છે. પરંતુ વિવેકે તેમની સાથે આવવાની મનાઈ કરી દીધી હતી..

જ્યારે સાંજના સમય સુધી પણ આ ત્રણેય દીકરાઓ તેના ઘરે પરત આવ્યા નહીં ત્યારે આ ત્રણેય દીકરાની માતા મમતાબેનને ખૂબ જ ચિંતા થવા લાગી હતી કે તેમના દીકરાઓ ક્યાં ગયા હશે અને કઈ હાલતમાં હશે, તેઓએ તરત જ વિવેકને ફોન કરીને પૂછ્યું કે, તેમના દીકરા શા માટે ઘરે આવ્યા નથી..

ત્યારે વિવેકે જણાવ્યું કે, તેઓ હોળી રમ્યા બાદ શરીર પર લાગેલો રંગ કાઢવા માટે નજીકમાં આવેલી ખાડીમાં નાહવા માટે કૂદયા હતા અને ત્યાર પછી તેઓ ક્યાં ગયા છે, તેની કોઈ પણ પ્રકારની ખબર રહી નથી. જ્યારે આ ખાડી પાસે પહોંચયા ત્યારે ત્યાં ત્રણેય બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા..

આ જોતાની સાથે જ સૌ કોઈ લોકો સમજી ગયા કે, આ ત્રણે બાળકો આ ખાડીની અંદર ડૂબી ગયા છે. તાત્કાલિક ધોરણે તરવૈયાની મદદ લેવામાં આવી અને ખાડી ની અંદર ચેકિંગ કરતાની સાથે જ આ ત્રણેય બાળકોની લાશ મળી આવી હતી. 3 જુવાનજોધ દીકરાઓને મૃત હાલતમાં જોઈને મમતાબેનના ડોળા ફાટી ગયા..

કારણકે આ ત્રણેય દીકરાઓ ગુલાલ લઈને હોળી રમવા માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફરવાની બદલે ત્રણે દીકરાની લાશ મળી આવતા મા-બાપ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા. તો આસપાસ રહેલા સૌ કોઈ લોકોનો કાળજુ ફાટી ગયું હતું. કારણ કે, કોઈપણ વ્યક્તિ માટે આવી દુઃખદના સહન થતી નથી..

જ્યારે જ્યારે તહેવારનો સમય આવે છે, ત્યારે ત્યારે માઠી ઘટના બનવાના યોગ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં બની જતા હોય છે. ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. જો સહેજ અમથી પણ ચૂક થઈ જતી હોય તો ક્યારેક એવી ઘટના બને કે, પાછળ જઈને પછતાવાનો વારો આવી જતો હોય છે..

મમતાબેન જોરજોડથી રડતા રડતા કહેતા હતા કે, તેના ત્રણેય દીકરાઓ હોળી રમવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. કદાચએ સમયે તેમણે આ ત્રણેય દીકરાને રોકીને સોસાયટીમાં જ હોળી રમવા માટે કહ્યું હોત તો આજે આ બનાવ બન્યો હોત નહીં, મમતાબેન ને સંભાળવા માટે તેમના આસપાસના પડોશીઓ પણ આવી પહોંચ્યા હતા..

આ ત્રણેય બાળકોની લાશને બહાર કાઢવામાં આવી છે અને આવતીકાલે તેમના અંતિમ સંસ્કારની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે, હોળીની ખુશીઓની વચ્ચે મોતનો માતમ છવાઈ ગયો છે. આ બનાવ હોળીના દિવસે સવારે બન્યો હતો. આ બનાવ બનતા ની સાથે જ હોળીના પછીના દિવસે ધુળેટીનો કાર્યક્રમ પણ બંધ રાખવામાં આવ્યો હતો..

આ અગાઉ પણ હોલિકા દહન જોવા જતી વખતે એક બાળકનું કરંટ લાગવાને કારણે મૃત્યુ થઈ ચૂક્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી, પાણીમાં પાળવાથી માંડીને પાક્કા કલરથી રમવા સુધી હોળીમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *