Breaking News

“ગુલાબ” અને “શાહીન” પછી ગુજરાત પર ત્રાટકશે નવું ચક્રવાત.. જાણો હવામન વિભાગની આગાહીઓ..!

ગુજરાતમાં એક પછી એક આફતો આ વર્ષે આવતી જ ગઈ છે. પેહલા તાઉ તે વાવાઝોડું, ત્યાર બાદ યાસ વાવાઝોડાની અસર , ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વિનાશકારક વરસાદ અને તે બાદ ગુલાબ અને શાહીન વાવાઝોડું… તેમજ હવે એક નવું સંકટ ગુજરાત તરફ પ્રયાણ કરતું હોય તવું લાગી રહ્યું છે.

અરબ સાગરમના મધ્ય પૂર્વ વિસ્તારમાં એક ઉપર હવા સાઈકલોનિક સરક્યુલેશન સર્જાયું છે જેના લીધે તે પવનનું ચક્રવાત બની ગયું છે. આ ચક્રવાત ધીમે ધીમે મજબુત નતું જાય છે. આ માહિતી હવામાન વિભાગે નકશાનું નિરીક્ષણ કરીને જણાવી છે. જેથી કરીને કોઇપણ આફત આવે તે પહેલાની પ્રી કામગીરી હાથે ધરી શકાય…

આ ચક્રવાત ગુજરાત તરફ આગળ આવતા જ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વિજળીના કડાકાં સાથે ભારે પવન ફૂંકાવાની શકયતા છે. આ ચક્રવાત એટલું મોટું છે કે તેમાં આખાને આખા વિસ્તાર પણ સામેલ થઈ જાય. પવનનું આ ચક્રવાત અર સાગરની સપાટીથી 4.5 કિલોમીટર જેટલું ઊંચું છે.

નવરાત્રિના ત્રીજા દિવસે રાજયમાં જુદા જદા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં તો ભારે વરસાદ ખાબક્યો છે. ગોંડલના ગામડા અને શહેરમાં પણ અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં ગોંડલ 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળ્યા છે. તો ગોંડલ પંથકના દેવચડી, બાદરા, કંટાલિયા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

આ ચક્રવાત હજુ ગુજરાતથી ઘણું દુર છે એટલે દરિયા જ સમેટાઈ શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે પરંતુ તેના પવનની અસર ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ થશે. કારણકે આ પવન ભેજ વાળો હોવાથી તે વરસાદને ખેંચી લાવે છે.

ગુજરાતમાં આ ચક્રવાતનો પવન દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. અને વરસાદ લાવશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે આ વર્ષનું ચોમાસું પૂર્ણ થવામાં જાજી વાર નથી. ગુજરાતમાં ચોમાસુ પૂર્ણ થતા હજી 11 દિવસ સુધીની વાર લાગી શકે એમ છે.

ગુજરાતમાં ચોમાસું 7 તારીખે પૂર્ણ થવાનું હતું જ્યાર બાદ આ ચક્રવાતનું સંકટ દેખાતા હવામાન વિભાગે 22 ઓક્ટોબરના રોજ ચોમાસું પૂર્ણ થશે તેવું જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે.

તો મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ચક્રવાતના લીધે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા પણ ગાંડાતૂર બનશે. ચક્રવાત ખુબ મોટું છે એટલે ભારે પવનની સાથે સાથે દરિયામાં ખુબ મોટા મોજા ઊછળશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

આ સિસ્ટમની અસરને પગલે ગઈ કાલે દક્ષીણ ગુજરાતના શહેરોમાં મોંડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવવાની સાથે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રકારનું વાતાવરણ 11 ઓક્ટોબર સુધી રહેવાની શકયતા છે. છેલ્લા 2 દિવસથી રોજે અસહ્ય બફારો થતો હતો જે વરસાદ આવતા જ નસ્ટ થયો હતો.

પરંતુ સાંજે એકાએક વાતાવરણમાં બદલાવ થતાં ઠંડા પવન શરૂ થયા હતા. ચક્રવાતની અસરના પગલે આજે પવનની દિશા પણ બદલાઈને દક્ષિણ પૂર્વની પ્રતિ કલાક ચાર કિલો મીટરની ઝડપની નોંધાઈ હતી. અગાઉ જ હવામાન વિભાગે દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

તેના લીધે સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો હતો : સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા વરસાદ તુટી પડ્યો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વરસાદની તોફાની બેટિંગમાં સૌથી વધારે પ્રભાવિત વરાછા અને વરાછા બી ઝોન થયા હતા. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો અને વત્તો ઓછો વરસાદ જોવા મળ્યો હતો. જો કે વરાછામાં તોફાની વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા.

ગાજવીજ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજી પણ આગામી 3 દિવસ વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓની મજા બગડે તેવી શક્યતા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *