છેલ્લા પંદર દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાઓ વરસી રહ્યા છે. માવઠાઓ વરસ્યા બાદ શિયાળો અને ઠંડીતો ક્યાંક સંતાઈને બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બપોરે તો આટલી ગરમી થાય છે કે જાણે ઉનાળો હોય તેવું લાગે છે. પરંતુ ગુજરાતમાં ઠંડી અને માવઠાને બાબતે હવામાન વિભાગ તેમજ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે…
હજુ પણ કેટલાક ભાગોમાં ભારે માવઠાઓ થઇ શકે છે. તેમજ જો અરબ સાગરમાં હળવા લો પ્રેશર અને બંગાળની ખાડીમાં પણ હળવાથી ભારે લો પ્રેસર જાશે તો વાવાઝોડાની પરિસ્થિતિ પણ ઉદ્ભવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા હળવા દબાણ ઉત્પન્ન થશે..
જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે માવઠાની શક્યતાઓ સેવાઇ રહી છે. તેમજ નવેમ્બર મહિનાની 29 તારીખે સૂર્ય અને બુધ યુતિ થતાં હવાનું હળવું દબાણ થશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને પૂર્વે ગુજરાતના તટ ઉપર હવાનું દબાણ વધશે. માગશર મહિનામાં સામાન્ય રીતે વાદળો હોય તો સારું રહેશે..
તેમજ માગશર મહિનામાં વરસાદનો ગ,ર્ભ બંધાયો હોય છે. એટલે જો આ ગ,ર્ભ સારી રીતે બંધાય તો ચોમાસામાં વરસાદ સારો થશે. તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે શિયાળામાં ચારેય પૂનમઓ ના દિવસે વાદળ વાતાવરણ હોય તો સારું રહેશે.
તેમજ માગશર મહિનામાં સાતમ, આઠમ અને નોમના દિવસે વાદળો રહેશે તો પવનની દિશા પણ સારી બનેલી રહેશે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે. તેમજ તેનું હળવું દબાણ પણ દેશના ઘણા ભાગોમાં અસર કરશે.
આ ઉપરાંત ચક્રવાત પણ ત્રાટકી શકે છે. અરબ સાગરમાં હવાની ગતિવિધિઓને કારણે વાવાઝોડું પણ પેદા થઇ શકે તેમ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠા વરસશે. આમ થવાના લીધે થી જિલ્લા અને કપાસના પાક પર ભરપૂર માત્રામાં નુકસાનની શક્યતાઓ રહેલી છે.
ડિસેમ્બર મહિનામાં સાત, આઠ અને નવ તારીખ માં અત્યંત ભારે ઠંડી પડશે તેવું અંબાલાલ પટેલે તેમજ હવામાન વિભાગે જણાવ્યું છે. તો ડિસેમ્બર મહિનાની 19 તારીખ થી હવામાનમાં અચાનક જ આવશે અને 22 તારીખ સુધીમાં તો દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને હાડ થીજાવતી ઠંડી ઓ શરૂ થઈ જશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]