ગુલાબ વાવાઝોડુ ઓડીશાના દરિયા કિનારેથી પ્રવેશી ગયું છે અને હવે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ઓડીશા માંથી ધીમે ધીમે મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આવી રહ્યું છે. ત્યાર બાદ એ પાકિસ્તાન થઈને ઓમાન તરફ ફંટાશે તેવું અનુમાન વેધર વિભાગનું છે. આ વાવાઝોડાની ભયંકર અસરોને લીધે ઓડીશા અને આંધ્ર પ્રદેશના અમુક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
હવે વાવાઝોડું ગુજરાત તરફ આવતા ચિંતા વધી ગઈ છે. હજુ તાઉ તે વાવાઝોડું ગયું જ છે ત્યાં હવે એક નવી મુસીબત ઉભી થઈ છે. ગુલાબ વાવાઝોડાની અસર આખા ગુજરાત પર પડશે તેવી આગાહી કરી છે. આ વાવાઝોડું એટલું વિશાળ છે કે તેની ચપેટમાં આવતા જ તબાહ કરી નાખે છે.
તે ગુજરાતમાં દક્ષીણ તેમજ મધ્ય અને ઉત્તર ના ભાગો માંથી પ્રવેશી શકે છે એટલે કે મધ્ય પ્રદેશ બાજુથી પ્રવેશીને કચ્છમાં જશે ત્યારબાદ તે પાકિસ્તાન અને ઓમાન બાજુ ચાલ્યું જશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાનએ ગુલાબ રાખ્યું છે. આ વાવાઝોડાના પવનના કારણે ગુજરાતમાં દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે.
આ વાવાઝોડાના કારણે ગુજરાતના તમમા જીલ્લાઓમાં એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં તો NDRF અને SDRFની રટીમ પણ તહેનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ ટીમોને તેહનાત કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં રહી રહીને જાણે ચોમાસુ જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના 50 ટકા વરસાદ ઓછો હતો. જો કે સપ્ટેમ્બર મહિનામાં પહેલા વરસાદને કારણે હવે માત્ર 19 ટકા વરસાદની ઘટ છે.
જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ છે. જો કે જે પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે જોતા હવે તે ઘટ પણ વરસાદ ની રહેવાની શક્યતા નહીવત્ત છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધારે વરસાદ ઘટ હોવાની શક્યતા છે. જેમાં સૌથી વધારે 47 ટકા ઘટ દાહોદમાં છે.
જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે 45 ટકા વરસાદ દેવભુમિ દ્વારકા જિલ્લામાં પડ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં એક સમયે દુષ્કાળની સ્થિતિ પેદા થઇ હતી. પીવાના પાણીની પણ સમસ્યા થાય તેવી શક્યતા હતી. જો કે હવે લીલા દુષ્કાળની સ્થિતિ પેદા થઇ છે. અનેક જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]