ભારત એ કૃષિપ્રધાન દેશ છે ભારત દેશના મોટા ભાગ ના વિસ્તાર માં વરસાદ આધારિત ખેતી થાય છે. આથી દર વર્ષે જગતનો તાત ખેડૂત વરસાદની આગાહી બેઠો હોય છે. પરંતુ ઘણીવાર આજ વરસાદ ખેડૂતોને ચિંતામાં મૂકી દેતો હોય છે ઘણીવાર અતિવૃષ્ટિને કારણે ખેડૂતો નો બધો જ પાક નિષ્ફળ જતો હોય છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ રહી છે. ગુજરાત ના ઘણા જિલ્લામાં હવામાન પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે.
વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે પરંતુ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પોતાનો પાક બરબાદ થવાનો ડર લાગી રહ્યો છે. હાલના સમયમાં ખેડૂતો શિયાળુ પાકની લણણી નો સમય ચાલી રહ્યો છે પરંતુ જો આવા જ સમયમાં વરસાદ પડી ગયો તો ખેડૂત ની બધી જ મહેનત પર પાણી ફરી જતું હોય છે.
આથી વરસાદના કારણે ખેડૂતોને નું પોતાનું આર્થિક નુકસાન થવાનો ડર લાગી રહ્યો છે. માવઠાના કારણે એરંડા, મગ, અડદ તેમજ ચણા ના પાક સહિત અન્ય ઘણા પાકોને નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે કેટલાક માર્કેટયાર્ડમાં વેપારી દ્વારા ખરીદાયેલી પાક બહાર ખુલ્લામાં રહી જતા વરસાદને કારણે તે પણ પલળી ગયો છે.
જેના કારણે વેપારીઓને પણ ઘણું આર્થિક નુકસાન વેઠવું પડયું છે. બહુચરાજી APMC માં ભારત નો સંગ્રહ કરવાની પૂરતી સુવિધા ન હોવાને કારણે કપાસ, ઘઉં, એરંડા તેમજ કઠોળ સહિતનો ઘણો પાક પલળી ગયો છે. જેને કારણે વેપારીઓ તેમજ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાત ના કેટલા જિલ્લાઓમાં જેમકે વિસનગર, હારી, સાંતલપુર તેમજ રાધનપુર વડનગર સહિત ભિલોડા તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ એ પણ આગાહી કરી છે કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત ભારતના ઉત્તર ભાગમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીના પ્રમાણ માં વધારો જોવા મળ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આવનારા ચાર પાંચ દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી બાદ ગઈકાલે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટો જોવા મળ્યા હતા. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલુ સાયક્લોનિક સરક્યુલેશન એ દરિયાના માર્ગે ધીમે ધીમે ગુજરાતની ચારેય તરફથી ઘેરતા અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે.
તેના કારણે ગુજરાત તરફ ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે તેથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ ઉદ્ભવ્યો છે. હવામાનની આગાહી પરિસ્થિતિને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]