ઘણા સમયથી ગુજરાતના નામચીન એવા ખજૂરભાઈ લોકોની નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે અને ખજૂરભાઈ ગુજરાતના સોનું સુદ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. ખજૂર ભાઈએ ઘણા બધા ગરીબોની ખૂબ જ નિ:સ્વાર્થ ભાવે સેવા કરી છે. કોરોના કાળ દરમિયાન અને હાલમાં ઘણા બધા ગરીબોની મદદ કરી રહ્યા છે.
હાલમાં ખજૂરભાઈની કરેલી એવી નિસ્વાર્થ સેવા સામે આવી હતી. જે જોઈને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા. ગુજરાતના ખજૂરભાઈએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રહેવાસી લોકોની મદદ કરી હતી. તેઓએ પણ ગોંડલ જિલ્લાના લોકોનું દિલ જીતી લીધું હતું. ગોંડલના સુલતાનપુરમાં રહેતા પરિવારમાં રસીલાબેન વડીલને મદદ કરી હતી.
તેઓને રહેવા માટે એક નવું ઘર બનાવી આપ્યું હતું. ફક્ત ઘર જ નહીં પરંતુ તેમની સાથે સાથે નવા ઘરને શણગારી પણ આપ્યું હતું. ઘરની દરેક ઘરવખરી પણ લઈ આપી હતી. ઘરમાં કબાટ, ટીવી, ફ્રીજ તેમજ રસોડાની તમામ ચીજ વસ્તુઓ ખજૂર ભાઈએ લઈ આપી અને સાથે-સાથે આજીવન કરિયાણું પણ આપતા રહેવાતું વચન આપ્યું છે.
સુલતાનપુરમાં રહેતા રસીલાબેન એલએલબીનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ ખૂબ જ સારી રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા હતા પરંતુ તેમના ઘરની અચાનક જ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ જતા તેઓએ પોતાના ઘરને ગુમાવ્યું હતું. રસીલાબેનને ગામમાં સૌ કોઈ લોકો વકીલ તરીકે ઓળખતા હતા. એટલે રસીલાબેન ગામમાં સૌથી પહેલા વકીલ તરીકે ઓળખાતા હતા.
પરિવાર ઉપર અચાનક જ આફત આવી પડી હતી અને તેમણે પોતાની માનશિક સ્થિતિ ગુમાવી હતી. રસીલાબેન પરિવારમાં તેમના ભાઈ સાથે રહે છે. ભાઈના લગ્ન થઈ ગયા હતા પરંતુ તેમની ભાભીએ તેમના ભાઈ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જેના કારણે રસીલાબેનને ખૂબ જ આઘાત લાગ્યો હતો.
ત્યારબાદ રસીલાબેન અને તેમના ભાઈ તેમની માસી સાથે રહેવા લાગ્યા હતા. ઘણા વર્ષોથી રસીલાબેન ગામમાં ઘરે ઘરે ભટકી રહ્યા હતા. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ગામમાંથી જે કાંઈ મળે તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. રસીલાબેનના ભાઈ જીતુભાઈ રીક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરંતુ જીતુભાઈને એક આંખ નથી અને બીજી આંખમાં બે મહિના પહેલા મોતિયાનું ઓપરેશન આવતા તેમની રોજગારી બંધ થઈ છે. સાથે જ માસી રહે છે તેમની આંખમાં પણ મોતિયો આવ્યો છે. લોકપ્રિય ખજૂર ભાઈને આ વાતની જાણ થતા તેઓએ તરત જ રસીલાબેન ના પરિવારને નવું ઘર વસાવી આપ્યું હતું.
ઘરવખરી પણ પૂરી પાડી, સાથે-સાથે મીડિયા સાથેની વાતચીતમાં ખજૂર ભાઈએ જણાવ્યું હતું કે સુલતાનપુર ગામમાં ખૂબ જ પ્રેમ ભાવ લોકોનો મળ્યો હતો. નીતિનભાઈ જાની જેઓ ખજૂરભાઈ તરીકે ઓળખાઈ રહ્યા છે તેમને સુલતાનપુરમાં રહેવા માટે ઘર આપ્યું હતું અને તેઓએ પરિવારને નવેસરથી ગ્રહ પ્રવેશ પણ કરાવ્યો હતો. પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. સાથે સાથે ગામડાના લોકો પણ ખજૂરભાઈની આ નિસ્વાર્થ સેવા જોઈ ખૂબ જ રાજી થયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]