Breaking News

ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ચાલુ, આ વિસ્તારમાં વરસાદી ઝાપટાની મોટી આગાહી, ખેડૂત મિત્રો ખાસ વાંચે..!

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાળઝાળ તડકો પડી રહ્યો છે. અમુક અમુક જિલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ ગયો છે. એવામાં લોકોનો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ આટલી બધી ગરમીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માવઠુ વરસમાં જઈ રહ્યા છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકની અંદર અંદર ઉત્તર ગુજરાત તેમજ પશ્ચિમ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસતાં જઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા ,ગાંધીનગર, અમદાવાદ ,વડોદરા, નડિયાદ, આણંદ, ખેડા, ભરૂચ અને સુરતમાં વરસાદની અસર વધારે દેખાશે..

જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં પલટો નોંધાયો છે અને ત્યારબાદ એક સામટા ઠંડા પવનો ફુંકાવા લાગશે. જ્યારે અમુક અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પણ વરસરશે. હવામાનના અચાનક પલટાને કારણે દરેક વિસ્તારોમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે..

આ ઉપરાંત ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂત મિત્રોને આ માવઠાઓ નુકસાની ભર્યા સાબિત થઈ શકે છે. આ માવઠા આવતાની સાથે સાથે ખૂબ તેજ ગતિથી પવન ફૂંકાવાની તેમજ ધૂળની ડમરીઓ જવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી આવતા ને પગલે ઉનાળું પાકનું વાવેતર કરનાર ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે.

ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં માવઠાની આગાહી આવતાની સાથે જ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે કે હવે વાતાવરણ નિયામિતતા થઈ ચૂકી છે. એટલા માટે હવે ક્યારે વરસાદ વરસશે અને ક્યારે કાળઝાળ ગરમી પડે અથવા ત્યારે જ આગળ અને ધુમ્મસ દેખાશે તે નક્કી રહેતું નથી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા ,અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા ,પંચમહાલમાં અંદાજે 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે કાચા મકાન વાળા લોકો પોતાના મકાન પર ભારે પદાર્થો મૂકીને સાચવવાની તૈયારી કરવા લાગ્યા છે..

તેમજ ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ખેતરમાં રહેલો ખુલ્લો પાક તેમજ માર્કેટ યાર્ડ માં રહેલો ખુલ્લો પાક કોઈ વ્યવસ્થિત જગ્યા પર ખસેડી દેવામાં આવે છે. જેથી કરીને વરસાદી માવઠાથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *