ઠંડીમાં ગોળ અને કાળા મરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સેવનથી ઠંડીમાં થનારી કેટલીય મુશ્કેલીઓ દૂર થાય છે. ગોળ અને કાળા મરી બંનેની તાસીર ગરમ હોય છે. આ બંનેનું મિશ્રણ શરીરમાં ગરમી લાવે છે. તેનાથી શરદી ખાંસી અને ઈંફેક્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.
તેનાથી શરદી ખાંસી અને ઈંફેક્શન જેવી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. તો વળી કાળા મરી અને ગોળ આપને બ્લડ સર્કુલેશનને સારૂ બનાવામાં મદદગાર સાબિત થઈ શકે છે. ત્યારે આવા સમયે જો આપ ઈચ્છો તો ઠંડીમાં રોજ ગોળ અને કાળા મરીનું સેવન કરી શકો છો. તો અહીં અમે આપને ગોળ અને કાળા મરી ખાવાના ફાયદા વિશે જણાવીશું.
કાળા મરી અને ગોળ ખાવાના ફાયદા : શરદી ખાંસીને દૂર કરવા માટે કાળી મરી અને ગોળનું એકસાથે સેવન કરવાથી શરદી ખાંસીની મુશ્કેલી દૂર કરી શકાય છે. તેનું એક સાથે સેવન કરવા માટે એક કટોરી દહી લો. તેમાં થોડોક ગોળ નાખો અને એક ચમચી કાળા મરી નાખો. ત્યારે બાદ દિવસમાં બે વાર તેનું સેવન કરો. આ કરવાથી શરદી ખાંસીની મુશ્કેલી દૂર થઈ જશે.
ગળામાં રાહત : કાળી મરીનો ઉપયોગ આપને દવા તરીકે કરી શકશો. તો વળી ગોળ અને કાળી મરીનું મિશ્રણ ગળામાં દુખાવાની સમસ્યાને દૂર કરવામાં આપની મદદ કરી શકશે. તેના માટે સૌથી પહેલા 80 ગ્રામ ગોડનો પાઉડર બનાવી લો. તેમાં 20 ગ્રામ જેટલા કાળા મરી, 10 ગ્રામ જવનો પાઉડર, 20 ગ્રામ દાડમની છાલ. આ બધાને સારી રીતે પીસીને હવે મિશ્રણની નાની નાની ગોળીઓ બનાવી લો. ત્યાર બાદ દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે સેવન કરવાથી ગળામાં રાહત મળશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]