Breaking News

ગોદામમાં સુતેલા દીકરા સાથે એવી ઘટના બની કે લાચાર બાપ ડોળા ફાડીને જોતો જ રહી ગયો, માથે કાળ ત્રાટક્યો..!

જીવનમાં દરેક સમયનો આનંદ માણી લેવો જોઈએ, ક્યારે કયા વ્યક્તિ સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી. જે વ્યક્તિ બે મિનિટ પહેલા આપણી નજરની સામે ઊભો રહીને ખડખડાટ હસતો હોય તે જ વ્યક્તિ માત્ર બે મિનિટ બાદ કદાચ આ દુનિયામાં જીવિત ન હોય તેવા પણ ઘણા બધા કિસ્સાઓ આપણી નજર સામેથી પસાર થતા હોય છે..

અને હાલ વધુ એક આવો ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના કોટામાંથી સામે આવ્યો છે, અહીં ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડ નંબર છ વિસ્તારમાં અતિશય દર્દનાક ઘટના બની ગઈ હતી, હરીગઢ ગામની અંદર રહેતો 15 વર્ષનો અર્જુન ઝાલાવાડ નામનો યુવક આજથી એક મહિના પહેલા પોતાના પરિવારની સાથે કોટા આવ્યો હતો..

તેના પિતા એક અનાજના ગોદામની અંદર ચોકીદારીનું કામકાજ કરતા હતા અને એ દિવસે આ દીકરો તેના પિતાની સાથે આ ગોદા ઉપર આવ્યો હતો, તેના પિતા ચોકીદારીનું કામકાજ કરતા હતા. એ વખતે તેને ઊંઘ આવવાને કારણે તે ગોદામાની અંદર પલંગ ઉપર સુઈ ગયો હતો, બિચારા દીકરાને એવી તો શી ખબર કે, આ જગ્યા તેના માટે ખૂબ જ દર્દનાક સાબિત થવાની છે..

આ દીકરો સૂઈ ગયો ત્યારે તેને એક ઝેરીલા સાથે ડંખ મારી લીધો હતો, ગોદામની અંદર કોઈ જગ્યાએથી સાપ ઘૂસી ગયો અને તેણે 15 વર્ષના અર્જુનને ડંખ મારી લેવાને કારણે ઝેરી ઝેરના કારણે બિચારા દીકરા નું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે સવારના સમયે આ ઘટનાની જાણકારી અર્જુનના પિતા સુધી પહોંચી ત્યારે તેને તરત જ શહેરની એક મેડિકલ કોલેજની હોસ્પિટલ ની અંદર સારવાર માટે લઈ જવામાં આવ્યો..

ઇમર્જન્સી વોર્ડની અંદર તેને ઘણા બધા ઇન્જેક્શન પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે, અર્જુનને વધુ સારવાર માટે એક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર રેફર કરવો પડશે, બાઈકની મદદથી અર્જુનને ત્યાં લઈ જવામાં આવતો હતો. ત્યારે અડધે રસ્તે જ અર્જુનને જીવ ગુમાવી દીધો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારમાં તો ચારેકોર મોતનો માતમ છવાઈ ગયો હતો, પરિવાર તેના દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને દમ તોડીને રડવા લાગ્યા હતા, આ ઘટના બનતાની સાથે જ પરિવારજનો અર્જુનના મૃતદેહને લઈને તેમના ગામ હરીગઢ જવા માટે નીકળી ગયા હતા, ત્યાં રહેલા લોકોનું કહેવું છે કે, કાળા કલરનો આ સાપ જોતા જ સૌ કોઈ લોકોને ખૂબ જ ડર લાગી ગયો હતો..

આ સાપે અર્જુનને ડંખ મારી લીધો હતો, જ્યારે અર્જુનને સાપે ડંખ મારી લીધો ત્યાં સુધી તો અર્જુન બોલી રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે તેને આંખો મીચી દીધી અને ઝેરની અસર એટલી બધી તીવ્ર બની ગઈ કે, બિચારાનો જીવ પણ ચાલ્યો ગયો હતો. આ ગોદામની અંદર પ્રવેશી ગયેલા આ સાથે અંતે એક વ્યક્તિનો જીવ લઈ લીધો હતો..

ત્યારબાદ કેટલાક લોકોએ સાપ પકડનાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા, તેઓએ પથ્થરના પાછળના ભાગે બેઠેલા સાપને અંદાજે 45 મિનિટના લાંબા રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન પકડી લીધો હતો, અને ત્યારબાદ તેને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *