Breaking News

ઘઉંના પાકમાં દવા છાંટતી વખતે અચાનક જ થઈ ગયું એવું કે ખેડૂતનો જીવ ચાલ્યો ગયો, ખેડૂત મિત્રો ખાસ વાંચજો..!

વ્યક્તિઓ સાથે અચાનક એવી ઘટનાઓ બની રહી છે. જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોઈ પણ કામ કરતા ક્યારેય તે વ્યક્તિ સાથે જીવલેણ ઘટના બની જાય તે કહી શકાતું નથી. આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખેતરમાં ખેતી કરતા ખેડૂત સાથે બની હતી.

આ ઘટના હરિયાણાના મહેન્દ્રગઢના દેવાસ ગામમાં રહેતા પરિવારના ખેડૂત યુવક સાથે બની હતી. પરિવારમાં બે ભાઈઓ અને તેમના માતા-પિતા રહેતા હતા. જેમાં એક ભાઈનું નામ રામનિવાસ અને તેમના બીજા ભાઈનું નામ સત્યપાલ હતું. સત્યપાલ પરિવારનો નાનો દીકરો અને રામનિવાસ પરિવારનો મોટો દીકરો હતો.

જેમાં સત્યપાલના લગ્ન બાકી હતા. જેના કારણે તે અપર્ણિત હતો. પરિવાર પાસે ઘણી બધી જમીન હતી. જેના કારણે તેઓ ખેતી કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દર વર્ષે તેઓ ખેતરમાં ઘઉંના પાકની વાવણી કરતા હતા. પરિવારના દરેક લોકો ખેતરમાં ખેતી કામ કરીને સારી એવી નીપજ લેતા હતા.

ઘણા સમયથી સત્યપાલને હૃદયની બીમારી હતી. જેના કારણે તેની તપાસ કરાવતા ડોક્ટરોએ તેમનું ઓપરેશન કરાવવાનું કહ્યું હતું અને સત્યપાલ ઘણા સમયથી હૃદયની બીમારીની દવાઓ ખાઈ રહ્યો હતો. સત્યપાલ એક દિવસ સાંજના સમયે ખેતરમાં ઘઉંનો પાક કર્યો હોવાને કારણે પાકને જંતુનાશક દવા છાંટવા માટે ગયો હતો.

અને તે ખેતરમાં જઈને જંતુનાશક દવા ન છટકાવ કરી રહ્યો હતો. તે સમયે તેને અચાનક જ હૃદય ગભરાવા લાગ્યું હતું અને મુંજારો થઈ રહ્યો હતો. ખેતરમાં દવા છાંટતી વખતે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જેના કારણે તે તરત જ દવાનો પંપ ખેતરમાં જ મૂકીને પોતાના ઘરે આવતો રહ્યો હતો અને ઘરે આવીને પરિવારના લોકોને તેને હૃદયમાં દુખાવો થઈ રહ્યો છે.

અને ગભરામણ થઈ રહી છે તેમ જણાવ્યું હતું. જેના કારણે પરિવારના લોકો તરત જ સત્યપાલને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઘણા દિવસ સુધી સત્યપાલની સારવાર ચાલી અને ડોક્ટરોએ તાત્કાલિક તેમના હૃદયનું ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું.

પરંતુ ઓપરેશન કરે તે પહેલા જ સત્યપાલનું મૃત્યુ થઈ ગયું જેના કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. સત્યપાલને જયપુરી હોસ્પિટલમાંથી ઘણા સમયથી હૃદયની દવા ચાલતી હતી અને તેમણે આ જંતુનાશક દવાનો છંટકાવ કરતા તેના ઝેરી દવાની અસર થઈ જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા.

તેમનો દીકરો ખેતરમાં કામ કરવા જતા તેની સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા અને પરિવાર ખુબ રડી રહ્યો હતો. ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના એક દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવાર આઘાત સહન કરી શક્યો નહીં આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *