આજના સમયમાં લોકોને પોતાની આર્થિક અને માનસિક મુશ્કેલીને કારણે સમાજમાં રહેવું અઘરું બની જાય છે. હંમેશા લોકોની સેવા કરવા માટે પોલીસ વિભાગના કર્મચારીઓ તૈયાર રહેતા હોય છે પરંતુ જ્યારે તેની સાથે મોટી દુર્ઘટના બની જાય તે કહી શકાતું નથી. હાલમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે બનેલી ઘટના સામે આવી છે.
આ ઘટના ધોલપુરના નિહારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કોલોનીમાં રહેતા કોન્સ્ટેબલ સાથે બની હતી. કોન્સ્ટેબલનું નામ કાન્તા પ્રસાદ લોઢા હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી. કાન્તા પ્રસાદના પિતાનું નામ ફૂલ સિંહ લોઢા હતું. કાન્તા પ્રસાદ પરિવારમાં તેમની પત્ની અને બાળકો સાથે રહેતા હતા.
તેઓ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જટોલી ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા અને પોતાના પરિવાર સાથે ગિરિરાજ કોલોનીમાં રહેતા હતા. કાન્તા પ્રસાદે ફરજ પરથી આઠ દિવસની રજા લીધી હતી. તેમને કોઈ કામ હોવાને કારણે તેમણે આઠ દિવસની રજા લીધી હતી.
અને ત્યારબાદ પછીના અઠવાડિયેથી તેઓ પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલની ફરજ બજાવવા માટે ગયા હતા. એક દિવસ તેમણે પોતાની ફરજ બજાવીને સાંજના સમયે તેઓ પોતાના ઘરે ગયા હતા અને ત્યારબાદ સવાર થતા પરિવારના લોકોને એવું જોવા મળ્યું કે, જોતા જ પરિવારના લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા.
પરિવાર અને પત્ની તેમજ તેમના બાળકો રડવા લાગ્યા હતા. કાન્તા પ્રસાદ સવારના સમયે પોતાના જ ઘરમાંથી એવી હાલતમાં મળી આવ્યા કે જોતા જ પાડોશીના લોકો પણ ચોકી ગયા હતા. કાન્તા પ્રસાદે રાતના સમયે પરિવારના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે પોતાના જ ઘરમાં લટકીને આપઘાત કરી લીધો હતો.
જેના કારણે સવારના સમયે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે જોયું તો કાન્તા પ્રસાદ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોતાની સાથે એ જ પરિવાર રડવા લાગ્યું હતું અને તેમના બાળકો નિરાધાર બની ગયા હતા. કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ સીઓસીટી પોલીસ અધિકારીઓને મળતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ દ્વારા તમામ તપાસને હાથ ધરવામાં આવી હતી. કોન્સ્ટેબલ આગલા દિવસે ચોકી પર ફરજ બજાવીને સાંજના સમયે પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ ઘરની કોઈ વાતથી કંટાળીને તેમણે મોડી રાત્રે આ પગલું ભરી લીધું હોવાની શંકા હતી. પોલીસ દરેક ઘટનાની તપાસ કરી રહી હતી. બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા હોવાને કારણે ખૂબ જ રડી રહ્યા હતા. તેઓએ પોતાના પિતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી દીધી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]