Breaking News

ઘરેથી નીકળેલા વેપારીનો મૃતદેહ નહેર કાંઠેથી મળતા જ મચી ગયો ફફળાટ, ઘટના જાણીને પરિવાર માથે આફતના વાદળ ફાટ્યા..!

આજકાલ આપઘાતના બનાવોમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. હરિયાણા રાજ્યના કરનાલ જિલ્લાના નેતા તેમજ પ્રખ્યાત ઉદ્યોગપતિ સંજય ગાંધીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગઈકાલે હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખા નગરના એક યુવકને ત્યાંથીથી વહેતી દિદવાડી નહેરમાં એક મૃતદેહ દેખાયો હતો.

જેથી તેણે તરત જ પાણીપત પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પાણીપત પોલીસ દ્વારા મરજીવાઓને બોલાવીને આ મૃતદેહને નહેરમાંથી બહાર કઢાવ્યો હતો. ત્યારબાદ તેની ઓળખાણ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પાણીપત પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની આ તપાસમાં નહેરમાંથી મળેલા મૃત વ્યક્તિની ઓળખ સંજય ગાંધી તરીકે થઈ હતી.

સંજય ગાંધીના પરિવારજનોને મૃતદેહની ઓળખ કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. સંજય ગાંધીના પરિવારજનો ના નિવેદનના આધારે પાણીપત પોલીસ સ્ટેશન દ્વારા આ કેસ કરનાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. કરનાલ પોલીસ સ્ટેશન દ્વારા આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. તેમજ તેના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી.

પરિવારજનો ની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સંજય ગાંધી અને તેમનો પરિવાર કરનાર જિલ્લાના નરસિ ગામના રહેવાસી છે. સંજય ગાંધી બીજેપીના નેતા ઉપરાંત એક મોટા ઉદ્યોગપતિ પણ છે. તેઓ ગઈકાલે સવારે ઘરની બહાર નીકળ્યા હતા. તેમજ તેમના ઘરે ગાડી ઉપસ્થિત ન હોવાને કારણે તે સફાઈ કામદારની બાઇક લઈને ગયા હતા.

તેઓ સાંજે ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે સાંજે તેમને પશ્ચિમ યમુના નહેરના કિનારેથી સફાઈ કામદારની બાઈક મળી આવી હતી. પરંતુ સંજય ગાંધીની કોઈપણ જાણ મળી ન હતી. પરિવારજનોના કહેવા મુજબ તેઓ નહેરમાં પૂજામાં વપરાયેલા ફુલ પધરાવા માટે આવ્યા હતા.

પરંતુ એવું તો શું બન્યું હશે કે તેઓએ પોતે પણ નહેરમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સંજય ગાંધીના આપઘાતનું સાચું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ આપઘાતનું કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. સંજય ગાંધીના પરિવારજનોમાં તેમના મૃત્યુના કારણે શોકનો માહોલ છવાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *