આપણા આજુબાજુના મકાન કે ફ્લેટમાં રહેતા વ્યક્તિ આપણા પાડોશી કહેવાતા હોય છે, જ્યારે પણ સુખ કે દુઃખની ઘડી આવી પહોંચે ત્યારે સૌ પ્રથમ પાડોશી આપણા ઘરે આવીને આપણને હિંમત અને સાહસ આપવાની કોશિશ કરતા હોય છે, દરેક વ્યક્તિ પડોશીઓ સાથે ખૂબ જ હળી મળીને રહેતા હોય છે..
એક જ પરિવારની જેમ બાજુ બાજુમાં રહેતા એક પડોશીઓ ઉપર એક પરિવારને વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તેના વિશ્વાસ ઉપર અત્યારે પાણી ફરી જવા પામ્યું હતું. આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા 100 વખત વિચાર કરશો, આ ચોંકાવનારી ઘટના વિરામ નગર ચોકડી પાસેથી સામે આવી છે..
અહીં આવેલી બીના પાર્ક કોલોનીમાં સુરેશ ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે, પરિવારમાં તેમની પત્ની કામિનીબેન સુરેશભાઈના બે દીકરામાં નિખિલ અને દિવ્યેશનો સમાવેશ થતો હતો, સુરેશભાઇના પડોશમાં તેમના ખૂબ જ ખાસ મિત્ર કિશોરભાઈ પણ વસવાટ કરતા હતા..
અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલતો હોવાથી કોલોનીની વાડીમાં ભવ્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ આયોજનની અંદર કામિનીબેન તેમજ તેમના પતિ સુરેશભાઈ અને તેમના બંને દીકરાઓ સાથે મળીને ગરબે ઘૂમવા માટે સોસાયટીની વાડીમાં હાજર થયા હતા, તેઓએ તેમના ઘરને તાળા મારીને તાળાની ચાવી તેમના પડોશમાં રહેતા કિશોરભાઈ ની પત્ની હેમાલી બેનને આપી હતી..
તેઓ ગરબે રમવા માટે જઈ રહ્યા હતા, એટલા માટે આ ચાવીને સાચવવાની તેઓએ પડોશીને કરવાનું જણાવ્યું હતું. હેમાલીબેનને તેઓએ ઘરની ચાવી આપીને સમગ્ર પરિવાર ગરબે ગુમાવા માટે જતો રહ્યો હતો, અને જ્યારે ગરબા રમવાનો સમય આવ્યો ત્યારે અચાનક જ કામિની બહેન જેમના હાથમાં પહેરવાનું એક ઘરેણું તેમના ઘરે ભૂલી ગયા હોવાને કારણે તેઓ ઘરેણું લેવા માટે તેમના ઘરે પરત આવ્યા હતા..
અને તેઓએ તેમના પડોશમાં રહેતા કિશોરભાઈ અને તેમની પત્ની હેમાલીબેન પાસેથી તેમના ઘરની ચાવી લેવા માટે ગયા ત્યારે તેઓએ જોયું તો હેમાલીબેન તેમના ઘરે હાજર હતા નહીં, જ્યારે કામિનીબેનની નજર તેમના ઘર તરફ પડી ત્યારે તેમને ખબર પડી કે તેમના ઘરનો દરવાજો તો ખુલ્લો છે..
જ્યારે તેઓ પોતાના જ ઘરનો દરવાજો ખુલ્લો જોઈને ખૂબ જ હચમચી ઉઠ્યા હતા કારણ કે, તેઓએ તેમના ઘરની ચાવી પડોશમાં રહેતા હેમાલીબેનને આપી હતી છતાં પણ તેમના ઘરનો દરવાજો શા માટે ખુલ્લો છે, તે વિચારવા તેઓ મજબૂર થઈ ગયા હતા, જેવો ધીમે ધીમે તેમના ઘર તરફ નજીક ગઈ અને જોયું તો..
તેમના ઘરમાં રહેલો કબાટ અને તિજોરીમાં તેમના પડોશમાં રહેતી હેમાલીબેન નામની મહિલા કંઈક ચીજ વસ્તુની શોધખોળ કરતી હતી, કબાટમાં મુકેલા રોકડ રૂપિયા અને કામિનીબેન ના ઘરેણા તેમના પડોશમાં રહેતી હેમાલીબેનના હાથે લાગી જતાની સાથે જ તે આ ઘરેણા લઈને છુપાવવા લાગી હતી, આ દ્રશ્યને કામિનીબેન તેમની નજર સામે જોઈ લીધું હતું..
આ દ્રશ્ય જો પોતાની સાથે તેમનો પિત્તો ફાટી ગયો કારણ કે, હેમાલીબેન ઘરનું તાળું ખોલીને ઘરની અંદર પ્રવેશ કરીને ચોરી કરવા લાગી હતી અને હવે તેની કાળી કરતુતો રંગે હાથે ઝડપાઈ જતા કામિની બેનનો પીતો ફાટી ગયો હતો, આ વાતની જાણકારી તેઓએ ફોન કરીને તેમના પતિ સુરેશભાઈને પણ પહોંચાડી સુરેશભાઈ સોસાયટીના અન્ય લોકોને સાથે લઈને ત્યાં આવી પહોંચી હતા..
અને હેમાલીબેનને રંગે હાથે ચોરી કરતા ઝડપી લીધા હતા. આવા પડોશીઓથી ચેતી જવું જોઈએ ટૂંકા જીવ ધરાવતી હેમાલી બહેન તેમના પડોશના મકાનમાંથી જ ચોરી કરવાની દાનત ધરાવીને ખૂબ જ કાળું કારનામું કરી નાખ્યું હતું, બિચારા પરિવારે દિવસના તનતોડ મહેનત કરીને ધન સંપત્તિ કમાઈ હતી..
અને એ તમામ સંપત્તિને સાફ કરવા માટે પડોશમાં રહેતી હેમાલી બહેન શરૂઆતમાં તો તેઓએ કામિનીબેનનો વિશ્વાસ જીત્યો હતો અને જ્યારે કામિની બહેન કોઈ પણ નાના કામકાજ માટે તેમના ઘરે તેમને બોલાવતા ત્યારે તે ઘરની રેકી કરી લેતી હતી અને ત્યારબાદથી ઘરની ચાવી હાથમાં આવતાની સાથે જ તે ચોરી કરવાનો વિચાર ધરાવી દીધો હતો..
અને આ વિચાર અનુકૂળ તેણે ચોરી કરવાનું શરૂ પણ કરી નાખ્યું હતું. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે હેમાલી બેનનું માથું તો નીચે શરમથી ઝૂકી જવા પામ્યું હતું કારણ કે તેણે ચોરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તે સફળ બની નહીં અને તેનો ભાંડો ફૂટી ગયો હતો..
વાતની જાણકારી જ્યારે હેમાલીબેનના પતિ કિશોરભાઈ સુધી પહોંચી ત્યારે કિશોરભાઈ પણ હેમાલીબેન ને બરાબર ના ખખડાવી નાખ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવી દીધું હતું, કારણ કે હેમાલી બહેને આ અગાઉ પણ અન્ય બે વ્યક્તિઓના ઘરેથી ચોરી કરવાની કોશિશ કરી હતી..
પરંતુ એ વખતે કિશોરભાઈએ મામલાને દબાવી દઈ શાંત પાડી દીધો હતો અને હવે ફરી એકવાર તેને ચોરી કરવાની કોશિશ કરી અને તે ઝડપાઈ ચૂકી હતી, જો હજુ પણ તેને મેથીપાક ચખાડવામાં નહીં આવે તો તે આવનારા દિવસો માન્ય વ્યક્તિઓને પણ હેરાન પરેશાન કરી શકે છે, તેમ વિચારીને કિશોરભાઈ જ તેમની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી નોંધાવી દીધી હતી..
એક બાજુ પરિવાર ગરબા લેવા માટે ગયો હતો, પરંતુ સદનસીબે કામિની બહેન તેમના ઘરે અધ વચ્ચે જ પરત આવી ગયા હતા અને આ તમામ ઘટનાથી હોય તેમની નજર સામે જોઈ લીધી હતી. તહેવારના સમયની અંદર નાની નાની બાબતોનો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો ખૂબ જ મોટો અને માઠો અનુભવ પણ સહન કરવો પડી શકતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]