નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, આ તહેવારની અંદર દરેક લોકોને માતાજીની આસ્થા અને લાગણીઓમાં કંઈક અને રોજ આનંદ જોવા મળતો હોય છે, લોકો હર્ષ અને ઉત્સાહથી માતાજીના નામનું સ્મરણ કરતા કરતા ગરબે ઘૂમતા હોય છે. ખેલૈયાવો તો ગરબાની રમઝટની અંદર આટલું બધું મન પરોવી લેતા હોય છે કે, તેમને ખાવા પીવાનું પણ ભૂલી જતું હોય છે..
મોટાભાગે શેરી ગરબાનું આયોજન દરેક વિસ્તારોમાં થતું હોય છે, સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના રહીશો એકઠા થઈને ગરબાનું આયોજન કરે છે અને સાથે જ તેઓ માતાજીનું સ્મરણ કરતા હોય છે, જ્યારે ઘણા બધા મોટા શહેરોની અંદર ગરબાના સામૂહિક આયોજન પણ થતા હોય છે..
મોટાભાગે સાંજના સમયે આરતી શરૂ કર્યા બાદ ખેલૈયા કુંભ માટે પોતાના ઘરેથી ટ્રેડિશનલ કપડાં પહેરીને નીકળી પડતા હોય છે, એવા સમયે કેટલાક બે નંબરનું કામકાજ કરનારા લોકો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે, તહેવારના સમય દરમિયાન તંત્ર ખૂબ જ અસરકારક રહીને કામકાજ કરતું હોય છે..
છતાં પણ નવરાત્રીની શરૂઆતમાં જ એક એવી અનોખી ઘટના સામે આવી છે, જેને જાણીને દરેક લોકોએ ચેતી જવું જોઈએ કારણકે આવી નાની નાની બાબતોમાં પણ ખૂબ જ ધ્યાન આપવું પડશે નહીં તો એક દિવસ પછતાવાનો વારો આવી શકે છે, સમીર પાર્ક કોલોનીમાં રહેતા ઉમેશ ભાઈ નામના એક વેપારી તેમના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા..
તેમની સોસાયટીની અંદર નવરાત્રીના પવિત્ર તહેવારમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને સોસાયટીની પાછળની બાજુએ આવેલી સોસાયટીની કોમન વાડીની જગ્યામાં આ ગરબાનું આયોજન યોજવામાં આવ્યું હતું. તમામ રહીશો સાંજના આઠ વાગ્યા આસપાસ ઘરેથી ટ્રેડિશનલ કપડા પહેરીને તેમની જ સોસાયટીના કોમન વાડી એરિયામાં ગરબે ઘૂમવા માટે પહોંચી જતા હતા..
ઉમેશભાઈ તેમની પત્ની ઈશાબેન તેમનો મોટો દીકરો નીતિન અને તેમની દીકરી રીંકલની સાથે આઠ વાગ્યા આસપાસ પોતાના ઘરેથી તાળું મારીને શેરી ગરબા રમવા માટે પહોંચી ગયો હતો, ત્યાં તેઓએ મન મૂકીને ગરબા રમ્યા માતાજીની પૂજા અર્ચનામાં દરેક લોકો તલ્લીન પણ થઈ ગયા હતા..
અને જ્યારે રાસ ગરબાનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો ત્યાર બાદ તેઓ તેમના ઘરે પરત આવ્યા હતા. ઘરનું તાળું ખુલતી વખતે ઉમેશભાઈએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, જોતાની સાથે જ ઉમેશભાઈને આંખે અંધારા આવી ગયા તેમજ તેમની પત્ની ઈશાબેન તો મોઢામાંથી ચીખો ફાડવા લાગ્યા હતા..
તેઓએ જોયું તો તેમના ઘરના દરવાજાનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને અંદર રહેલો તમામ સામાન્ય વેર વિખેર હતો, તેમના ઘરે કોઈ અજાણ્યા વ્યક્તિઓ ઘૂસી જઈને ચોરી કરી લીધી હોય તેવું દ્રશ્ય દેખાઈ આવ્યું હતું, ઉમેશભાઈ અને ઇશાબેન દિવસ રાતની મહેનત કરીને તેમના દીકરા અને દીકરીના લગ્ન માટે ઘણી બધી એકઠી કરી હતી..
આ તમામ મૂડી માત્ર અમુક ગણતરીના મિનિટોની અંદર જ સાફ થઈ જતા તેઓ દુઃખનો આઘાત સહન કરી શક્યા નહીં, તેમની ચીખો સાંભળીને તેમના પડોશમાં રહેતા લોકો પણ તેમના ઘર પાસે આવી પહોંચ્યા હતા અને શું થયું છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા, એ વખતે ઉમેશભાઈના દીકરા નીતિને જણાવ્યું કે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે..
જેમાં આઠ લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણા તેમજ પાંચ લાખ રૂપિયા રોકડા પણ ગાયબ છે, આ સાથે સાથે ત્રણ કિલો ચાંદી પણ ચોરી થઈ ગયું છે. એક જ ઘરની અંદરથી એટલી મોટી ચોરી થઈ જવાને કારણે તેઓ અત્યારે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે, આસપાસના પડોશીઓની મદદ લઈને કાપડ તો બા ઘટનાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રૂપી નોંધાવવામાં આવ્યું હતું..
ફરિયાદ મળતાની સાથે જ પોલીસ તંત્ર કામે લાગી ગયું અને આ ચોર લૂંટારા કોણ છે, તેમજ ક્યાંથી તેઓએ પ્રવેશ કર્યો હતો અને ચોરી કરીને કઈ બાજુ તરફ આગળ વધી રહ્યા છે. તેની પણ જાણકારી મેળવવા લાગ્યા છે, તહેવારના સમયનો લાભ લઈને આ ચોર લૂંટારાઓએ ઉમેશભાઈ ના ઘરે ખૂબ જ મોટી ચોરીને અંજામ આપી દીધો હતો..
બિચારા ઉમેશભાઈ તેમના પરિવારની સાથે મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતા અને જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમના મોઢા ઉપર રહેલા તમામ સુખની ઘડીઓ દુઃખમાં પરિવર્તન પામી ચૂકી હતી, હાલ પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આ આરોપીઓ કોણ છે. તેવું કઈ બાજુ તરફ આગળ વધી રહ્યા છે, વગેરે જેવી માહિતીઓ મેળવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]