પીવાની દરેક ચીજ વસ્તુઓ માં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે કોઈ એવી ચીજ વસ્તુ ખાવા પીવામાં આવી જાય કે, જેના કારણે સ્વાસ્થ્ય કથળી જતું હોય છે અને ગંભીર બીમારાની અંદર સપડાઈ જતા હોય છે. સુરતમાં ઓલપાડ તાલુકાના કીમ ગામમાંથી અતિશય ચોંકાવનારો મામલો સામે આવી ગયો છે..
જે સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોનાં હોશ ઉડી ગયા છે તેમજ બહારનું અને ઠંડા પીણા જેવી ચીજ વસ્તુઓ પર મન મૂકીને વિશ્વાસ કર્યા બાદ તેને પીનારા લોકો માટે પણ ચેતવણી સમાન કિસ્સો સામે આવી ગયો છે. કિમની અંદર અમૃત નગર સોસાયટીમાં રાજેશભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે રહે છે..
એક દિવસ તેમના ઘરે મહેમાન આવ્યા હતા. ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિના ઘરે મહેમાન આવે છે. ત્યારે તેને ખૂબ જ માનપૂર્વક આવકારો આપવામાં આવતો હોય છે. તેમનું દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. મહેમાનગતિની ફરજો પૂર્ણ કરવા માટે કોઠો ઠંડો કરવા ઘર ધણી રાજેશભાઈ પટેલે ઠંડા પીણાની બોટલો મંગાવી હતી..
તેઓએ વિચાર્યું કે તેઓ મહેમાન સાથે બેઠા બેઠા ઠંડા પીણા પીશે, ગોવિંદ નગર પાસેથી એક દુકાનમાંથી ફ્રુટીની બોટલ ઘરે લાવવામાં આવી હતી અને મહેમાનોને આપવા જતા જ એ બોટલમાંથી એવું નજરે ચડ્યું છે જેને જોતા જ સૌ કોઈને હોશ છૂટી ગયા હતા. આ પેકેટ ખોલવામાં આવ્યુ ત્યારે અંદરથી એક મૃત હાલતમાં ગરોળી દેખાઈ આવી હતી..
જે જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા કારણ કે આ ફ્રૂટી ઉપર જો કોઈ વ્યક્તિનું ધ્યાન પડ્યું ન હોત તો આ ફ્રૂટીને મહેમાન પણ પી ગયા હોત અને સાથે સાથે ઘરધણી પણ પી ગયા હોત ગરોળી જેવી મરેલી ચીજ વસ્તુઓ વાળી ફ્રૂટી પીવાથી બીમારી તેમજ જેવા લોકો પણ થવાની શક્યતા રહે છે..
પરિવારજનો તાત્કાલિક આ બોટલને લઈને દુકાનના માલિક પાસે ગયા હતા અને ઠપકો આપ્યો હતો. દુકાન માલિકે પણ તાત્કાલિક આ બોટલને લઈને ઠંડાપીણાના બોટલ બનાવતી કંપનીમાં જાણ કરવાની માહિતી આપી હતી. જ્યારે બોટલમાં ઠંડુ પીણું ભરવામાં આવે છે. ત્યારે તેની અંદર મરેલી હાલતમાં આ ગરોળી પડી હશે..
અને ત્યારબાદ તેનામાં ઠંડુ પીણું ભરી દેવામાં આવ્યું અને પેકિંગ કરીને જુદી જુદી દુકાનમાં પણ પહોંચી ગઈ હતી. ઠંડાપીણાની બોટલો પીનારા લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો સામે આવી ગયો છે. આગળ પણ કોકો કોલાની બોટલ માંથી મૃત હાલતમાં ગરોળી મળી આવી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]