ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર બનતા ચોકાવનારા કિસ્સાઓ સાંભળતા જ લોકોને હૃદય ધ્રુજી જાય છે પરંતુ આવી ઘટનાઓ બનતા પરિવારના લોકો નિરાધાર થઈ રહ્યા છે. પોતાનું વાહન બેદરકારી પૂર્વક ચલાવીને નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. આવી એક દર્દનાક ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના હરિયાણાના પાણીપત જિલ્લાના સમલખા શહેરમાં આવેલા જીટી રોડ પર બની હતી. બિહારના સુપોલ જિલ્લાના રહેવાસી પરિવાર સામખામાના ભાડાના મકાનમાં રહે છે. પરિવારમાં માતા-પિતા અને તેમના દીકરો, દીકરી રહે છે. જેમાં પિતાનું નામ વેદનાથ મિશ્રા હતું. તેમની ઉંમર 57 વર્ષની હતી.
વેદનાથ સ્ટીલ ફેક્ટરીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ સ્ટીલ ફેક્ટરી ઔદ્યોગિક વિસ્તારના સામરખામાં આવેલી છે. તેઓ ઘણા વર્ષોથી આ જ ફેક્ટરીમાં કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વેદનાથના દીકરાનું નામ વિનય કુમાર મિશ્રા છે. વિનય કુમાર તેમના પિતાને નાનું મોટું કામ કરીને મદદ કરતા હતા.
ફેક્ટરીમાં એક દિવસ રજા પડી હતી. રજા પડતા વેદનાથ પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે તેઓ જીટી રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પાણીપત બાજુથી એક ખૂબ જ ઝડપી સ્પીડમાં વાહન આવી રહ્યું હતું. વેદનાથ મિશ્રાએ વાહનને ધીમો પાડવા માટે ઈશારો પણ કર્યો હતો. પોતાની રીતે રોડ ક્રોસ કરી રહ્યા હતા.
પરંતુ બેદરકારી પૂર્વક સામેની તરફથી આવી રહેલા વાહન ચાલકે પોતાનું વાહનને ધીમું કર્યું નહીં. જેના કારણે વેદનાથને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતા જ વેદનાથ જમીન પર પડી ગયા હતા અને તેમની ખૂબ જ ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો તરત જ ભેગા થઈ ગયા હતા. ઘણા બધા લોકોને જોઈને વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
લોકોએ તેને પકડવાની કોશિશ કરી પરંતુ તે પકડી શકાય નહીં ત્યારબાદ તરત જ ફોનમાંથી તેમના દીકરા વિનયને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે વિનય ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના પિતાને લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે તેમનો દીકરો ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના બેદરકારી પૂર્વક વાહન ચલાવવાને કારણે તેમના પિતાએ જીવ ગુમાવ્યો હતો. પરિવારને વેદનાથના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ રડી રહ્યા હતા…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]