Breaking News

ઘરે દીવાબત્તી કરતી વખતે દીવાસળી સાડી ઉપર પડતા મહિલા સળગીને ખાખ થઈ ગઈ, કાળજા ધ્રુજાવતી વિચિત્ર ઘટના..!

અત્યારના સમયમાં હવે ડગલેને પગલે પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સહેજ અમથી પણ ચુક થઈ જાય તો કોઈ વ્યક્તિનો જીવ જતો રહેતો હોય છે. અત્યારે એક એવી અનોખી રીતે એક મહિલાનો જીવ ચાલ્યો ગયો છે, જેના વિશે જાણ્યા બાદ તમારું પણ માથું હલ બળી જશે..

આ ઘટના આકાશ રો હાઉસની છે. અહીં યતીનભાઈ નામના વ્યક્તિ તેમના પરિવારજનોની સાથે રહે છે. તેમની પત્ની કૃપાલીબેન સાંજના સમયે ઘરે ભગવાનને દીવાબત્તી કરી રહ્યા હતા. દિવાબત્તીનો દીવો પ્રગટાવ્યા બાદ તેઓએ દિવાસળી નીચે જમીન ઉપર ફેંકી દીધી હતી. મોટાભાગે તેઓ રોજની જેમ જ્યારે દિવાસળી નીચે ફેંકતા હતા..

ત્યારે દિવાસળી ઓલવાઈ જતી હતી, પરંતુ આ વખતે દીવાસળી બુજાઇ જવાને બદલે સળગતી રહી હતી અને કૃપાલીબેન સાડી પહેરીને દિવાબત્તી કરી રહ્યા હતા. એ વખતે તેમની સાડીના છેડા ઉપર આ દિવાસળી પડતાની સાથે જ ધીમે ધીમે તેમની સાડી બળવા લાગી હતી. તેમની સાડીનો ભાગ તેમના શરીરથી દૂર હોવાને કારણે આ ઘટનાની જાણકારી તેમને રહી નહીં…

અને અચાનક આગે એટલું બધું વિકરાળ સ્વરૂપ પકડી લીધું કે, કૃપાલી બહેન બળીને ખાસ થઈ ગયા હતા. તેઓને જ્યારે ગરમ લાગવા લાગ્યું ત્યારે તેઓ બચવા માટે તેમની સાડી ઉપર લાગેલી આગને બુજાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તેઓ આગને બુજાવી શક્યા નહીં અને તેમના આખા શરીરે આ સાડીનું કાપડ ચોંટી જવાને કારણે તેઓ બળીને ખાખ થઈ ગયા હતા..

જ્યારે આ ઘટના બની ત્યારે તેમના મોઢામાંથી ચીસે ચીસ નીકળી ઉઠી હતી અને આ ચીસો સાંભળીને તેમના પડોશના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. એ વખતે કૃપાલી બહેનને આવી ગંભીર હાલતમાં જોતાની સાથે જ પડોશીઓ તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલે લઈ ગયા હતા..

પરંતુ હોસ્પિટલે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સોસાયટીમાં ચકચાર ફેલાઈ ગયો હતો. કૃપાલીબેનના પતિ યતિનભાઈને ખબર પડી કે, તેમની પત્નીનું બળીને ખાખ થઈ જવાને કારણે મૃત્યુ થયું છે. ત્યારે તેઓ મૃત્યુનો આ ઊંડો આઘાત સહન કરી શક્યા નહીં..

અને તેને ત્યાં નીચે ઢળી પડ્યા હતા, આગ કેવી રીતે લાગી છે.? અને તેના પાછળ કયા કારણો જવાબદાર છે. તેની પણ તેઓ માહિતી મેળવવા લાગ્યા હતા. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે, આ ઘટના આટલી બધી અનોખી હતી કે, સામાન્ય વ્યક્તિ તો શરૂઆતમાં આ ઘટનાઓ પર વિશ્વાસ મૂકી શક્યા નહીં..

પરંતુ પડોશીઓ જ્યારે જણાવી કે, આ ઘટના બિલકુલ સત્ય છે. ત્યારે તેમના પણ હોશ ઉડી ગયા હતા. બિચારી આ મહિલા ઉપર શું વીતી હશે કે જ્યારે તેના શરીરે આગ લાગી ગઈ હતી અને તે બળી રહી હતી. કમનસીબે એ વખતે તેની આસપાસ પણ કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. હાલ સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *