Breaking News

ઘરે દીકરીની જાન આવવાની હતી અને સોની દાગીના લઈને થઈ ગયો ફરાર.. પછી તો દીકરીના પિતાએ…!

દીકરીના લગ્નમાં સમગ્ર પરિવાર ખુબ ખુશ હોઈ છે. પરતું સૌથી વધારે ખુશી દીકરીના પિતાને હોઈ છે. લગ્ન પહેલા સૌથી વધારે હરખ અને ખુશી પિતા ને જ હોઈ છે અને લગ્નમાં વિદાય વેળાએ પણ સૌથી વધારે દુઃખ પણ એક પિતાને જ હોઈ છે. પિતા દીકરીના લગ્નની દરેક નાની નાની બાબતનું ખુબ ધ્યાન રાખતા હોઈ છે.

આજે અમદાવાદમાં એક દીકરીના લગ્ન પહેલા પહેલા જ એવો કિસ્સો બની ગયો છે કે જેના લીધે લગ્નની ખુશીમાં ઘટ વર્તાઈ છે. લગ્ન પહેલા ધામધૂમથી ખરીદી અને તૈયારીઓ ચાલતી હોઈ છે. જેમાં સૌથી મોટી જવાબદારી સોનાના દાગીના બનાવવાની હોઈ છે. ગુજરાતીઓના લગ્નમાં સોનું જ બધું હોઈ છે…

સોનાના દાગીના બનાવવા માટે દીકરીના પિતાએ અમદાવાદના એક સોનીને જુના દાગીના આપ્યા હતા, તેમાંથી નવા બનાવવા માટે કહ્યું હતું. પરતું સોની મનનો મેલો નીકળતા તે ટોટલ 12 લોકોના જુના દાગીના લઈને ફરાર થઈ જતા લગ્ન પ્રસંગ કરનાર પરિવારનો જીવ અધ્ધર થયો હતો…

આ સોનીની દુકાન ઘણા દિવસોથી બંધ રેહતા તેમજ કોલ પણ ન ઉપાડતા લોકોને શક ગયો હતો. તપાસ કરતા જણાયું કે સોની લોકોના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો છે. તપાસ કરી તો માત્ર એક વ્યક્તિ નહિ પણ 12થી વધુ લોકોના દાગીના આ સોની લઈ ફરાર થઇ ગયો. આખરે પોલીસે ફરીયાદ નોંધી છે.

12 લોકોના 12.59 લાખના દાગીના લઈ દુકાન બંધ કરી ભાગેલા સોનીને પકડી તો પાડ્યો પણ મુદ્દામાલ પોલીસે રિકવર ન કરતા મધ્યમ વર્ગના લોકોનો જીવ તાળવે ચોટયો છે. આરોપી સોનીનું નામ ગોપાલ લાલચંદાની જે સોની વેપારી અને સાથે સાથે ઠગાઈનો પણ ધંધો કરતો હતો.

પોલીસે 12 લાખની ઠગાઈની ફરિયાદ તો નોંધી પણ મધ્યમ વર્ગના લોકો સાથે મુદ્દામાલ પરત ન મેળવી અન્યાય પણ કર્યો છે. આરોપી સામે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ દીકરીના લગ્ન લીધા હતા અને તે નાતે જુના દગીનમાંથી નવા દાગીના બનાવડાવી તેઓ પ્રસંગ કરવાના હતા.

સાથે જ કેટલાય એવા લોકો છે જેઓએ જુના દાગીના રીપેરીંગ માટે આપ્યા હતા તે દાગીના આરોપીએ પોતે રાખી લઈ કોઈને પરત કર્યા નથી. આશરે બારેક લોકો આરોપીની દુકાને ભેગા થયા અને આ કૌભાંડ સામે આવ્યું. જેથી પોલીસને જાણ થઈ અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

પણ હવે આ મધ્યમ વર્ગના લોકોની મિલકતનું શુ? તે સવાલ સહુ કોઈના મનમાં થઈ રહ્યો છે. સામાન્ય ચોરને પકડી ગણતરીના સમયમાં મુદ્દામાલ રિકવર કરતી પોલીસે લાખો રૂપિયાનું સોનુ ભાળી લાલચમાં આવી ગઈ અને મુદ્દામાલ રિકવર ન કર્યો હોવાની ચર્ચા છે. ત્યારે હવે પોલીસ પોતાનું પેટ ભરશે કે મધ્યમ વર્ગના લોકોને ન્યાય અપાવશે તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *