રાજી ખુશીથી જીવન જીવતા દરેક લોકો ક્યારેય પણ કોઈ અજાણ્યા વ્યક્તિની વાતચીતને માનતા નથી કારણ કે, અજાણ્યા વ્યક્તિઓ પોતાની વાતચીતમાં ફોસલાવીને ક્યારે આપણી સાથે છેતરપિંડી કરીને જતા રહે તેની આપણને ખબર રહેતી નથી. હંમેશા અજાણે વ્યક્તિ સાથે વાતચીત કરવાનું પણ ટાળવું જોઈએ..
તેની સાથે અન્ય કોઈપણ વ્યવહાર કરવો જોઈએ નહીં, અત્યારે એક વેપારીને કરોડો રૂપિયાની કિંમતનો એક થેલો ગુમાવવાનો વારો આવી ગયો હતો, આ ઘટના બન્યા બાદ તેઓને ધરાઈ ધરાઈને પસ્તાવો થવા લાગ્યો. પરંતુ ઘટના બન્યા બાદ પસ્તાવો કરવા પર પણ કોઈ ફાયદો રહેતો નથી, કારણ કે જે ઘડી વીતી ગઈ હોય છે તે ઘડીને બદલવી ખૂબ જ મુશ્કેલ છે..
અત્યારે હોલસેલના વેપારી સાંજના સમયે પોતાના ઓફિસેથી ઘરે આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેને કેટલા લોકોએ જણાવ્યું હતું કે, તમારું પેન્ટ પાછળના ભાગેથી ફાટી ગયું છે. વેપારીએ જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેને લાગ્યું કે હકીકતમાં તેનું પેન્ટ ફાટી ગયું હશે. એટલા માટે તેઓ રસ્તા પર ઊભા રહીને પાછળના ભાગે જોયું કે તેનું પેન્ટ હકીકતમાં ફાટી ગયું છે કે શું થયું છે..?
તેને ખાતરી મેળવવા લાગ્યા હતા, એવામાં તેમનું ધ્યાન ચૂકાઈ ગયું અને તેમની પાસે રહેલો કરોડો રૂપિયા ભરેલો થેલો આ અજાણ્યા ચોર લૂંટારાઓ ચોરી કરીને જતા રહ્યા હતા. વેપારી તેનું ફાટેલું પેન્ટ શોધવા માટે આમથી આમ ફાફા મારતા રહ્યા અને લૂંટારાઓ વેપારીની નજર ભંગ કરીને તેના હાથમાં રહેલો કરોડો રૂપિયા ભરેલો થયેલો ચોરી કરીને જતા રહ્યા હતા..
હકીકતમાં આ વેપારીને તેના અન્ય વ્યવસાયિક મિત્રો પાસેથી પેમેન્ટ આવવાનું હતું, આ પેમેન્ટ મેળવી લીધા બાદ તેઓ રૂપિયા ભરેલો પોતાને ઘરે પરત લઈને આવતા હતા. પરંતુ રસ્તામાં તેમને આ ચોર લુટારાઓ અડી ગયા અને ચોરી કરીને જતા રહ્યા હતા, આ ઘટના બની ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો કે, તેમણે વ્યક્તિની વાત ઉપર વિશ્વાસ કર્યો..
અને પોતાનો ફાટેલું પેન્ટ જોવા માટે આમથી આમ ફાફા મારતા રહ્યા એવા તેમના હાથમાં રહેલો થયેલો આ ચોર લુટારા ચોરી કરીને જતા રહ્યા હતા, ત્યારબાદ તેઓએ ઘરે જવાનું ટાળીને તરત જ પોલીસ સ્ટેશનએ ગયા હતા અને ત્યાં ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેમની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે..
કારણ કે, રસ્તા ઉપર કેટલાક લોકોએ તેમનો પેન્ટ ફાટી ગયું છે, તેમ કહીને તેમની નજર ભંગ કરી હતી અને ત્યાર પછી તેમના હાથમાં રહેલો કરોડ રૂપિયા ભરેલો થયેલો ચોરી કરીને જતા રહ્યા છે. પોલીસે ફરિયાદ નોંધાતી હતી, બીજા દિવસે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ બાબત બિલકુલ સત્ય છે..
અને ચોરી કરવા આવેલા વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેમની ઓફિસમાં કામકાજ કરનારા કારીગરો હતા. આજે વેશ બદલીને તેમની પાસે આવ્યા હતા વેપારીએ જણાવ્યું કે, તેઓ આટલી મોટી રકમનો થેલો પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે, તેની જાણકારી તેમની ઓફિસમાં કામ કરતા કારીગરો સિવાય કોઈ પણ વ્યક્તિ પાસે ન હોવાને કારણે શંકા પણ તેમના ઉપર જતી..
અને હકીકતમાં આ બંને કારીગરોએ તેના જ શેઠને લૂંટી લેવાનું કામ રચી નાખ્યું હતું, પરંતુ સીસીટીવી કેમેરામાં તમામ કરતુતો પકડાઈ ગઈ હતી, પોલીસે હાલ આ બંને કારીગરોની ધરપકડ કરી લીધી હતી. અને તેમની પાસેથી રૂપિયા મેળવીને વેપારીને પરત આપી દીધા હતા. કહેવાય છે કે, અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે..
કારણ કે, આપણે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો હોય આખરે એ જ વ્યક્તિ કોઈ જરૂરિયાત ઊભી થઈ જવાને કારણે આપણી સાથે છેતરપિંડી કરી જતા હોય છે અને આપણે જોતાને જોતા જ રહી જઈએ છીએ. આ વેપારીએ જણાવ્યું હતું કે, તેમની ઓફિસમાં કામ કરનારા બંને કારીગર ઉપર તેમને મન મૂકીને વિશ્વાસ હતો..
તેઓના ઘણા બધા કામકાજ કરો એ ખૂબ જ સારી રીતે પાર પાડી દીધા હતા, પરંતુ અંત સમયે આ કારીગરોએ જ તેમને છેતરપિંડીનો ભોગ બનાવી દીધા હતા, પરંતુ સદનસીબે તેમના કરોડો રૂપિયા ભરેલો થયેલો તેમની પાસે પરત આવી જતા તેઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]