જ્યારે પણ કોઈ માણસ પરિસ્થિતિથી કંટાળી જઈને હતાશ થયો હોય ત્યારે તે કોઈપણ વ્યક્તિના શબ્દોને મગજમાં ઉતારી લેતો હોય છે, અને તેઓ જેમ કહે તેમ કરવા માટે રાજી પણ થઈ જતો હોય છે કારણ કે, એ વખતે તેમની પાસે ગુમાવવા માટે કશું બાકી હોતું નથી. હાલ એક પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીની અંદરથી પસાર થતો હતો..
પરિવાર ખૂબ જ વૈભવશાળી હતો અને ખૂબ જ સારા સંપત્તિ અને ઘર મકાન અને માન સન્માન ધરાવતો હતો, પરંતુ આ પરિવાર ઉપર એવી દશા બેઠી ગઈ હતી કે ધીમે-ધીમે જેમણે રચાવેલી તમામ સંપત્તિઓની સાથે સાથે મકાન પણ ચાલ્યું ગયું હતું. આ ચોંકાવનારી ઘટના ધીરેન્દ્ર ભાઈના પરિવાર સાથે બની હતી..
ધીરેન્દ્રભાઈ અને સંતોષભાઈ નામના બે સગા ભાઈઓ સંયુક્ત કુટુંબમાં જીવન જીવતા હતા, શહેરના ખૂબ જ સારા વિસ્તારમાં તેમનો કરોડો રૂપિયાનો બંગલો આવેલો હતો, આ ઉપરાંત આ બંને ભાઈઓનો કાપડનો વેપાર એટલો બધો સરસ ચાલતો હતો કે તેમને હંમેશા સુખની કડીઓથી ચાલતી હતી..
પરંતુ અચાનક જ તેમના ઘરે એક પછી એક દરેક સભ્યોને ખૂબ જ લાંબી બીમારીઓ શરૂ થવા લાગી હતી, આ બીમારીઓની અંદર ઘર ધીમે-ધીમે ધોવાતુ ચાલુ થઈ ગયું અને એક પછી એક તમામ સંપત્તિઓને વેચીને સર્જરી ઓપરેશન તેમજ જુદી-જુદી ટ્રીટમેન્ટો પણ કરાવી પડતી હતી, આ સાથે સાથે તેમનો વ્યવસાય પણ હવે ખૂબ જ નબળો પડી જવા પામ્યો હતો..
પરિવાર ખૂબ જ આર્થિક રીતે સંગ્રામણમાં આવી ચૂક્યો હતો અને આવા સમયે ધીરેન્દ્રભાઈ અને સંતોષભાઈ બંને ખૂબ જ હતાશ થઈ ગયા હતા, એ વખતે રજાના દિવસે તેમના ઘરે એક તાંત્રિક આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું કે, તમારા ઘરની અંદર દૂરદશા બેસી ગઈ છે, જો તમે તમારા ઘરની અંદર રહેલા કાળા છાયાને હટાવશો નહીં..
તો સાતમા નોરતે તમારા પરિવારનો જીવ પણ જોઈ શકે છે, આ વાત સાંભળતાની સાથે સંતોષભાઈ અને ધીરેન્દ્ર ભાઈ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કારણ કે, તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી એવી પરિસ્થિતિઓ સહન કરી રહ્યા હતા કે તેમને આ તાંત્રિકની વાત સાચી લાગવા લાગી હતી કે, નક્કી તેમના પરિવાર ઉપર કોઈ કાળીશક્તિ બેસી ગઈ છે..
જેના કારણે તેમના પરિવારની દુરદર્શા થઈ જવા પામી છે, તેઓએ તાંત્રિકને કહ્યું કે, આ કાળીશક્તિઓને ઘરમાંથી જડમૂડમાંથી કાઢી નાખવા માટે શું કરવું પડશે તો તાંત્રિકે જણાવ્યું કે, જો તમે હવન કરાવશો તો બધું જ સરખું થઈ જશે, હું તમારા ઘરે હવન કરાવી આપીશ પરંતુ જો તમે હવન કરાવવાની ના પાડશો તો સાતમા નોરતે તમારા પરિવારનો જીવ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે..
નવરાત્રિના સાતમા દિવસ તમારા માટે કાળ સમાન સાબિત થશે અને તાંત્રિકના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે ધીરેન્દ્રભાઈ અને સંતોષભાઈએ તેમને હવન માટે હા પાડી દીધી હતી અને જણાવ્યું કે, તમને જેટલા પણ રૂપિયા જોશે તેટલા રૂપિયો તેવા તેઓ આપશે પરંતુ તેમને તેમના ઘરની અંદર સુખ શાંતિ જોઈએ છે..
તાંત્રિકે જણાવ્યું કે, તમારે અત્યારે જ હવન શરૂ કરાવી દેવો પડશે અને આ હવન માટે તમારે કુલ ૩ લાખ રૂપિયાની રકમ આપી પડશે જેની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓ સામેલ છે, ધીરેન્દ્રભાઈ અને સંતોષભાઈએ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર તાંત્રિકની આટલા રૂપિયા આપી દીધા હતા..
અને બીજા જ દિવસે તાંત્રિક હવન કરાવવા તેમના ઘરે આવવાને બદલે આ રૂપિયા લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, ત્યારે પરિવારને સમજાયું કે આ તાંત્રિક કોઈ અસલી તાંત્રિક હતા નહીં હકીકતમાં તે તેમની પાસેથી રૂપિયા પડાવીને જતા રહ્યા છે, તેનો કોઈ પણ પ્રકારનો અતો પતો ન મળતા અંતે મૂંઝાયેલા ધીરેન્દ્ર ભાઈ અને સંતોષભાઈ નજીકના પોલીસ સ્ટેશનને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા..
હકીકતમાં આજકાલના સમયની અંદર કેટલાક લોકોની ધાર્મિક આસ્થા અને લાગણીનો લાભ ઉઠાવીને તેમની સાથે એવી કાળી કરતુતો કરી નાખતા હોય છે કે, બિચારો પરિવાર મૂંઝવણની અંદર મુકાઈ જતો હોય છે. આજકાલના સમયમાં દરેક લોકોએ ચેતીને જીવન જીવવું જોઈએ કારણ કે, સહેજ અમથી પણ ચૂપ થઈ જાય તો ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો જે તે વ્યક્તિનો આવી જતો હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]