ક્યારે શું થાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે આપણે જે પરિસ્થિતિની અંદર જીવન જીવતા હોય ત્યાં હંમેશા મોજ મજા અને આનંદથી જીવન જીવી લેવું જોઈએ કારણ કે, આવનારી મિનિટમાં આપણી સાથે શું થવાનું છે, તેની જાણકારી કોઈ પણ વ્યક્તિને હોતી નથી. આપણે રોજબરોજના જીવન વ્યવહાર દરમિયાન એવા પણ ઘણા બધા કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે..
જેમાં માત્ર બે મિનિટ પહેલા જે વ્યક્તિ આપણી સામે હસતો ખેલતો મોજ મજાથી જીવન જીવતી હોય એ જ વ્યક્તિ બે મિનિટ બાદ આપણી સામે મૃત હાલતમાં પણ દેખાઈ આવતો હોય છે, અત્યારે કંઈક એવું જ બનાવ સામે આવતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો..
આ ઘટના ક્રિષ્ના પાર્ક કોલોની માંથી સામે આવી છે, કોલોનીના મકાને નંબર 11 માં મનસુખભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, મનસુખભાઈના સગા સંબંધીઓ તેમના ઘરે રોકાવા માટે આવી પહોંચીયા હતા. ઘરે આવેલા મહેમાન માટે મનસુખભાઈની પત્ની ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી..
મનસુખભાઈના ઘરે મહેમાન તરીકે આવેલા વિનોદભાઈ ચા ની ચૂસકી લેતા હતા, એ વખતે તેમની સાથે અચાનક જ એવું થઈ ગયું કે માત્ર બે સેકન્ડમાં તરફડિયા ખાઈને તેમનો જીવ ચાલ્યો ગયો હતો. વિનોદભાઈ તેમની પત્ની મીનાક્ષીબેન અને તેમનો નાનકડો દીકરો યજ્ઞ મનસુખભાઈ ના ઘરે મહેમાન બનીને આવ્યા હતા..
તેઓને શહેરમાં અન્ય જગ્યાએ પ્રસંગમાં હાજરી આપવા માટે જવાનું હતું, અને તેઓ મનસુખભાઈના ઘરે ઉતારો કરી ત્યાંથી ચા નાસ્તો કર્યા બાદ પ્રસંગે જવા માટે નીકળવાના હતા, પરંતુ ચા ની ચુસ્કી લેતી વખતે વિનોદભાઈ અચાનક જ નીચે ઢળી પડયા અને તેમના હાથમાંથી ચા ની રકાબી પણ નીચે પડી ગઈ હતી..
ચા પિતા પિતા નીચે ઢળી પડતાની સાથે જ મનસુખભાઈના પણ મોતિયા મરી ગયા કારણ કે, તેઓ પોતાની નજર સામે આ ચોંકાવનારૂ દ્રશ્ય જોઈ શક્યા નહીં, તેઓએ તરત જ પડોશમાં રહેતા અનિલભાઈને મદદ માટે બોલાવ્યા અને તેમની કારમાં વિનોદભાઈ ને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..
આ નજીકની હોસ્પિટલમાં જ્યારે તેમની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે તેને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ આપવી પડી હતી, ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમને અન્ય હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે ટૂંકી સારવાર બાદ જણાવી દીધું કે, વિનોદભાઈનું હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે મૃત્યુ થયું છે..
તેને તાત્કાલિક ધોરણે સારવાર મળવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ તેમને પ્રાથમિક સારવાર લેવા માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાંથી બીજી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવી રહ્યા હતા, એ વખતે તેમનો જીવ ચાલ્યો ગયો હતો. જે વ્યક્તિ ચા ની ચુસ્કી લેતા લેતા આનંદની વાતો કરી રહ્યો હતો..
એ જ વ્યક્તિનું માત્ર બે સેકન્ડમાં તરફડિયા ખાઈને જીવ ચાલ્યો જતા મોતનો માતમ છવાઈ ગયો હતો, ઘટનાના સમાચાર વિનોદભાઈના પરિવારજનો તેમજ તેમના માતા પિતા સુધી પહોંચે ત્યારે તેઓ પણ શહેરમાં આવી પહોંચ્યા હતા. વિનોદભાઈના મૃત્યુના સમાચારને લઈને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો..
મનસુખભાઈ તેમજ તેમનો પરિવાર પણ હિબકે ચડ્યો કારણ કે, તેમના ઘરે મહેમાન બનીને આવેલા વિનોદભાઈનો અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. શરૂઆતમાં તો લાગ્યું કે, એક શ્વાસે ચા પી લેવાને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હશે તું અંતે ખબર પડી કે, વિનોદભાઈ નું મહત્વ હૃદય રોગનો હુમલો આવી જવાને કારણે થયું છે. આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]