સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ જગડાની વાત અન્ય લોકો સુધી પહોંચે ત્યારે તેઓને ભારે શરમનો અનુભવ કરવો પડે છે. પરંતુ તેઓ સંપતિ માટે કરતા દરમિયાન એક પણ વાર એવું વિચારતા નથી કે, આપણા માતા-પિતાએ ભેગી કરેલી સંપત્તિ છે..
જેને સરખા ભાગે વહેંચી લેવી જોઈએ. પરંતુ સંપત્તિને લઈને કરવામાં આવતો ઝઘડો બિલકુલ ખોટી બાબત છે. અત્યારે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં બે સગા ભાઈઓ સંપત્તિની બાબતમાં આટલા બધા લડાઈ ઝઘડામાં ઉલજી ગયા હતા કે, જેમાં નાના ભાઈનું મૃત્યુ પણ થઈ ગયું છે. પ્રેમ નગર વિસ્તાર પાસે આવેલા ગઢિયા ગામમાં મોટો ભાઈ આસારામને તેનો નાનો ભાઈ અયોધ્યા પ્રસાદ બંને પોતપોતાના પરિવાર સાથે જીવન જીવતા હતા..
બંને ભાઈઓના પિતા મુન્નાલાલ રેલવેમાં કર્મચારી હતા. તેઓએ ભેગી કરેલી ધન સંપત્તિથી અંદાજે 10 એકર જેટલી જમીન ખરીદી હતી. છેલ્લા સમયથી તેમની તબિયત બગડેલી હોવાને કારણે એક દિવસ તેમનું અવસાન થઈ ગયું. મુન્નાલાલનો મોટો દીકરો આશારામ એક સરકારી નોકરી કરતો હતો..
જ્યારે તેમનો નાનો દીકરો અયોધ્યા પ્રસાદ આ દસ એકર જમીનની અંદર ખેતી કરીને જીવન ગુજારતો હતો. જ્યારે મોટો ભાઈ તેની લાંબી નોકરી કરીને રિટાયર્ડ થઈ ગયો ત્યારબાદ તેને આ જમીનની અંદર પોતાનો ભાગ માંગ્યો હતો અને જણાવ્યું કે આ 10 એકર જમીન તેમના પિતાજીએ લીધેલી છે. જેથી તેમાંથી પાંચ એકર જમીન મને આપી દેવી જોઈએ અને પાંચ એકર જમીન તારે રાખવી જોઈએ..
પરંતુ નાનો ભાઈ જણાવવા લાગ્યો કે, તેની પાસે કમાવવા માટે બીજું કોઈ પણ સાધન નથી. પિતાજી આપેલી દસ એકર જમીન તે વર્ષોથી ખેતી કરીને જીવન ગુજારે છે. એટલા માટે આ જમીન તે કોઈને પણ નહીં આપે, તો બીજી બાજુ મોટો ભાઈ આ જમીનને હડપવા માટે નાનાભાઈ સાથે લડાઈ ઝઘડો કરવા લાગ્યો હતો.
આ લડાઈ ઝઘડામાં કયો વ્યક્તિ સાચો હતો અને કયા વ્યક્તિની ભૂલ હતી. તે હજુ પણ જાણી શકાયું નથી. પરંતુ આ બંનેના પરિવારજનો પણ એકબીજાને ઢોર મારવા પર ઉતરી આવ્યા હતા. એક દિવસ જ્યારે નાનુભાઈ પોતાના ઘરે પરિવાર સાથે ભોજન જમતો હતો. ત્યારે મોટાભાઈ નો પરિવાર ત્યાં આવી પહોંચ્યો અને નાનાભાઇના પરિવારજનો સાથે લડાઈ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું..
આ લડાઈ ઝઘડો ધીમે ધીમે એટલો બધો આગળ વધી ગયો કે, મોટાભાઈના દીકરાઓએ નાના ભાઈને માટે ઝૂડી નાખ્યો હતો. નાનાભાઈ અયોધ્યા પ્રસાદનું માથું જમીન ઉપર ભટકાવવાને કારણે હોશ ગુમાવીને બેભાન થઈ ગયો હતો. જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ કે તેને મગજમાં ઈજા પહોંચી છે..
જેને લઇ તેનું મૃત્યુ થઈ ગયું છે. હોસ્પિટલમાં તેને ટૂંકી સારવાર આપવામાં આવી પરંતુ તે બચી શક્યો હતો નહીં, ત્યારે તેના બાળકોને તેમજ તેની પત્ની અને પણ હાથ અને પગે ફ્રેક્ચર થઈ ગયું છે. આ મારામારીના બનાવોમાં નાના ભાઈના પરિવાર જોડે તેના મોટાભાઈ આસારામ તેના દીકરા સંતોષ બબલુ તેમજ મુકેશ આ સૌ કોઈ સામે ફરિયાદ નોંધાવી છે..
આ ઉપરાંત સંતોષની પત્ની પુષ્પા, બબલુની પત્ની સંગીતા સામે પણ ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, આ આખો પરિવાર તેમના ઘરે પછી આવ્યો હતો અને તેમને ઢોર માર્યો છે. જેમાં તેમના પરિવારને એક સભ્યનું મૃત્યુ પણ થઈ ગયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]