ખૂબ જ મોટા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઘરેલુ ચીજ વસ્તુઓનું ખૂબ ધ્યાન રહેતું નથી, તેમનું મોટા ભાગનું ધ્યાન વ્યવસાય કેવી રીતે આગળ વધારી શકાય તેમાં રહે છે. તેમના ઘરની અંદર કામકાજ કરવા માટે પણ નોકર ચાકર રાખવામાં આવે છે. પરંતુ જાણ્યા અજાણ્યામાં પાછળના બે થી ત્રણ વર્ષની અંદર અંદર એવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે કે..
જેમાં કરોડપતિ પરિવારમાં ઘરની અંદર કામ કરતાં નોકર એવું કરી બેસે છે જેને લઈને કરોડપતિ શેઠને ડોળા ફાડીને જોવાનો વારો આવી જતો હોય છે, અત્યારે વધુ એક બનાવો તિરૂપતિ કોલોનીમાંથી સામે આવી ચૂક્યો છે, આ કોલોનીમાં હરિનાથ ભાઈ નામના એક કરોડપતિ સેઠ તેમના બંગલામાં પરિવારજનોની સાથે રહે છે..
હરિનાથ ભાઈ મેન્યુફેક્ચરિંગનો ખૂબ જ મોટો વ્યવસાય ચલાવે છે, જુદા-જુદા શહેરોમાં તેમની ઘણી બધી ફેક્ટરીઓ ચાલે છે. આ કરોડપતિ શેઠના બંગલાની અંદર ઘણા બધા નોકર ચાકર કામકાજ કરે છે. તેમનો મોટો દીકરો વિદેશમાં વસવાટ કરે છે, જ્યારે નાનો દીકરો વ્યવસાયના કામકાજ માટે બહારગામ ગયો હતો..
એ વખતે હરીનાથ ભાઈના ઘરડા માતા-પિતાની સેવા ચાકરી કરવા માટે હરિનાથ ભાઈએ તેમના ઘરની અંદર બે નોકર ચાકર રાખ્યા હતા, જે તેમના ઘરડા માતા-પિતાની સેવા કરી શકે અને તેમને જે પણ ચીજ વસ્તુની જરૂરિયાત પડે તેને સમયસર આપી શકે. સવારના સમયે હરીનાથ ભાઈ તેમની ફેક્ટરીએ જવા માટે નીકળી ગયા હતા..
ત્યારે ઘરે માત્ર તેમની માતા પિતાની સેવા માટે હાજર રહેલા નોકરો તેમજ તેમના ઘરડા માં બાપ હતા. હરિનાથ ભાઈના માતા-પિતા ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા, એટલા માટે તેઓ પથારીવશ હતા. આ બંને નોકરોએ હરિનાથ ભાઈના માતા પિતાની સાર સંભાળ રાખવાને બદલે હરિનાથ ભાઈના ઘરની અંદર શરૂઆતમાં દિવસોમાં રેકી કરીને ક્યાં કીમતી ચીજ વસ્તુઓ રાખવામાં આવે છે..
તેની ભાળ મેળવી લીધી હતી અને મોકો મળતાની સાથે જ આ કરોડપતિ શેઠના ઘરની અંદર ખૂબ જ મોટી ચોરી કરીને તેઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે સાંજના સમયે હરીનાથ ભાઈ ઘરે આવ્યા અને જોયું તો તેમના કબાટનું તાળુ તૂટેલું હતું, જ્યારે તેમના ઘરડા માતા-પિતા આ બાબતથી બિલકુલ અજાણતા કારણ કે, તેઓ પથારીવશ હતા..
એટલા માટે તેઓને આ વાતની કોઈ જાણકારી રહી નહીં, જ્યારે તેમના ઘરની અંદર નોકર તરીકે કામકાજ કરતા વ્યક્તિઓ તેમના કબાટમાંથી અંદાજે ત્રણ કિલો સોનું અઢી કિલો ચાંદી તેમજ 12 લાખ રૂપિયા રોકડા લઈને રફુ ચક્કર થઈ ગયા છે, આ ઘટનાને લઈને તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી..
અને જણાવ્યું કે તેમના ઘરની અંદર તેમના માતા-પિતાની સેવાચાકરી માટે રાખવામાં આવેલા નોકર ખૂબ જ મોટી ચોરી કરીને જતા રહ્યા છે તેમના બંગલાની બહારની બાજુએ લાગેલા સીસીટીવી કેમેરાની અંદર આ બંનેનો કરો કેદ થયા છે. અને તેઓ ચોરીની રકમ લઈને જતા હોય તેવું દેખાઈ આવ્યું છે..
આ ફૂટેજ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, અને આ બંને વ્યક્તિઓને પકડવા માટે જુદી જુદી ટીમો પણ બનાવી લેવામાં આવી છે. બિચારા હરીનાથ ભાઈ આ બધી બાબતોથી બિલકુલ અજાણ હતા. આ ઘટના સવારના સમયે બની ચૂકી હતી, જ્યારે રાત્રિના સમયે હરિના ભાઈ ઘરે આવ્યા ત્યારે તેમને આ વાતની જાણકારી મળતા જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી..
કારણ કે એટલી મોટી રકમને મહેનત કરીને ગમાવી ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે ચોર લૂંટારાઓ માત્ર ગણતરીની મિનિટોની અંદર જ આ તમામ કિંમત લૂંટીને જતા રહ્યા છે. આ બનાવને લઈને તેમની આસપાસની શેરીઓમાં પણ ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]