સવારના સમયે મહિલાઓ ઘરકામ કરતી વખતે ઘણી બધી વાર પોતાના ઘરનો દરવાજો ખુલ્લો મૂકી દેતા હોઈ છે. જો સોસાયટીમાં સારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોય તો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો સોસાયટીમાં રેઢા રાજ ચાલતા હોય તો અમુક વખતે ચોંકાવનારી ઘટના પણ બની જતી હોય છે..
અત્યારે ચંદ્રિકાબેન નામની મહિલાના ઘરે અતિશય હચમચાવી દેતી ઘટના બની ગઈ છે, જેને જાણ્યા બાદ સોસાયટીમાં રહેતા અન્ય લોકોના પણ હોશ છૂટી ગયા છે. આ ઘટના જાણીને દરેક મહિલાએ ચેતી જવું જોઈએ, મોટાભાગે સવારના સમયે ઘરના પુરુષો પોતાની નોકરી કે ધંધે ચાલ્યા જાય છે..
ત્યારબાદ મહિલાઓ ઘરે એકલી રહીને ઘરકામ કરે છે. તેમજ અન્ય કામકાજ પણ હાથ ધરે છે. આવા સમયે મહિલાની સુરક્ષા અને સલામતીએ ખૂબ જ મોટો પ્રશ્ન સાબિત થયો છે. ગુરુકૃપા નગર સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન એક દિવસ સવારના સમયે ઘરકામ કરતી વખતે તેના પડોશી સાથે વાતચીતો કરવા લાગ્યા હતા..
તેમના પડોશીઓ વિદેશ ફરીને આવ્યા હોવાથી તેમની સાથે વાતચીત કરવા માટે તેઓ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને જ ચાલ્યા ગયા હતા. તેઓ આ વાતચીતની અંદર એટલા બધા મશગુલ બની ગયા કે, તેમની ઘરની અંદર કોઈ વ્યક્તિએ પ્રવેશ કરી લીધો તેની કોઈપણ તેમને ખબર પણ પડી નહીં…
હકીકતમાં જ્યારે તેઓ આ વાતચિત પૂર્ણ કરીને તેમના ઘરે પરત આવ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના કબાટનું તાળું તૂટેલું છે અને અંદર રહેલા સોનાના દાગીના તેમજ તેમણે સાચવીને મુકેલા રોકડ રૂપિયા પણ ગાયબ છે. તેઓ માત્ર 15 થી 20 મિનિટ માટે તેમના પડોશી સાથે વાતચીત કરવાની અંદર મજબૂર રહ્યા એમાં તો તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી..
ચોરીની આ ઘટના નક્કી કોઈ નજીકના વ્યક્તિએ જ કરી હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે ચંદ્રિકાબેન તેના પાડોશી સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે, અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો છે. આ ઉપરાંત તેમના કબાટમાંથી કીમતી ચીજ વસ્તુ મળી જ રહેશે તેની જાણકારી એકદમ નજીકના વ્યક્તિ હોય તેને જ હોઈ શકે છે..
કોઈ બહારના વ્યક્તિને આવી માહિતીઓની જાણ હોતી નથી. એટલા માટે તેઓએ તરત જ તેમના પતિને ફોન કરીને જણાવ્યું કે, તેઓ તરત જ ઘરે પહોંચે. કારણકે તેમના ઘરે ખૂબ જ મોટી ચોરીનો બનાવ બની ગયો છે. પતિ અને પત્ની બંને પોલીસ સ્ટેશને હાજર થયા અને ત્યાં જણાવ્યું કે તેમના ઘરે ચોરી થઈ છે..
તેઓ માત્ર 15 મિનિટ માટે ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને પડોશી સાથે વાતચીત કરવા માટે આવ્યા હતા. ત્યાં તો તેમના ઘરેથી ચોરી થઈ ગઈ છે. જ્યારે પોલીસ એ સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી અને આ ચોર લૂંટારા કોણ છે, તેની જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે ચંદ્રિકાબેન તેમના આજે પડોશી સાથે વાતચીત કરવા માટે ગયા હતા..
એ પડોશીનો દીકરો જ ચંદ્રિકાબેનના ઘરેથી ચોરી કરીને જતો રહ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો ત્યારે ખબર પડી કે, આ એક જાળ ફેલાવવામાં આવી હતી. જેમાં તેમના પડોશમાં રહેતી મહિલાએ ચંદ્રિકાબેનને પોતાની વાતોની અંદર સુલજાવી રાખ્યા હતા અને એ સમય દરમિયાન એ પડોશી મહિલાના દીકરાએ ચંદ્રિકાબેન ના ઘરે જઈને ચોરી કરી લીધી હતી…
તેઓ જે પાડોશીને પોતાના પરિવારનો સભ્ય સમજતા હતા, તે જ પાડોશીઓની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી નાખી હતી. સુખ અને દુઃખની ઘડી આવી પડી એ સૌપ્રથમ પાડોશી જ આપણી સાથે આવીને ઉભો રહે છે. આ કિસ્સો સાંભળ્યા બાદ હવે પડોશી પ્રત્યયોનો લોકોનો વિશ્વાસ ખૂબ જ ઓછો થવા લાગ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]