Breaking News

ઘરની સામે રમતા દીકરાની લાશ કોથળામાં નાખીને કોઈક ઘરને બહાર મૂકી ગયું, કોથળો ખોલતા જ માં-બાપના ડોળા ફાટેલા જ રહી ગયા..! વાંચો..

ઘરની સામે હસતા ખેલતા રમતા દીકરા સાથે એવી ઘટના બની જવા પામી છે કે, જેને જાણ્યા બાદ ભલભલા લોકોના કાળજા ધ્રુજી ઉઠ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ચંદનપુરાની છે. અહીં સપાધ વિસ્તાર પાસે વિરેન્દ્ર શર્મા નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે. વિરેન્દ્ર શર્મા એક ફોજી યુવક છે. તેઓ થોડા સમયની રજા ઉપર પોતાને ઘરે પરત આવ્યા હતા..

અને એ સમયે જ તેમના લાડકા 11 વર્ષના દીકરા આર્યન સાથે એવી ઘટના બની ગઈ છે કે, સમગ્ર પરિવારજનો મોતના માતમમાં ચાલ્યા ગયા છે. વિરેન્દ્ર શર્માનો 11 વર્ષનો દીકરો આર્યન તેના ઘરની બહારની જગ્યા ઉપર રમી રહ્યો હતો. ત્યારે તે અચાનક જ ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી..

પરંતુ ક્યાંય થી પણ તેની જાણકારી ન મળતાં તે તેઓએ દેહાત પોલીસ સ્ટેશનમાં સુચના પણ આપી હતી કે, તેમનો દીકરો આર્યન ઘર સામેથી રમતો રમતો અચાનક જ ગાયબ થઈ ગયો છે. બપોરના સમયે આ ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાની સાથે જ તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી..

જેમાં જુદી-જુદી ટુકડીઓ બનાવવામાં આવી અને આર્યનને શોધવા માટે તેના ફોટોગ્રાફ લઈને દરેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. પરંતુ ક્યાંયથી આર્યન નો અતો પતો ન મળતા વિરેન્દ્ર શર્મા તેમજ તેમના પરિવારજનો ખૂબ જ દુઃખી થયા હતા. માતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..

કારણ કે તેના લાડકા દીકરાને લઈને તેને ઘણા બધા સ્વપ્ન જોયા હતા. તે સૌથી વધુ પ્રેમ તેના લાડકા દીકરાને કરતી હતી. અને હવે એ જ દીકરો અચાનક ગાયબ થઈ ગયો હોવાથી તેને શોધવા માટે તેની માતા આમથી આમ હડિયાપાટી કરી રહી હતી. જેમતેમ કરીને પરિવારજનો એ રાત વિતાવી અને બીજે દિવસે સવારમાં તેઓએ ઘરની બહાર જોયું તો એક અજાણ્યો કોથળો મળી આવ્યો હતો..

આ કોથળાને ખોલતાની સાથે જ માતા પિતાના હોશ ઉડી ગયા હતા. કારણ કે અંદરથી તેમના દીકરાની લાશ મળી આવી હતી. જેનો હાથ કોથળાની બહારથી દેખાઈ આવતો હતો. આ દ્રશ્ય એટલું બધું ચોકાવનારું હતું કે તેને નજરે જોનારા લોકોની ઊંઘ ઊડી ગઈ છે. તો કેટલાક લોકો ભયના માહોલમાં ચાલ્યા ગયા છે..

તેઓએ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી કે, તેમનો દીકરો આર્યન તેમના ઘરની બહાર એક કોથળામાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. ઘટનાના સમાચાર ધીમે ધીમે આસપાસના સૌ કોઈ લોકોની સાથે સાથે સમગ્ર ગામડામાં ફેલાઈ ગયા હતા કે, આર્યનનું મૃત્યુ થઈ ગયું છે..

અને કોઈ વ્યક્તિએ તેને મોતને ઘાટ ઉતારી કોથળામાં પૂરીને આર્યનના ઘરની બહાર જ ફેંકી દીધો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સૌ કોઈ લોકો વિચારવા લાગ્યા કે, આ કેવો આરોપી છે કે જેને આ નાનકડા દીકરા ઉપર સહેજ પણ દયા આવી નથી. અને તેને મોતને ઘાટ ઉતારીને તેના જ ઘરની બહાર ફેંકીને ચાલ્યો ગયો છે..

આવા આરોપીને પકડી પાડીને કડકમાં કડક સજા કરવી જોઈએ. હાલ આ ઘટનાને લઈને પોલીસ અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે. જેમાં સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. તેમજ આસપાસના ઘણા બધા લોકોના નિવેદનોને પણ નોંધવામાં આવ્યા છે..

કારણકે આ એક ખૂબ જ ચોંકાવનારો મામલો સાબિત થયો છે. જેમાં એક પરિવાર એ તેનો લાડકો 11 વર્ષનો દીકરો ખોયો છે. વિરેન્દ્ર શર્મા નામના યુવક તેમજ પરિવારજનોને અન્ય કોઈ વ્યક્તિ સાથે દુશ્મની હતી કે, નહીં. તેની પણ પોલીસ જાણકારી મેળવી રહી છે. કારણ કે અગિયાર વર્ષના માસુમ દીકરાને મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિ પોતાના મનમાં શું સમજીને આ બધી ગતિવિધિઓને વેગ આપી રહ્યો હશે..

તે જાણવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઇ આસપાસના વિસ્તારમાં ફફડાટ સર્જાઈ ગયો છે. તો આર્યનના માતા પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ છે. દિન પ્રતિ દિન ગુનાખોરીની પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે જેની ન પૂછો વાત…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *