એક જ પરિવારની બે લાડકી દીકરીઓના જીવ ચાલ્યા જવાને કારણે સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું છે, આ ઘટના રાજસ્થાનના બાલીના પીપળી ગામની છે, આ ગામની અંદર 16 વર્ષની કાજલ અને 13 વર્ષની મનીષા નામની બે દીકરીઓ તેના પિતા કેસરનાથ કાલબેલિયાની સાથે જીવન ગુજારે છે..
આ ગામની નજીકથી એક નાળું પસાર થાય છે, જેમાં વરસાદી પાણી આવી જવાને કારણે ગામના ઘણા બધા રહીશો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ બંને બહેનો સવારના સમયે તેના ઘરેથી બકરીઓ ચરાવવા માટે નીકળી પડી હતી, આ બંને દીકરીઓ બકરી ચરાવતી ચરાવતી આં નાળા પાસે પહોંચી અને ત્યાં નાની બહેન મનીષાનો પગ લપસી જવાને કારણે તે આ નાળાની અંદર પડી ગઈ હતી..
અને તે પાણીમાં ડૂબવા લાગી હતી, પોતાની નાની બહેનને ડૂબતી જોઈ મોટી બહેન તેને બચાવવા માટે નાળામાં કૂદી પડી હતી, આ નાળાની અંદર પાણીનો વહેણ ખૂબ જ વધારે હોવાને કારણે આ બંને દીકરીઓ તણાવા લાગી અને જોતજોતામાં તે ડૂબી જવાને કારણે બંને દીકરીઓને મૃત્યુ થઈ ગયું હતું..
બિચારો પરિવાર આ બાબતથી અજાણ હતો કે, તેમની બંને દીકરી બકરી ચરાવતી વખતે વરસાદી પાણીના નાળાની અંદર ડૂબી જવાને કારણે મૃત્યુ પામી છે, જ્યારે લાંબા સમય સુધી આ બંને દીકરીઓ બકરી ચરાવીને તેમના ઘરે પરત ન પહોંચી ત્યારે તેના પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી..
તેઓએ જ્યારે આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી ત્યારે આ નાળામાં ધરતી લાશો દેખાઈ આવી હતી, જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, આ બંને લાશો તેમની જ બંને દીકરીઓની છે. ઘરની લક્ષ્મી સમાન બંને દીકરીઓ એક જ સાથે મૃત્યુ પામતા પરિવાર માથે ખૂબ જ મોટી આફત આવી પડી હતી..
કેસરનાથ અને તેમની પત્ની માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં, કારણકે એક જ ઝાટકે તેમની બંને દીકરીઓના મૃત્યુ થઈ ચૂક્યા હતા. આ બંને દીકરી તેમના જીવનમાં સુખ અને દુઃખની ઘડી આવી પડીએ તેના માતા પિતાની સાર સંભાળ રાખતી હતી. ઉંમરમાં ભલે દીકરીઓ ખૂબ જ નાની હોય પરંતુ તેમનામાં ખૂબ જ સારી સમજણ હતી..
પરંતુ એક કાળભર્યા ઘટનામાં બંને દીકરીઓના મોત થઈ જતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું, કેસરનાથ ભાઈ અને તેમની પત્નીને સાંત્વના પાઠવવા માટે આસપાસના પડોશીઓ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાને લઇ ચારેકોર શોકનો માહોલ છવાઈ ગયો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]