Breaking News

ઘરની બહાર ફળિયામાં ખાટલો નાખીને સુતેલા વડીલ સાથે અડધી રાત્રે થયું એવું કે આખો પરિવાર હિબકે ચડ્યો, હચમચાવતો કિસ્સો..!

આધુનિક સમયમાં લોકો પોતાના ઘરે પણ સુરક્ષિત રહ્યા નથી. અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એકસાથે અચાનક જ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. સાંજે સુતા લોકોના ઊંઘ મૃત્યુ થઈ રહ્યા છે. આવી એક ઘટના હરિયાણાના સોનીપત જિલ્લાના બૈરવલી ગામમાં રહેતા પરિવારના વડીલ સાથે બની હતી.

વડીલ નું નામ મહેન્દ્રભાઈ હતું. તેમની ઉંમર 65 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા અને તે ખેતી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તેમના દીકરાઓને મદદ કરતા હતા. મહેન્દ્રભાઈ દરરોજ પોતાના ઘરની બહાર સૂતા હતા અને ઘણીવાર તે પોતાના ઘરે આવેલા વાડામાં અથવા તો બહારના ફળિયામાં સુઈ રહેતા હતા.

અને તેઓ પોતાના ઘરે પશુઓ રાખતા હોવાને કારણે રાતે અને વહેલી સવારે પશુઓને ચારો અને પાણી પાવા માટે ઉભા થતા હતા. સવારે વહેલા ઊઠીને પશુઓને દોહતા હતા. દરરોજ સવારે તેઓ આ કામો કરતા હતા. એક દિવસ તેઓ સાંજના સમયે પોતાના પરિવાર સાથે બેસીને જમ્યા ત્યારબાદ પોતાના ઘરના બહારના ફળિયામાં ખાટલો ઢાળીને તેઓ સુઈ રહ્યા હતા.

મોડી રાત્રે તેઓ પશુઓને ચારો નાખવા માટે પણ ઉભા થયા હતા અને તેમણે પશુઓને પાણી પણ પાયું હતું. ત્યારબાદ ફરીથી પોતાના ખાટલામાં સૂઈ ગયા હતા. સવાર થતાં પોતાના દીકરાને વહુએ જોયું, તો તેમને સસરા ખાટલા પર સુઈ રહ્યા હતા અને તેમણે પશુઓને દોહ્યા ન હતા. જેના કારણે તેમના દીકરાની વહુ સસરાને ઉઠાડવા માટે તેમના ખાટલાની નજીક ગઈ હતી.

તે સમયે દીકરાની વહુને લાગ્યું કે, તેમના સસરાને ઊંઘ આવી ગઈ છે, જેના કારણે તે સુઈ રહ્યા હશે પરંતુ જેવી તે સસરાને જગાડવા માટે ખાટલાની નજીક ગઈ ત્યારે તેમણે જે જોયું તે જોતા ની સાથે ત્યાં ને ત્યાં બૂમ પાડીને બેસી ગઈ હતી અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેમના ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા. જેના કારણે વડીલના દીકરાઓ જાગીને બહાર આવ્યા હતા.

અને દરેક આસપાસના પાડોશના લોકો પણ ભેગા થઈ ગયા હતા. થોડી જ વારમાં તેમના દીકરાના વહુના રોવાનો અવાજ સાંભળતા પાડોશીના લોકો મહેન્દ્રભાઈ ના ઘરે ભેગા થયા હતા. દરેક લોકોએ જોયું તો મહેન્દ્રભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. તેમના પેટના ભાગ ઉપર ધારદાર સાધનના ઘા મારેલા જોવા મળ્યા હતા.

તરત જ દીકરાઓએ પોલીસને આ વાતની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે પરિવારના સભ્યોને પૂછ્યું હતું કે, તેમના કોઈ તેમને કોઈના પર શંકા છે, ત્યારે પરિવારના લોકોને એ જણાવ્યું હતું કે, તેમના પિતા ગામમાં દરેક લોકો સાથે હળી મળીને રહેતા હતા.

તેમને ક્યારેય કોઈની સાથે દુશ્મના વાત થઈ નથી. પરંતુ આવી ઘટના કોણે કરી નાખી તેમ કહીને દીકરાઓ ખૂબ જ રડી રહ્યા હતા. પરિવારના વડીલનું આવું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *