પતિ પત્ની તેમજ પત્ની અને સાસરીયાઓના ઝઘડાઓ આપણે સાંભળ્યા છે. પરંતુ હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે એક એવો ઝઘડો સામે આવ્યો છે. જેને જાણ્યા બાદ તમે પણ બોલી નાખશો કે હકીકતમાં માનવતા નામની ચીજ વસ્તુ ધીમે ધીમે છુપાઈ રહી છે.
ચાંદખેડામાં ગ્રીનપાર્ક સોસાયટી પાસે શ્રવણ મહાવીર સોસાયટીમાં એક મકાનમાં અમિતકુમાર તેમજ તેમનો પરિવાર ભાડે રહે છે. તેઓ આ મકાનમાં છેલ્લા અઢી મહિનાથી ભાડું આપીને રહેતા હતા. આ મકાન તેને તેના મિત્ર બાબુસિંહ યાદવની ઓળખાણથી મળ્યું હતું. મકાન માલિક સત્યેન્દ્રસિંહ સાથે અમિત કુમારે 3000 રૂપિયા મહિનાનું ભાડું નક્કી કર્યું હતું.
એક દિવસ સાંજે ભાડાની બાબતને લઈને મકાન માલિક સત્યેન્દ્ર સિંહ અને ભાડુઆત અમિતકુમાર વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. સામાન્ય રીતે મહિનો પતી જતાં મકાનમાલિક ભાડું ઉઘરાવી લેતા હોય છે. પરંતુ કોઈ કારણોસર અમિત કુમાર અને સત્યેન્દ્રસિંહ વચ્ચે થયેલી બોલચાલ ખૂબ આગળ વધી ગઇ હતી…
સામાન્ય બોલચાલમાં બાદ તેઓ ઉગ્ર બની ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઓ શાંત પણ થઈ ગયા હતા. એવામાં એ જ દિવસે સાંજે અમિત કુમાર ના મિત્ર બાબુસિંહ યાદવ કે જેઓએ અમિતકુમાર ને આ મકાન ભાડે અપાવ્યું હતું તેઓ સત્ય સિંહના ઘરે ગયા હતા. ત્યારબાદ બાબુસિંહ યાદવે સત્યેન્દ્રસિંહને પોતાની સાથે આટો મારવા માટે લઈ ગયા હતા…
સોસાયટીની બહાર આવેલા ખુલ્લા મેદાનમાં તેઓ ગજેન્દ્રસિંહ સાથે ઉભા હતા. એ સમય દરમિયાન અમિતકુમાર પોતાની પત્ની અને બાળકોને સુતા મૂકીને ઘરેથી નીકળી ગયો હતો. અને ખુલ્લા ખેતરમાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે મકાન માલિક સત્યેન્દ્રસિંહને મોઢાના ભાગે તેમજ ગુ.પ્ત ભાગે ખૂબ જ ઊંડા ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી હતી.
બીજા દિવસે સવારમાં પડોશમાં રહેતા લોકોએ મકાન માલિકની પત્ની અને તેના બાળકોને જણાવ્યું હતું કે સત્યેન્દ્રસિંહની લાશ સોસાયટીની બહાર આવેલા મેદાનમાં ક્રિકેટની પીઠ ઉપર પડી છે. આ સાંભળતાની સાથે જ સત્યેન્દ્રસિંહની પત્નીએ પોક મુકી હતી. કારણ કે તેઓના પરિવાર નો બધો જ આધાર સત્યેન્દ્ર સિંહ ઉપર હતો..
પરિવારના મોભી અને તેમના પતિનું અવસાન થતાની સાથે જ પરિવારમાં દુઃખનો માહોલ છવાઇ ગયો હતો. આ બાબતની જાણ સ્થાનિક લોકોએ તેમજ સત્યેન્દ્રસિંહની પત્નીએ પોલીસને કરી હતી. પોલીસને જાણકારી મળતાની સાથે જ આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
હકીકતમાં ખૂબ નાની નાની બાબતોમાં પણ આજકાલ માણસ પિત્તો ખોઈ બેસે છે. અને અંતે ન કરવાના પગલાં ભરી લે છે. આ બાબત બિલકુલ ખોટી છે. જો કોઈ પણ બાબતનો શાંતિથી વાતચીત કરવામાં આવે તો તેને યોગ્ય રીતે સુલજાવી શકાય છે. પરંતુ આજકાલના લોકોમાં આ પ્રકારની વાતો જોવા મળતી નથી..
અને તેઓ હોશ ખોઈ બેસે છે. અને એવું કરી નાખે છે કે જેની સજા તેઓના પરિવારને પણ ભોગવવી પડે છે. ખરેખર આ બાબતને લઇને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પરતું ભાડુઆત યુવક અને મકાન ભાડે અપાવનાર બાબુસિંહ યાદવ પોલીસની પકડમાથું દુર છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]