ઘણી બધી વાર કોઈ વ્યક્તિના છુપાવેલા રહસ્યો જ્યારે બહાર આવી જાય ત્યારે ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ જતો હોય છે, અત્યારે કંઈક એવું જ મોટું રહસ્ય એક ખેડૂતની નજર સામે આવતા ખેડૂતની આંખો ફાટીને બહાર આવી ગઈ હતી. આ ઘટના હાથીયા ગામની છે. આ ગામમાં મનસુખ ભાઈ નામના ખેડૂત તેમના પરિવાર સાથે રહીને ગામની સીમમાં આવેલી 33 વીઘા જમીનમાં જુદો-જુદો પાક વાવી જે પૈસા મળે તેનાથી પરિવારનું જીવન ગુજરાન ચાલતું હતું..
તેમના ખેતરમાં કામ કરવા માટે 8 થી 10 મજૂરોની એક ટુકડી પણ રહેતી હતી. જે ખેતરની અંદર જુદી-જુદી કામગીરીઓ કરીને પાક ઉછેરતા હતા. તેઓએ તેમના ખેતરમાં ઘઉંનો પાક લીધો હતો અને આ પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા બાદ છેલ્લા કેટલાક સમયથી ઘઉંનો ઢગલો તેમના ફળિયાની અંદર ખુલ્લી રીતે મૂકી દેવામાં આવ્યો હતો..
છેલ્લા 25 દિવસથી મનસુખભાઈ તેમની પત્ની સાથે ચારધામની જાત્રાએ ગયા હતા. પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ જ્યારે તેઓએ આગળનો ઢગલો ખોળ્યો હતો. ત્યારે અંદરથી જે ચીજ વસ્તુઓ મળી છે, તે જોઈને તેમના હોશ છૂટી ગયા હતા. તેઓ હવે આ ઘઉંની વેચી દેવા માંગતા હતા એટલા માટે તેઓએ તેમના ખેતરમાં કામ કરતા તમામ મજૂરીને પણ નહીં બોલાવ્યા હતા..
જ્યારે આ ઘઉંના ઢગલાને ખોલવામાં આવી રહ્યો હતો, ત્યારે અંદરથી તેમજ ખેતરની અંદર કામ કરનાર 18 વર્ષના એક યુવકની લાશ મળી આવી હતી. લાશ જોતાની સાથે જ તેઓ હકાબકા રહી ગયા હતા અને અન્ય મજૂરોને પૂછવા લાગ્યા કે, શા માટે આ યુવકની લાશ ઘઉંના ઢગલાની અંદરથી મળી આવી છે, અને તેને કોણે મોતને ઘાટ ઉતારી દીધો છે..?
ત્યાં ઉભેલા મજૂરો અન્ય કોઈ જવાબ આપે એ પહેલાં તો તેઓ ત્યાંથી ઉભી પૂંછડીયે ભાગવા લાગ્યા હતા. આ જોતા જ મનસુખભાઈ સમજી ગયા કે, નક્કી આ યુવકના મોત પાછળ આ મજૂરો જવાબદાર છે. એટલા માટે મનસુખભાઈએ પણ તેમની પાછળ જવાની કોશિશ કરી પરંતુ આ તમામ મજૂરો ગામ મૂકીને ભાગી ગયા હતા..
તેઓએ તરત જ તેમના પડોશમાં રહેતા વ્યક્તિઓને પણ જાણકારી પહોંચાડી કે, તેમના ખેતરમાં મજૂરી કામ કરનાર 18 વર્ષનો એક યુવકની લાશ ઘઉંના ઢગલાની અંદરથી મળી આવી છે. આ ઉપરાંત તેની સાથે રહેતા અન્ય મજૂરોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે તેવી તેમને શંકા છે..
આ શંકાને આધારે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી. પોલીસની ટીમએ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યા બાદ આ મજૂરોને પકડવા માટે પ્લાન બનાવીને ટીમો પણ રવાના કરી દીધી હતી અને ટૂંક સમયની અંદર જ આ મજૂરોને પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે, 18 વર્ષનો યુવકો તેમની તમામ કાળીનીતિઓ જાણી ગયો હતો..
હકીકતમાં મનસુખભાઈના ખેતરમાં કામ કરનાર મજૂરો ખેતરમાં ઉગેલા પાકમાંથી ઘણો ઘણો ભાગ બારોબાર જ મનસુખભાઈની જાણ વગર વેચી નાખતા હતા. જેની જાણકારી એક દિવસ 18 વર્ષના યુવકને થઈ ગઈ હતી અને હવે તે ઘટનાની જાણકારી ખેતરના માલિક મનસુખભાઈ સુધી પહોંચાડવા જઈ રહ્યો હતો..
એવામાં આ તમામ લોકોએ ભેગા મળીને યુવકને મોતને ઘાટ ઉતારીને આ ઘઉં ની અંદર દાટી દીધો હતો. પરંતુ જ્યારે મનસુખભાઈ તેમની પત્ની સાથે ચારધામની જાત્રાએ જવાના હતા. ત્યારે ઘઉંનો તમામ પાક થયો હોય તેમના ઘરે મંગાવી લીધો હતો અને આ ઘઉંના ઢગલાની સાથે સાથે આ યુવકની લાશ પણ ત્યાં દટાઈ ગઈ હતી..
જેની પોલ હવે ખુલ્લી પડતા તેઓને માટે હાથ મૂકીને રોવાનો વારો આવી ગયો છે. બિચારા 18 વર્ષના યુવક ઈમાનદારી રાખવા માટે સારી રાહ ઉપર ચાલવા માંગતો હતો, પરંતુ તેની સાથે રહેલા કેટલાક કાળા કામ કરનાર લોકો તેને બરાબર જીવન જીવવા દિધો નહીં અને મોતને ઘાટ ઉતારી દીધો હતો..
18 વર્ષનો યુવક અનાથ હતો, તે તેના સગા સંબંધી અને મિત્રો સાથે અહીં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો. પરંતુ તેના મૃત્યુના સમાચાર થોડા દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચ્યા નહીં, એટલે લોકો સમજ્યા કે તે અન્ય કોઈ જગ્યાએ મજૂરી કરવા માટે ગયો હશે. પરંતુ હકીકતમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]