Breaking News

ઘરમાં પિતાને શિખામણ દેતી મીઠુડી દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપ અને ભાઈએ કેનાલ પાસે ભરી લીધું મોટું પગલું.. જાણો..!

દરેક માતા પિતાને તેમના લાડકા દીકરા કે દીકરીના લગ્નની ખૂબ જ હોશ હોય છે. તેઓ ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હોય છે કે, ક્યારે અમારા દીકરા કે દીકરીના લગ્ન આવે અને પરિવારના સૌ કોઈ સભ્ય અમારા આંગણે આવેલા પ્રસંગમાં હાજરી આપી ઉત્સવની શોભા વધારે.. પરંતુ કેટલીક વાર જેમ જેમ દીકરા કે દીકરીઓ મોટા થતા જાય તેમ તેમ મા બાપ માટે ઉપાદીઓ વધતી જતી હોય છે..

નોકરી કે ધંધે ચડાવવાનું ટેન્શન અને ત્યારબાદ છોકરી ગોતીને તેની સાથે પરણાવાનું પણ ટેન્શન હોય છે. અત્યારે હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં રતિયા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં નિરંજનભાઇ તેમના પરિવારજનો સાથે રહે છે. નિરંજન ભાઈને તેમની દીકરી રીના ખૂબ જ વ્હાલી હતી. આ ઉપરાંત રીના પણ રોજબરોજ પોતાના પિતાને ખૂબ જ મીઠુડી ભાષામાં શિખામણ આપતી હતી..

અને એ જ મીઠું ની દીકરીએ માતા-પિતાનું નામ ડુબાડવાની કોશિશ કરી હતી. જેનું અપમાન માતા-પિતા સહન ન કરી શકતા તેઓએ ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે. રીનાની લગ્નના ઉંમર થતાં તેના માતા-પિતા તેના માટે ખૂબ જ સારો છોકરો જોવા લાગ્યા હતા. પરંતુ રીનાને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હતા. તેણે એક પણ વાર પોતાના ઘરે આ બાબતની જાણ કર્યા વગર પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી..

અને ભાગીને લગ્ન કરી લીધા હતા. જ્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે, અમારી વહાલસોયી લાડકવાઈ દીકરી ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા છે. ત્યારે તેઓએ વિચાર્યું કે, હવે અમે સમાજમાં શું મોઢું દેખાડીશું, કારણકે અમને જે દીકરી ખૂબ જ વ્હાલી હતી તેમજ અમે ગામ સામે જેના ખૂબ જ ગુણગાન ગાઈ રહ્યા હતા. હવે એ જ દીકરીના કારણે અમારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે..

એમ વિચારીને તેઓ મનોમન ખૂબ જ નારાજ થયા હતા. તેઓ એક દિવસ રાત્રીના સમયે તેમની પત્ની નીલમ તેમજ તેમના 11 વર્ષના દીકરા સાથે મોટી ગાડી લઈને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ લાંબો સમય સુધી ઘરે પરત ના આવતા નિરંજન ભાઈના મોટાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

તપાસ કરતાં જણાવ્યું કે, રતિયા વિસ્તારમાં આવેલી નહેરમાં એક કાર મળી આવી છે. અને આ કારની અંદરથી ત્રણ વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. ત્યારે નિરંજનભાઇના મોટાભાઈને આ લાશને ઓળખવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં જઈને જોયું તો હકીકતમાં આ લાશ નિરંજનભાઇ તેમની પત્ની નીલમ અને તેમનો 11 વર્ષના દીકરાની હતી.

આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, રીનાએ પ્રેમ લગ્ન કરવા માટે ઘર મૂકી દીધું હતું. જેના ઊંડા આઘાતમાં સમગ્ર પરિવારે સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેમની કારને કેનાલની ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.

દીકરા કે દીકરીઓ સમજણા થયા હોય છતાં પણ અમુક વખત એવું પગલું ભરી લેતા હોય છે કે, તેમના કારણે માતા-પિતાને નીચું જોવાનો વારો આવે છે. અને કોઈ પણ મા બાપ માટે પોતાના દીકરાને કારણે ઈજ્જત અને માનસનમાન ગુમાવવું પડે તે કોઈ પણ કાળે સહન ન થાય અને એ જ કારણથી કદાચ નિરંજન ભાઈએ સમગ્ર પરિવારજનો સાથે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *