અવારનવાર લોકોના ઘરે અને ઓફિસમાં ગંભીર કિસ્સાઓ બની રહ્યા છે. જેના કારણે આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. દરેક લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે. ઘરમાં કામ કરવા આવતા નો કરો પોતાના જ માલિકો સાથે દૂર વ્યવહાર કરી રહ્યા છે. આવી એક ઘટના હાલમાં સામે આવી છે.
આ ઘટના રસીદપુરા ગામના વોર્ડ નંબર-4 માં રેલવેના રેલ્વે લાઈન પાસે હંસ ડેરી ફાર્મના નામથી ડેરી ચલાવતા પરિવારના લોકો રહે છે. તેઓ પોતાના જ મકાનમાં ડેરી ચલાવી રહ્યા છે અને પોતાના મકાનની ડેરી ફાર્મ બનાવેલું છે. મકાન માલિકનું નામ માધવી સેવાડા છે. તેઓ પોતાની પત્ની સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
મકાન માલિક પોતાના જ ઘરે ડેરી ચલાવીને તેમનું આર્થિક ગુજરાન ચલાવી રહ્યા હતા. પતિ-પત્નીએ પોતાના મકાનમાં કામ કરવા માટે ચાર નોકરોને રાખ્યા હતા. હંસ ડેરી ફાર્મ રસિકપુરા ગામમાં નામચીન બની ગઈ હતી. જેના કારણે દરેક લોકો અહીં વસ્તુઓ ખરીદવા માટે આવતા હતા. મકાન માલિકે પોતાના ઘરમાં ચાર નોકરો રાખ્યા હતા.
તેમના નામ રીન્કુ ઠાકર, વિશાલ ઠાકોર અને બીજા બે નોકરો બસેન માંઝી અને સુનિલકુમાર કામ કરી રહ્યા હતા. નોકરી પર આ ચારેય નોકરોને રાખવામાં આવ્યા હતા. તેઓ ઘરનું કામ અને સાથે સાથે ડેરી ફાર્મમાં પણ કામ કરતા હતા. તેઓને ઘર અને ડેરી ફાર્મની દરેક વસ્તુઓની જાણ હતી. એક દિવસ માધવીભાઈના પાડોશમાં કોઈનું અવસાન થઈ ગયું હતું.
જેના કારણે પાડોશી ધર્મ હોવાને કારણે તેઓ પોતાના પાડોશીના ઘરે દુઃખદ વ્યક્ત કરવા માટે જવાના હતા. નોકરોને આ વાતની જાણ હતી અને મકાન માલિક પોતાના પરિવાર સાથે પાડોશમાં ગયા હતા. ત્યારે ઘરમાં ચારેય નોકરો એકલા જ હોવાને કારણે તેઓએ લાભ ઉઠાવીને ઘરમાં ચોરી કરવાનો ઇરાદો કરી નાખ્યો હતો.
ત્યારબાદ ઘરધણી પોતાના ઘરે પરત આવ્યા અને ત્યારે દરેક પરિવારના લોકોએ જોયું તો ઘરના દરવાજા ખુલ્લા હતા. જેના કારણે નોકરો અંદર કામ કરતા હશે અને દરવાજો ખુલ્લો મૂકી દીધો હશે તેમ લાગ્યું હતું. ત્યારબાદ મકાન માલિક પોતાના ઘરે ગયા અને તેમણે જોયું તો તેમના ઘરનો દરેક માલસામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો .
અને ઘરના રૂમમાં જતા જોયું તો કબાટ પણ ખુલ્લા જોવા મળ્યા અને તિજોરીના લોક પણ ખુલ્લા હતા. ડેરી ફાર્મમાં પણ દરેક કબાટના ખાનાને ખોલી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મકાન માલિક આમતેમ દોડવા લાગ્યા અને તેમના ટાંટિયા ધ્રુજી ગયા, મકાન માલિકને શું કરવું તે ખબર પડી ન હતી.
ઘરધણી ખૂબ જ ગભરાઈ ગયા હતા અને તેઓ માથે હાથ મૂકીને રડવા લાગ્યા હતા, તેમને જાણ થઈ ગઈ હતી કે, તેમના ઘરમાં કામ કરતાં નોકરોએ દરેક વસ્તુઓની ચોરી કરી છે, જેના કારણે નોકરો પણ ઘરમાં કોઈ પણ જગ્યાએ દેખાઈ રહ્યા ન હતા. ત્યારબાદ તરત જ પોલીસને આ વાતની જાણ કરવામાં આવી હતી.
સદર પોલીસને આ વાતની જાણ થતાં જ તે મકાન માલિકના ઘરે પહોંચી ગયા અને તમામ તપાસને હાથ ધરી હતી. મકાન માલિકે જણાવ્યું હતું કે, તેમના ઘરેથી આઠ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ બે લાખના રોકડ પૈસા ગાયબ થયા છે અને સાથે જ તેમના ફાર્મ હાઉસમાં પણ રાખવામાં આવેલા પૈસાને લૂંટી ગયા છે.
સાથે જ 2000 રૂપિયા અને બે ફોન પણ ગાયબ થયા છે, જેના કારણે પોલીસે તમામ માલસામાન ગુમ થયાની નોંધ કરી હતી અને ચારેય લુટેરાઓને શોધવાની તપાસ હાથ ધરી હતી. ચારેય નોકરોએ મળીને આ કામને અંજામ આપ્યો હતો. જેના કારણે પોલીસ નોકરોને શોધી રહી હતી. આજકાલ ઘરમાં કામ કરતા નોકરો જ પોતાના માલિકોને દગો આપી રહ્યા છે. જેના કારણે દરેક લોકોએ ચેતીને નોકરોને રાખવા જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]