હાલ ચોરી અને લુટફાંટના ગુનાઓએ માજા મૂકી છે. રોજ રોજ થતા ગુનાઓને કારણે સૌ કોઈ લોકો મુંજવણમાં મુકાઈ ગયા છે કે આ ગુનાખોરી હવે ક્યારે ઉભી રહેશે.. હાલ જામનગરમાં એક મોટી લુંટનો બનાવ સામે આવતા જ તંત્ર સફાળું બેઠું થયું છે. જામનગરના પ્રદર્શન પોપડા પાસે મીગ સોસાયટી વિસ્તારમાં એક વડીલ વયના વ્યક્તિ રહે છે..
અહી 81 જયાબેન ઝવેરી છેલ્લા 15 વર્ષથી ઘરે એકલા જ રહે છે. જ્યારથી જયાબેન ઝવેરીના પતિ અરવિંદ ભાઈનું અવસાન થયું છે ત્યારથી તેઓ ઘરે એકલા જ રહીને જીવન ગુજારે છે. તેઓ જામનગરમાં જ તેની દીકરીના ભાણીયાની સાથે સાથે કારખાના સંભાળે છે. તેઓ ઘરે એકલા રહેવાથી લોકોની અવરજવર ખુબ જ ઓછી હતી..
એક દિવસ બે લોકો બુકાની પહેરીને તેમના ઘરનો ડોરબેલ વગાડ્યો હતો. દાદીએ દરવાજા ખોલ્યો અને જોયું તો બે અજાણ્યા લોકો બહાર ઉભા છે. આ લોકોએ મોઢે બુકાની પહેરેલી હોવાથી તેને કૈક ઉંધી શંકા ગઈ હતી, દાદી બારણું બંધ કરે એ પહેલા જ બંને લોકોએ દાદીને ચપુ દેખાડ્યું હતું.
અને દાદીને કહ્યું હતું કે મહેરબાની કરીને દરવાજો ખોલી દો બાકી ચપું ઘુસાડી દેવામાં આવશે. દાદીના ઘરમાં ધુસીને બે લોકોએ લૂંટ ચાલુ કરી દીધી હતી. ચપુની અણીએ રોકડા રૂપિયા અને કીમતી દાગીનાની લૂંટ કરીને બે લોકો નાસી ગયા. દાદી આ લોકોને પકડે એ પહેલા જ તેઓ ભાગી ગયા હતા..
ઘરના કબાટમાં બંગડી, ચેઈન, રોકડ મળી કુલ રૂપિયા 30 હજાર રૂપિયાના સામાનની લૂંટ કરી હતી. દાદીએ આ બાબતની જાણ પોલીસને કરતા જ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં તો ડોરબેલ વાગતા જ દાદીને લાગ્યું કે પડોશી આવ્યા હશે…
પરતું દરવાજો ખોલતા જ ધમકીઓ મળી અને અંદર ઘુસીને શખ્સોએ દાદી જયાબેનના મોઢા પર હાથ દાબી દીધો હતો. તેઓનો શ્વાસ પણ રુંધાવા લાગ્યો હતો. તેઓએ દાદીને પૂછ્યું તું કે તમે કીમતી સમાન કઈ જગ્યા પર મુકો છો, સરનામું મળતા જ તેઓ તૂટી પડ્યા હતા. અને બધો જ સમાન લુંટીને જતા રહ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]